કથાકાર મોરારી બાપુએ હિન્દુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર વ્યાસપીઠ પરથી ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:36:32

થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવત મદરેસાની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાતને લઈ અનેક વિવાદો થયા હતા. રાજકીય પાર્ટી ઉપરાંત કથાકારો પણ તેમની મુલાકાત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈ કથાકાર મોરારી બાપુએ હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર કટાક્ષ કર્યો છે.

 મદરેસાની મુલાકાત પર મોરારી બાપુએ ઉઠાવ્યા સવાલ

રામ કથા માટે જાણીતા મોરારી બાપુ પોતાની કથા દરમિયાન અનેક વખત ગઝલ ગાતા હોય છે. ગઝલમાં આવતા ઉર્દુ શબ્દને લઈ અનેક વખત વિખવાદ પણ છેડાયો છે. હિંદુત્વનું નામ લઈ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે. વ્યાસ પીઠ પરથી ઉર્દુ શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ તેવું અનેક વખત કહેવામાં આવ્યું છે. ત્યારે હવે મોરારી બાપુએ નામ લીધા વગર આરએસએસ વડાની મદરેસા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે. 

RSS सरसंघचालक मोहन भागवत पहुंचे मस्जिद में । - MKV NEWS


પોતાની રામ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી તેમણે કહ્યું કે તેમની કથા દરમિયાન ગવાતી ગઝલમાં ઉર્દુ શબ્દ આવે તો તેમના પર વાક પ્રહાર શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના પ્રમુખ મદરેસામાં જઈ ઈમામ સાથે વાતચીત કરે છે ત્યારે તેમને કોઈ કેમ નથી બોલતું કે કેમ કોઈ ટીકા નથી કરતું.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.