કથાકાર મોરારી બાપુએ હિન્દુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર વ્યાસપીઠ પરથી ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:36:32

થોડા સમય પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભાગવત મદરેસાની મુલાકાતે ગયા હતા. તેમની મુલાકાતને લઈ અનેક વિવાદો થયા હતા. રાજકીય પાર્ટી ઉપરાંત કથાકારો પણ તેમની મુલાકાત પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમની આ મુલાકાતને લઈ કથાકાર મોરારી બાપુએ હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના વડા પર કટાક્ષ કર્યો છે.

 મદરેસાની મુલાકાત પર મોરારી બાપુએ ઉઠાવ્યા સવાલ

રામ કથા માટે જાણીતા મોરારી બાપુ પોતાની કથા દરમિયાન અનેક વખત ગઝલ ગાતા હોય છે. ગઝલમાં આવતા ઉર્દુ શબ્દને લઈ અનેક વખત વિખવાદ પણ છેડાયો છે. હિંદુત્વનું નામ લઈ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા છે. વ્યાસ પીઠ પરથી ઉર્દુ શબ્દોનું ઉચ્ચારણ ન કરવું જોઈએ તેવું અનેક વખત કહેવામાં આવ્યું છે. ત્યારે હવે મોરારી બાપુએ નામ લીધા વગર આરએસએસ વડાની મદરેસા મુલાકાત પર સવાલ ઉઠાવ્યો છે. 

RSS सरसंघचालक मोहन भागवत पहुंचे मस्जिद में । - MKV NEWS


પોતાની રામ કથા દરમિયાન વ્યાસ પીઠ ઉપરથી તેમણે કહ્યું કે તેમની કથા દરમિયાન ગવાતી ગઝલમાં ઉર્દુ શબ્દ આવે તો તેમના પર વાક પ્રહાર શરૂ થઈ જાય છે. પરંતુ જ્યારે હિંદુત્વના મોભી ગણાતા સંગઠનના પ્રમુખ મદરેસામાં જઈ ઈમામ સાથે વાતચીત કરે છે ત્યારે તેમને કોઈ કેમ નથી બોલતું કે કેમ કોઈ ટીકા નથી કરતું.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.