સ્વામિનારાયણ-સનાતન વિવાદ: મોરારી બાપુએ કહ્યું "મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી"


  • Published By :
  • Published Date : 2023-09-13 17:10:28

સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોથી શરૂ થયેલો વિવાદ દિન પ્રતિ દિન વકરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મની વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.  હવે આ મામલે જાણીતા રામકથાકાર મોરારિબાપુએ પણ નિવેદન આપ્યું છે.


શું કહ્યું મોરારી બાપુએ?


મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી નિવેદન આપ્યું છે કે 'ખ્રિસ્તી લોકો ધર્માંતરણ કરાવે છે જે યોગ્ય નથી. ઇસ્લામ ધર્મના કેટલાક કહેવાતા આતંકી તત્વો બીજાને કાફર કહીને કતલે આમ કરે છે તે પણ યોગ્ય નથી. પરંતુ આ બધું તો દેખાય છે. કેટલાક આપણામાં જ રહીને દાવો કરે છે કે, રામકૃષ્ણ- વેદ આદી છે જ નહીં, માત્ર અમે જ છીએ. ક્યાં આપણો સનાતન ધર્મ કે, આપણા મહાદેવ કે આપણી જગદંબા ક્યાં રામ અને કૃષ્ણ. મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી ત્યારે તમે શું એકતાની વાતો કરો છો. અમુક સંપ્રદાયના લોકો અયોધ્યાની બાજુમાંથી નીકળીને જાય છે તેમ છતાં રામજી મંદિરે દર્શન કરવા નથી જતા. ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામીનારાયણ એટલે કે ઘનશ્યામ પાંડેના જન્મસ્થાન છપૈયા ખાતે દર્શન કરવા જનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની વાત મોરારિબાપુએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે અમુક સંપ્રદાયના લોકો પહેલી વખત કાઠીયાવાડમાં આવ્યા ત્યારે કોઈ રોટલો પણ તેમને આપતું નહોતું ત્યારે રામજી મંદિરે તેમને ઓટલો આપ્યો હતો. વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય આ કહેવત કહીને મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર નિશાન સાધ્યું હતું.


વિવાદ કેમ વકર્યો?


સ્વામિનારાયમ સંપ્રદાયના એક સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડિયો હાલ ખૂબ વાયરલ થયો છે, જેમાં તે બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી