સ્વામિનારાયણ-સનાતન વિવાદ: મોરારી બાપુએ કહ્યું "મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી"


  • Published By :
  • Published Date : 2023-09-13 17:10:28

સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંતચિંત્રોથી શરૂ થયેલો વિવાદ દિન પ્રતિ દિન વકરી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મની વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.  હવે આ મામલે જાણીતા રામકથાકાર મોરારિબાપુએ પણ નિવેદન આપ્યું છે.


શું કહ્યું મોરારી બાપુએ?


મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી નિવેદન આપ્યું છે કે 'ખ્રિસ્તી લોકો ધર્માંતરણ કરાવે છે જે યોગ્ય નથી. ઇસ્લામ ધર્મના કેટલાક કહેવાતા આતંકી તત્વો બીજાને કાફર કહીને કતલે આમ કરે છે તે પણ યોગ્ય નથી. પરંતુ આ બધું તો દેખાય છે. કેટલાક આપણામાં જ રહીને દાવો કરે છે કે, રામકૃષ્ણ- વેદ આદી છે જ નહીં, માત્ર અમે જ છીએ. ક્યાં આપણો સનાતન ધર્મ કે, આપણા મહાદેવ કે આપણી જગદંબા ક્યાં રામ અને કૃષ્ણ. મેં અમુક લોકોને ક્યારેય રામ મંદિરે આવતા જોયા નથી ત્યારે તમે શું એકતાની વાતો કરો છો. અમુક સંપ્રદાયના લોકો અયોધ્યાની બાજુમાંથી નીકળીને જાય છે તેમ છતાં રામજી મંદિરે દર્શન કરવા નથી જતા. ઉલ્લેખનીય છે કે, ભગવાન સ્વામીનારાયણ એટલે કે ઘનશ્યામ પાંડેના જન્મસ્થાન છપૈયા ખાતે દર્શન કરવા જનારા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની વાત મોરારિબાપુએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે અમુક સંપ્રદાયના લોકો પહેલી વખત કાઠીયાવાડમાં આવ્યા ત્યારે કોઈ રોટલો પણ તેમને આપતું નહોતું ત્યારે રામજી મંદિરે તેમને ઓટલો આપ્યો હતો. વડલો સનાતનનો કહેવાય અને ભીંડો ભાદરવાનો કહેવાય આ કહેવત કહીને મોરારીબાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર નિશાન સાધ્યું હતું.


વિવાદ કેમ વકર્યો?


સ્વામિનારાયમ સંપ્રદાયના એક સંત બ્રહ્મસ્વરૂપ સ્વામીનો વિડિયો હાલ ખૂબ વાયરલ થયો છે, જેમાં તે બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.