મોરબી કરૂણાંતિકા: 9 આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયા, 5 આરોપી જેલ હવાલે તો અન્ય ચારને શનિવાર સુધી રિમાન્ડ


  • Published By :
  • Published Date : 2022-11-01 22:02:46

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના 9 આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ 9 આરોપીઓમાંથી 5 આરોપીઓને જેલ હવાલે તો અન્ય 4 ને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. 136 લોકોનો ભોગ લેનારા આ ઝુલતા બ્રિજના સમારકામ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા આ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.


પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા


ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના પોલીસ રિમાન્ડ દ્વારા માંગવામાં આવ્યા હતાં. આ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ ચાર આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે શનિવાર બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કોર્ટે જેલ હવાલે કર્યા છે. 


કોણ છે 9 આરોપીઓ?


ઓરેવા કંપનીના મેનેજર- દિનેશ દવે અને દિપક પારેખ

ટિકિટ ક્લાર્ક -મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકી

સિક્યુરિટી ગાર્ડ -અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ

બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર- દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.