મોરબી કરૂણાંતિકા: 9 આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયા, 5 આરોપી જેલ હવાલે તો અન્ય ચારને શનિવાર સુધી રિમાન્ડ


  • Published By :
  • Published Date : 2022-11-01 22:02:46

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના 9 આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ 9 આરોપીઓમાંથી 5 આરોપીઓને જેલ હવાલે તો અન્ય 4 ને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. 136 લોકોનો ભોગ લેનારા આ ઝુલતા બ્રિજના સમારકામ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા આ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.


પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા


ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના પોલીસ રિમાન્ડ દ્વારા માંગવામાં આવ્યા હતાં. આ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ ચાર આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે શનિવાર બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કોર્ટે જેલ હવાલે કર્યા છે. 


કોણ છે 9 આરોપીઓ?


ઓરેવા કંપનીના મેનેજર- દિનેશ દવે અને દિપક પારેખ

ટિકિટ ક્લાર્ક -મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકી

સિક્યુરિટી ગાર્ડ -અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ

બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર- દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"