મોરબી કરૂણાંતિકા: 9 આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયા, 5 આરોપી જેલ હવાલે તો અન્ય ચારને શનિવાર સુધી રિમાન્ડ


  • Published By :
  • Published Date : 2022-11-01 22:02:46

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના 9 આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ 9 આરોપીઓમાંથી 5 આરોપીઓને જેલ હવાલે તો અન્ય 4 ને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. 136 લોકોનો ભોગ લેનારા આ ઝુલતા બ્રિજના સમારકામ કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા આ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.


પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા


ઓરેવા કંપનીના બે મેનેજર તેમજ રીપેરીંગ કોન્ટ્રાક્ટ કંપની સંભાળતા પિતા પુત્રના પોલીસ રિમાન્ડ દ્વારા માંગવામાં આવ્યા હતાં. આ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ ચાર આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે શનિવાર બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે ત્રણ સિક્યુરિટી મેન તેમજ બે ક્લાર્કને કોર્ટે જેલ હવાલે કર્યા છે. 


કોણ છે 9 આરોપીઓ?


ઓરેવા કંપનીના મેનેજર- દિનેશ દવે અને દિપક પારેખ

ટિકિટ ક્લાર્ક -મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકી

સિક્યુરિટી ગાર્ડ -અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ

બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર- દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.