મોરબી કરૂણાંતિકા: સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે 135 લોકોના મોતની સુનાવણી, એક વકીલે કરી હતી PIL


  • Published By :
  • Published Date : 2022-11-01 17:10:42

મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મોત 'સરકારી ચોપડે' નોંધાયા છે. જો કે હવે આ કરૂણાંતિકાને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી  (PIL) દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં એક પેનલની રચના કરી આ કેસની સુનાવણી માટે તાત્કાલિક સુચના આપવાની અરજીમાં માંગ કરવામાં આવી છે.  


ન્યાયાયિક તપાસની માગ કરતી PIL


મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડતા સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરતી એક જનહિતની અરજી જાણીતા વકીલ વિશાલ તિવારીએ કરી છે. અરજીમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે દેશભરમાં જેટલા પણ પુલ કે સ્મારક છે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે નિયમ બનાવવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી સ્વિકારી લીધી છે અને સુનાવણી માટે આગામી 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.


PM મોદીની મોરબી મુલાકાતને લઈ કોંગ્રેસના પ્રહાર


કોંગ્રેસના પ્રવકત્તા પવન ખેડાએ સોમવારે રાત્રે એક વીડિયો ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા છે. વીડિયો ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને જોતા સોમવાર રાતથી જ મોરબીની સિવિલ હોસ્પિટલને સજાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી મંગળવારે મોરબી પહોંચ્યા છે ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડેલ?




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.