મોરબી કરૂણાંતિકા: સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે 135 લોકોના મોતની સુનાવણી, એક વકીલે કરી હતી PIL


  • Published By :
  • Published Date : 2022-11-01 17:10:42

મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મોત 'સરકારી ચોપડે' નોંધાયા છે. જો કે હવે આ કરૂણાંતિકાને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી  (PIL) દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં એક પેનલની રચના કરી આ કેસની સુનાવણી માટે તાત્કાલિક સુચના આપવાની અરજીમાં માંગ કરવામાં આવી છે.  


ન્યાયાયિક તપાસની માગ કરતી PIL


મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડતા સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરતી એક જનહિતની અરજી જાણીતા વકીલ વિશાલ તિવારીએ કરી છે. અરજીમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે દેશભરમાં જેટલા પણ પુલ કે સ્મારક છે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે નિયમ બનાવવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી સ્વિકારી લીધી છે અને સુનાવણી માટે આગામી 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.


PM મોદીની મોરબી મુલાકાતને લઈ કોંગ્રેસના પ્રહાર


કોંગ્રેસના પ્રવકત્તા પવન ખેડાએ સોમવારે રાત્રે એક વીડિયો ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા છે. વીડિયો ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને જોતા સોમવાર રાતથી જ મોરબીની સિવિલ હોસ્પિટલને સજાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી મંગળવારે મોરબી પહોંચ્યા છે ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડેલ?




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.