Morbi Bridge Collapsed કેસ Supreme Court પહોંચ્યો! જાણો ઘટનામાં કોને જામીન મળતા પીડિત પરિવારે ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર?


  • Published By :
  • Published Date : 2023-08-07 11:04:28

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે આ મામલે એક નવી અપડેટ મળી રહી છે. બ્રિજ તૂટી પડતાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિત પરિવાર સુપ્રિમ કોર્ટના શરણે ગયા છે. બ્રિજ દુર્ઘટનામાં બે ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન મળી ચૂક્યા છે. બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા માટે ટિકિટ વેચવામં આવી હતી. હાઈકોર્ટમાં તેમના જામીન અર્થે અરજી કરવામાં આવી છે અને જજ દ્વારા તેમની જામીન અરજીને મંજૂર કરવામાં આવી હતી. બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન અરજીને મંજૂર કરી છે. ત્યારે આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પકડારવામાં આવી છે. 


બે ક્લાર્કના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી 

મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝુલતો બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી તે ઘટના આપણને સૌને યાદ છે. દિવાળીના સમયે પરિવાર સાથે ફરવા અનેક લોકો બ્રિજ પર ગયા હતા. ત્યારે અચાનક બ્રિજ તૂટી ગયો હતો અને દુખદ દુર્ઘટના સર્જાઈ હતી અને 100 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર 2 ક્લાર્કના જામીનને હાઈકોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ એ જ ક્લાર્ક છે જેમણે બ્રિજ પર જવા માટે લોકોને ટિકિટ આપી હતી. કેપેસિટી કરતા વધારે લોકો બ્રિજ પર એક સાથે હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે પીડિત પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પીડિત પરિવારોનું કહેવું છે કે આરોપીઓએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું છે. પોલીસ ચાર્જશીટમાં તેમનું નામ હોવા છતાંય તેમને જામીન મળ્યા છે. 


પીએમ મોદીની મુલાકાતને કારણે હોસ્પિટલમાં કરાયો હતો કલર 

મહત્વનું છે દુર્ઘટાનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીએમ મોદી ખુદ ગુજરાત આવ્યા હતા. પીડિત પરિવારો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ બધુ હતું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ તે સમયે હોસ્પિટલમાં રંગરોગાન કરાવવામાં આવ્યું તે યોગ્ય ન હતું. એક તરફ જ્યાં લોકોના સ્વજન દુનિયા છોડીને જઈ રહ્યા હતા, લોકોની મદદે આવવાની બદલીમાં તંત્ર પીએમ મોદીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયું હતું તે અત્યંત દુખદ અને નિંદનીય હતું. કદાચ આવા દ્રષ્યો જોઈને પીડિતા પરિવારને વધારે દુખ થયું હશે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .