Morbi Bridge Collapsed કેસ Supreme Court પહોંચ્યો! જાણો ઘટનામાં કોને જામીન મળતા પીડિત પરિવારે ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર?


  • Published By :
  • Published Date : 2023-08-07 11:04:28

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે આ મામલે એક નવી અપડેટ મળી રહી છે. બ્રિજ તૂટી પડતાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિત પરિવાર સુપ્રિમ કોર્ટના શરણે ગયા છે. બ્રિજ દુર્ઘટનામાં બે ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન મળી ચૂક્યા છે. બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા માટે ટિકિટ વેચવામં આવી હતી. હાઈકોર્ટમાં તેમના જામીન અર્થે અરજી કરવામાં આવી છે અને જજ દ્વારા તેમની જામીન અરજીને મંજૂર કરવામાં આવી હતી. બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન અરજીને મંજૂર કરી છે. ત્યારે આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પકડારવામાં આવી છે. 


બે ક્લાર્કના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી 

મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝુલતો બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી તે ઘટના આપણને સૌને યાદ છે. દિવાળીના સમયે પરિવાર સાથે ફરવા અનેક લોકો બ્રિજ પર ગયા હતા. ત્યારે અચાનક બ્રિજ તૂટી ગયો હતો અને દુખદ દુર્ઘટના સર્જાઈ હતી અને 100 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર 2 ક્લાર્કના જામીનને હાઈકોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ એ જ ક્લાર્ક છે જેમણે બ્રિજ પર જવા માટે લોકોને ટિકિટ આપી હતી. કેપેસિટી કરતા વધારે લોકો બ્રિજ પર એક સાથે હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે પીડિત પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પીડિત પરિવારોનું કહેવું છે કે આરોપીઓએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું છે. પોલીસ ચાર્જશીટમાં તેમનું નામ હોવા છતાંય તેમને જામીન મળ્યા છે. 


પીએમ મોદીની મુલાકાતને કારણે હોસ્પિટલમાં કરાયો હતો કલર 

મહત્વનું છે દુર્ઘટાનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીએમ મોદી ખુદ ગુજરાત આવ્યા હતા. પીડિત પરિવારો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ બધુ હતું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ તે સમયે હોસ્પિટલમાં રંગરોગાન કરાવવામાં આવ્યું તે યોગ્ય ન હતું. એક તરફ જ્યાં લોકોના સ્વજન દુનિયા છોડીને જઈ રહ્યા હતા, લોકોની મદદે આવવાની બદલીમાં તંત્ર પીએમ મોદીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયું હતું તે અત્યંત દુખદ અને નિંદનીય હતું. કદાચ આવા દ્રષ્યો જોઈને પીડિતા પરિવારને વધારે દુખ થયું હશે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.