Morbi Bridge Collapsed : દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ પરિસ્થિતિ કેટલી બદલાઈ? એ વખતે 12 કલાકમાં કેસ તો થયો પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-10-30 13:46:04

30 ઓક્ટોબર 2022નોએ દિવસ 135 લોકો માટે અંતિમ દિવસ સાબિત થયો જે લોકો મોરબીના ઝુલતા પુલ પર ઉભા હતા. એક તરફ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા તો બીજી તરફ અનેક એવા પરિવાર હતા જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા. દિવાળીનો તહેવાર તેમના માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. એક વર્ષ થયું કદાચ આપણે એ ઘટનાને ભૂલી ગયા હોઈશું, જો યાદ પણ હશે પરંતુ એટલો આક્રોશ કદાચ આપણામાં આ ઘટનાને લઈને નહીં હોય જે એ સમયે હતો. પરંતુ એ પરિવારના સભ્યો આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે જેમણે આ ગોઝારી ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી - Gujarat Tak

12 કલાકની અંદર કેસ કરાયો હતો દાખલ 

મોરબી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોના વાંકે આ દુર્ઘટના સર્જાઈ તેની હજી તપાસ ચાલી રહી છે. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્વરીત એક્શન લેવા માટે સરકાર પર જાણે પ્રેશર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. મોરબી દુર્ઘટનામાં 12 કલાકની અંદર જ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્વરીત ધરપકડ તો કરી લેવામાં આવી પરંતુ તેમાંથી પાંચ લોકો હાલ જામીન પર બહાર છે. 


ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી 

આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી. આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.  આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તે જણાવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે.             

એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી સુકાયા પરિવારના આંસુ 

જે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે વખતે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર હાજર હતા. પ્રશ્ન એ વખતે પણ એ જ હતો કે કેટલા લોકો બ્રિજ પર ઉભા રહી શકે તે સંખ્યા નક્કી કરવામાં આવી ન હતી. ભીડને રોકવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સૌથી પહેલી અને અગત્યની વાત તો એ છે કે કોની પરવાનગીથી આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવ્યો? સુરક્ષા કર્મીઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષ તો પૂર્ણ થઈ ગયું પરંતુ પરિવારને ન્યાય નથી મળ્યો, પરિવારના આંસુ હજી નથી સુકાયા...     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.