Morbi Bridge Collapsed : દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ પરિસ્થિતિ કેટલી બદલાઈ? એ વખતે 12 કલાકમાં કેસ તો થયો પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-10-30 13:46:04

30 ઓક્ટોબર 2022નોએ દિવસ 135 લોકો માટે અંતિમ દિવસ સાબિત થયો જે લોકો મોરબીના ઝુલતા પુલ પર ઉભા હતા. એક તરફ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા તો બીજી તરફ અનેક એવા પરિવાર હતા જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા. દિવાળીનો તહેવાર તેમના માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. એક વર્ષ થયું કદાચ આપણે એ ઘટનાને ભૂલી ગયા હોઈશું, જો યાદ પણ હશે પરંતુ એટલો આક્રોશ કદાચ આપણામાં આ ઘટનાને લઈને નહીં હોય જે એ સમયે હતો. પરંતુ એ પરિવારના સભ્યો આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે જેમણે આ ગોઝારી ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી - Gujarat Tak

12 કલાકની અંદર કેસ કરાયો હતો દાખલ 

મોરબી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોના વાંકે આ દુર્ઘટના સર્જાઈ તેની હજી તપાસ ચાલી રહી છે. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્વરીત એક્શન લેવા માટે સરકાર પર જાણે પ્રેશર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. મોરબી દુર્ઘટનામાં 12 કલાકની અંદર જ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્વરીત ધરપકડ તો કરી લેવામાં આવી પરંતુ તેમાંથી પાંચ લોકો હાલ જામીન પર બહાર છે. 


ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી 

આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી. આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.  આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તે જણાવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે.             

એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી સુકાયા પરિવારના આંસુ 

જે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે વખતે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર હાજર હતા. પ્રશ્ન એ વખતે પણ એ જ હતો કે કેટલા લોકો બ્રિજ પર ઉભા રહી શકે તે સંખ્યા નક્કી કરવામાં આવી ન હતી. ભીડને રોકવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સૌથી પહેલી અને અગત્યની વાત તો એ છે કે કોની પરવાનગીથી આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવ્યો? સુરક્ષા કર્મીઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષ તો પૂર્ણ થઈ ગયું પરંતુ પરિવારને ન્યાય નથી મળ્યો, પરિવારના આંસુ હજી નથી સુકાયા...     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.