Morbi Bridge Collapsed : SITના રિપોર્ટમાં થયો ખુલાસો. બ્રિજ દુર્ઘટના પાછળ ઓરેવા કંપની જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-10-10 16:44:29

દિવાળીના સમયે મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પૂલ તૂટી જવાને કારણે અંદાજીત 135 જેટલા લોકોના મોત થયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાયો હતો. ત્યારે આ કેસને લઈ મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ આવી ચૂક્યો છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે જે મુજબ દુર્ઘટના માટે ઓરેવા કંપની સંપૂર્ણપણે જવાબદાર છે. એસઆઈટીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 

Morbi Cable Bridge : મોરબીની દુર્ઘટના વિશે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

Morbi Bridge Collapse: ભગવાન રાજી નહીં હોય એટલે આ દુર્ઘટના બની, ઓરેવા  કંપનીનાં મેનેજરના નિવેદનથી લોહી ઉકળી ઉઠશે

ઓરેવા કંપની આ ઘટના પાછળ જવાબદાર 

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોય તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આવી ગંભીર બેદકરકારી પાછળ ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર છે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે.  


મોરારી બાપુએ મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈ આપ્યું હતું નિવેદન 

આ બધા વચ્ચે કથાકાર મોરારી બાપુનું એક નિવેદન આપ્યું છે. આ બધુ થયું એના પહેલા એક ઘટના ઘટી. મોરારિ બાપુએ ગઈકાલે મોરબીમાં કથા કરી તે પહેલા જે લોકોના પરિજનો આ દુર્ઘટનામાં ગુજર્યા તેમની મુલાકાત લીધી હતી. પછી કથા યોજાઈ હતી જેમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયા પણ જોડાયા હતા. ત્યારે મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે હું મૃતકોના પરિવારને મળ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે અદાલતમાં જે થાય એમાં તો કોઈ કંઈ બોલી ન શકે પણ આરોપીઓ છે કે જેના પર આક્ષેપો થયા છે એના પરિવારવાળા સરખાયે દિવેળી ઉજવે એવું અમે ઈચ્છીએ છીએ. મોરારી બાપુના નિવેદન પછી વિવાદ થયો છે. મોરબી ટ્રેજડી વિક્ટિમ એસોશિયેશનના સભ્ય નરેન્દ્રભાઈ પરમારે મોરારિબાપુના આ નિવેદનને વાહિયાત ગણાવ્યું છે એવી વાતો કરવામાં આવી રહી છે. સામેની બાજુ રામ કથામાં હાજર રહેવા માટે આયોજકોએ મૃતકોના પરિવારજનોને આવવા માટે કહ્યું હતું પણ 112 મૃતકોના પરિજનો રામ કથામાં નહોતા આવ્યા. રામ કથા મામલે પણ મૃતકોના પરિજનો સવાલો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રામકથાનો આશય અમને સમજાઈ ગયો છે. 

મોરબી

135 લોકોના થયા હતા આ દુર્ઘટનામાં મોત 

અનેક એવા કિસ્સાઓ આપણા જીવનમાં બનતા હોય છે જેને કદાચ ભૂલવું અશક્ય હોય છે. અનેક એવી ઘટનાઓ આપણા માનસપટ પર અંકિત થઈ ગઈ હોય છે કે તેની છાપ જીવનભર આપણી સાથે રહેતી હોય છે. એવી જ એક દુર્ઘટના દિવાળી સમયે મોરબીમાં બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. દિવાળીનો સમય હતો જેને કારણે પુલ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પુલ અચાનક પડી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આખી ઘટનાને ફરી યાદ નથી કરવી.

મોરબી

મોરબીનો તૂટી પડેલો પુલ

રિપોર્ટમાં શું કરાયો છે ઉલ્લેખ?

આ ઘટનાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તે તપાસ કરી રહી હતી. ત્યારે આ મામલે આજે એસઆઈટીએ રિપોર્ટ જાહેર કર્યો છે અને આ ઘટના પાછળ ઓરેવા કંપની જવાબદાર છે તેવી માહિતી આપી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર છે તેવો ઉલ્લેખ રિપોર્ટમાં કરાયો છે. ઘટનાની જાણ થતાં પીએમ મોદી પણ મોરબી પહોંચ્યા હતા.

પુલની મુલાકાત લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.