Morbi Bridge Collapsed : જયસુખ પટેલને Supreme Courtએ આપ્યો ઝટકો, જામીન અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈન્કાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 13:38:12

ગયા વર્ષે 30મી ઓક્ટોબરે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીમાં બનેલો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. એક તરફ લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મોરબી બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જયસુખ પટેલની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.

 


જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર 

મોરબી બ્રિજ અકસ્માત મામલે મોટી અપડેટ સામે આવી છે. દિવાળી વખતે મોરબી ઝુલતા બ્રિજ સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓરેવા કંપનીના જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન અરજી પર સુનાવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી