Morbi Bridge Collapsed : જયસુખ પટેલને Supreme Courtએ આપ્યો ઝટકો, જામીન અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈન્કાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 13:38:12

ગયા વર્ષે 30મી ઓક્ટોબરે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીમાં બનેલો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. એક તરફ લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મોરબી બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જયસુખ પટેલની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.

 


જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર 

મોરબી બ્રિજ અકસ્માત મામલે મોટી અપડેટ સામે આવી છે. દિવાળી વખતે મોરબી ઝુલતા બ્રિજ સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓરેવા કંપનીના જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન અરજી પર સુનાવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.