મોરબી દુર્ઘટના: 135 લોકોના મોત માટે જવાબદાર જયસુખ પટેલે માગ્યા આગોતરા જામીન


  • Published By :
  • Published Date : 2023-01-20 19:17:57

મોરબી બ્રીજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે?, ઝુલતો પુલ તૂટી પડવાની આ ભયાનક દુર્ઘટનાને ઘટનાના કારણે 135 લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર મોરબી કરૂણાંતિકા માટે જવાબદાર ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ હજુ પણ લાપત્તા છે. પોલીસ તેમને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. જો કે હવે જયસુખ પટેલે જામીન માટે અરજી કરી છે.


જયસુખ પટેલની આગોતરા જામીન માટે અરજી


મોરબી સેસન્સ કોર્ટમાં જયસુખ પટેલે કોર્ટ પાસે પોતાના આગોતરા જામીન માટેની અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે. આ સંદર્ભે હવે આગામી દિવસમાં કોર્ટ શું નિર્ણય કરશે તે પણ સામે આવશે. ઉલ્લેખનિય છે કે ઓરેવાનાં મેનેજર સહિત 9 લોકોના નામ છે. 


આ 9 લોકોની થઈ છે ધરપકડ


ગત 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા.


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકાર અચાનક જાગી હતી અને કોર્ટે આપેલા નિર્દેષો પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યમાં પુલોના ઈન્પેક્શન માટે સરકારે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં ક્ષતિગ્રસ્ત અથવા તો રિપેરિંગ માંગતા હોય તેવા પુલને તાત્કાલિક રીપેર કરવા સરકારે આદેશ આપ્યાં છે. તે ઉપરાંત આ પ્રકારના પુલ જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સિંહ ઝાલાને ચાર્જ શીટ અપાઈ છે. જ્યારે મોરબી નગરપાલિકાને ડીઝોલ્યુશનની કારણદર્શક નોટિસ અપાઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.