મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર, મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ થયા હાજર


  • Published By :
  • Published Date : 2023-01-31 17:20:33

સમગ્ર રાજ્ય અને દેશભરમાં હાહાકાર મચાવી દેનારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના એમ ડી જયસુખ પટેલે આજે મોરબી સેશન્સ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું છે. મોરબી દુર્ઘટના બાદ  તેઓ ફરાર થઈ ગયા હતા. આ બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા, મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. ઝૂલતા બ્રિજના રિનોવેશનની કામગીરી ઓરેવા કંપનીએ કરી હતી. આ કામમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી, અને વધુ સુનાવણી તા. 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તે જ રીતે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. જો કે તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. એવું માનવામાં આવે છે કે જયસુખ પટેલે ધરપકડ ટાળવા માટે જ સરેન્ડર કર્યું છે.  


ધરપકડ વોરંટ ઈશ્યુ થયું હતું 


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી હતી અને હવે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં આજે જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે.


ચાર્જશીટમાં શું આરોપો હતા?


તાજેતરમાં જ 27મી જાન્યુઆરીએ પોલીસ દ્વારા મોરબી પુલ દુર્ઘટના મામલે મોરબી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડુ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, મોરબી ઝૂલતા પુલના મેનેજમેન્ટ, મેન્ટેનન્સ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્વારા 15 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો.15 વર્ષના માટે બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે. ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. 


135 લોકોના મોત થયા હતા


મોરબી શહેરની ઓળખ અને લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ મનાતો  ઝૂલતા પુલ ગત 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી પડ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ સમગ્ર સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દુર્ઘટના બાદ બ્રિજના સમારકામ માટે જવાબદાર ઓરેવા ગ્રુપના એમ ડી  જયસુખ પટેલ ફરાર થઈ ગયા હતા. હાઈકોર્ટમાં પણ જનહિતની અરજીઓ થઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યાર બાદ સરકાર પર પણ જયસુખ પટેલને પકડવા માટે દબાણ હતું. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.