મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની વ્હારે આવ્યા કોંગ્રેસના આ ત્રણ પાટીદાર નેતા


  • Published By :
  • Published Date : 2023-10-23 15:09:14

ગુજરાતને હચમચાવી નાખનારી મોરબી બ્રિજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે? આ ભયાનક કરૂણાંતિકામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપ પાસે હતો, તેથી સ્વાભાવિક રીતે જ આ ગ્રૂપના માલિક જયસુખ પટેલ સહિતના અન્ય દશ લોકો પર કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. હવે આ મામલો કોંગ્રેસના ત્રણ નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો તેમની વ્હારે આવ્યા છે. આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમની સામે ચાલી રહેલી SITની તપાસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જોવાની વાત તો એ છે કે કોંગ્રેસના આ નેતાઓએ તેમની પાર્ટીથી અલગ રહીને જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે આ મામલે મોરબી કલેક્ટરથી લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.


ઉગ્ર આંદોલન કરવામાં આવશે- લલિત કગથરા


કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ જયસુખ પટેલનું સમર્થન કરતા કહ્યું કે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. 1995થી 2007 વચ્ચે 2 વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. 2022ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કગથરાએ વધુમાં કહ્યું કે, કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહેમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે, માત્ર ઓરેવા ગ્રુપને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવે છે: કિરીટ પટેલ


કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે, ઈરાદાપૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે.


ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવાયું: લલિત વસોયા


ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું કે, સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ.  લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર, ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. લલિત વસોયાએ કહ્યું કે, મોરબી દુર્ઘટના સમયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં હતી. તેથી સરકારે પોતાની બેદરકારી પર ઢાંક પિછોડો કરવા માટે ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવ્યું છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.