મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની વ્હારે આવ્યા કોંગ્રેસના આ ત્રણ પાટીદાર નેતા


  • Published By :
  • Published Date : 2023-10-23 15:09:14

ગુજરાતને હચમચાવી નાખનારી મોરબી બ્રિજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે? આ ભયાનક કરૂણાંતિકામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપ પાસે હતો, તેથી સ્વાભાવિક રીતે જ આ ગ્રૂપના માલિક જયસુખ પટેલ સહિતના અન્ય દશ લોકો પર કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. હવે આ મામલો કોંગ્રેસના ત્રણ નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો તેમની વ્હારે આવ્યા છે. આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમની સામે ચાલી રહેલી SITની તપાસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જોવાની વાત તો એ છે કે કોંગ્રેસના આ નેતાઓએ તેમની પાર્ટીથી અલગ રહીને જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે આ મામલે મોરબી કલેક્ટરથી લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.


ઉગ્ર આંદોલન કરવામાં આવશે- લલિત કગથરા


કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ જયસુખ પટેલનું સમર્થન કરતા કહ્યું કે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. 1995થી 2007 વચ્ચે 2 વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. 2022ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કગથરાએ વધુમાં કહ્યું કે, કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહેમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે, માત્ર ઓરેવા ગ્રુપને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવે છે: કિરીટ પટેલ


કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે, ઈરાદાપૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે.


ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવાયું: લલિત વસોયા


ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું કે, સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ.  લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર, ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. લલિત વસોયાએ કહ્યું કે, મોરબી દુર્ઘટના સમયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં હતી. તેથી સરકારે પોતાની બેદરકારી પર ઢાંક પિછોડો કરવા માટે ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવ્યું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી