"मैयत का नाम हाकिम ने जश्न रख दिया, रोती है अब रियाया ताली बजा बजा के"


  • Published By :
  • Published Date : 2022-11-01 14:59:39

જીંદગીઓ બેરંગ હતી, પણ હોસ્પિટલને રંગ ચડાવ્યો
જ્યાં હજુ સુધી લાશો હતી, ત્યાં નવી ચાદરો ચડાવી
પીએમને આવા સમયે પણ ખુશ કરવાની ઈચ્છા કોને થઈ હશે?
શું માણસાઈથી પર હોય છે રાજનીતિ?

એક બાજુ મોરબીની દુર્ઘટના અને પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં રહીને લોકાર્પણના નામે ચૂંટણીલક્ષી ભાષણો સાંભળીને સભાન ગુજરાતી આશ્ચર્યમાં છે, જેમણે પીએમને પોતાના માન્યા એ સમજી નથી રહ્યા કે માત્ર કર્તવ્યના નામે જો તમારી શૉ મસ્ટ ગો ઓનની જેમ કામ ચાલુ જ રાખવા હતા તો પછી સરદાર સાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને ગુજરાત નહી સાંખે એવા રાજકીય ભાષણોની ક્યાં જરૂર હતી.

ક્યાં જરૂર હતી જર્જર હોસ્પિટલના રંગરોગાનની?
ક્યાં જરૂર હતી સાજ-સજાવટની?
ક્યાં જરૂર હતી આ નાટકોની?

અમે હેરાન છીએ, પરેશાન છીએ, અમારી સમજશક્તિની બહાર છે કે આવા સમયે કેવી રીતે કોઈ આટલું અસંવેદનશીલ બનીને હોસ્પિટલનું રંગરોગાન કરાવી શકે, મોરબી સિવીલ ખસ્તા હાલમાં છે, નગરપાલીકા પાસે સાધનો નથી, બધું જ સાચું પણ પીએમને બતાડવા દેખાડા કરવાના આ આઈડીયા કોણ લાવતું હશે! આ આઈડીયાઝ સ્વિકારતું પણ કોણ હશે? અને શું પ્રધાનમંત્રી ખુશ થતા હશે આનાથી?

ચૂંટણીમાં જે કરો એ પણ આવા સમયે ઉત્સવો ના હોય, ના બિનજરૂરી દેખાડા હોય. સંવેદનાની કસોટીમાં તમે નિષ્ફળ રહ્યા છો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.