"मैयत का नाम हाकिम ने जश्न रख दिया, रोती है अब रियाया ताली बजा बजा के"


  • Published By :
  • Published Date : 2022-11-01 14:59:39

જીંદગીઓ બેરંગ હતી, પણ હોસ્પિટલને રંગ ચડાવ્યો
જ્યાં હજુ સુધી લાશો હતી, ત્યાં નવી ચાદરો ચડાવી
પીએમને આવા સમયે પણ ખુશ કરવાની ઈચ્છા કોને થઈ હશે?
શું માણસાઈથી પર હોય છે રાજનીતિ?

એક બાજુ મોરબીની દુર્ઘટના અને પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં રહીને લોકાર્પણના નામે ચૂંટણીલક્ષી ભાષણો સાંભળીને સભાન ગુજરાતી આશ્ચર્યમાં છે, જેમણે પીએમને પોતાના માન્યા એ સમજી નથી રહ્યા કે માત્ર કર્તવ્યના નામે જો તમારી શૉ મસ્ટ ગો ઓનની જેમ કામ ચાલુ જ રાખવા હતા તો પછી સરદાર સાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને ગુજરાત નહી સાંખે એવા રાજકીય ભાષણોની ક્યાં જરૂર હતી.

ક્યાં જરૂર હતી જર્જર હોસ્પિટલના રંગરોગાનની?
ક્યાં જરૂર હતી સાજ-સજાવટની?
ક્યાં જરૂર હતી આ નાટકોની?

અમે હેરાન છીએ, પરેશાન છીએ, અમારી સમજશક્તિની બહાર છે કે આવા સમયે કેવી રીતે કોઈ આટલું અસંવેદનશીલ બનીને હોસ્પિટલનું રંગરોગાન કરાવી શકે, મોરબી સિવીલ ખસ્તા હાલમાં છે, નગરપાલીકા પાસે સાધનો નથી, બધું જ સાચું પણ પીએમને બતાડવા દેખાડા કરવાના આ આઈડીયા કોણ લાવતું હશે! આ આઈડીયાઝ સ્વિકારતું પણ કોણ હશે? અને શું પ્રધાનમંત્રી ખુશ થતા હશે આનાથી?

ચૂંટણીમાં જે કરો એ પણ આવા સમયે ઉત્સવો ના હોય, ના બિનજરૂરી દેખાડા હોય. સંવેદનાની કસોટીમાં તમે નિષ્ફળ રહ્યા છો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .