Morbi : દલિત યુુવકે માગ્યો પગાર, દલિત યુવકના મોઢામાં નખાવ્યું ચપ્પલ, માર્યો ઢોર માર, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 14:44:23

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 

પગાર માગ્યો તો યુવકને મારવામાં આવ્યો ઢોર માર! 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સોએ સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો. નિલેશને નોકરી પર આવવાની ના કહેતા નીલેશે મહિનો પૂરો થતા પગાર માંગ્યો. 2થી 3 વાર માલિક પાસે પૈસા માંગ્યા તો પણ પગાર ના કર્યો એટલે નિલેશ ત્યાં ઓફિસ ગયો. તો તેની સાથે અમાન્વીય વર્તન કરી તેને પશુને જેમ મારવામાં આવ્યો એટલુજ નઈ તેના મોઢામાં ચપ્પલ લેવડાવ્યા વીડિયો બન્યા અને જાતિગત સતામણી પણ કરી! 



રાજ્ય બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી હોય છે!

હાલ તો મોરબી સીટીએ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમાં જે રાણીબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તો સોશ્યલ મીડિયા પર લેડી ડોન બનીને બેઠા છે. જેટલી પણ પોસ્ટ જોઈ એ જોઇને ખ્યાલ આવ્યો કે આ બેન પોતાને ડોન બતાવવા શું શું કરે છે. તો એક યુવાનને મારવો એ તો એમની ઉપલબ્ધિ હોય ને! આ બધી ઘટનાઓ તપાસ સુઘી જ સીમિત રહી જાય છે કારણકે મધ્યપ્રદેશમાં પેશાબકાંડ હોય કે પછી ગુજરાતના નાના નાના ગામડાઓમાં માત્ર એક છોકરાને મૂછો રાખવા પર ઢોરની જેમ માર મારવાની ઘટના હોય. રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી છે. કશું જ બદલાતું નથી.. 

 મોરબી: શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જોકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. (તસવીર- raniba__7 ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી)


ક્યાં સુધી ધર્મ અને જાતિના નામ પર લોકો પર કરાશે અત્યાચાર 

આ ધર્મ અને જાતિ નામના શબ્દો આપણા મગજમાં એવા ઘર કરી ગયા છે કે અહમ અને અહંકારને રોજ પોષે છે. અને છેલ્લે પીડાવું પડે છે વ્યક્તિને જે સો કોલ્ડ સોસાયટીમાં નીચી જાતિથી આવે છે. એની ભૂલ શું કે એનો જન્મ ફલાણા ધર્મના પરિવારમાં થયો કે ફલાની જાતિના પરિવારમાં થયો? આપણે મોટી મોટી વાતો કરીયે છીએ, વિશ્વ ગુરુ બનવાનાં સપનાંઓ જોઈએ છે પણ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા શું છે તે આપણને પણ ખબર છે! આવા તત્વો અને આવા લોકો કેમ અને કઈ રીતે સુધરશે એ ખબર નથી પણ કોઈ પણ માણસને આ સહન ન કરવું પડે એવી આશા છે. 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.