Morbi : દલિત યુુવકે માગ્યો પગાર, દલિત યુવકના મોઢામાં નખાવ્યું ચપ્પલ, માર્યો ઢોર માર, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 14:44:23

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 

પગાર માગ્યો તો યુવકને મારવામાં આવ્યો ઢોર માર! 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સોએ સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો. નિલેશને નોકરી પર આવવાની ના કહેતા નીલેશે મહિનો પૂરો થતા પગાર માંગ્યો. 2થી 3 વાર માલિક પાસે પૈસા માંગ્યા તો પણ પગાર ના કર્યો એટલે નિલેશ ત્યાં ઓફિસ ગયો. તો તેની સાથે અમાન્વીય વર્તન કરી તેને પશુને જેમ મારવામાં આવ્યો એટલુજ નઈ તેના મોઢામાં ચપ્પલ લેવડાવ્યા વીડિયો બન્યા અને જાતિગત સતામણી પણ કરી! 



રાજ્ય બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી હોય છે!

હાલ તો મોરબી સીટીએ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમાં જે રાણીબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તો સોશ્યલ મીડિયા પર લેડી ડોન બનીને બેઠા છે. જેટલી પણ પોસ્ટ જોઈ એ જોઇને ખ્યાલ આવ્યો કે આ બેન પોતાને ડોન બતાવવા શું શું કરે છે. તો એક યુવાનને મારવો એ તો એમની ઉપલબ્ધિ હોય ને! આ બધી ઘટનાઓ તપાસ સુઘી જ સીમિત રહી જાય છે કારણકે મધ્યપ્રદેશમાં પેશાબકાંડ હોય કે પછી ગુજરાતના નાના નાના ગામડાઓમાં માત્ર એક છોકરાને મૂછો રાખવા પર ઢોરની જેમ માર મારવાની ઘટના હોય. રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી છે. કશું જ બદલાતું નથી.. 

 મોરબી: શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જોકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. (તસવીર- raniba__7 ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી)


ક્યાં સુધી ધર્મ અને જાતિના નામ પર લોકો પર કરાશે અત્યાચાર 

આ ધર્મ અને જાતિ નામના શબ્દો આપણા મગજમાં એવા ઘર કરી ગયા છે કે અહમ અને અહંકારને રોજ પોષે છે. અને છેલ્લે પીડાવું પડે છે વ્યક્તિને જે સો કોલ્ડ સોસાયટીમાં નીચી જાતિથી આવે છે. એની ભૂલ શું કે એનો જન્મ ફલાણા ધર્મના પરિવારમાં થયો કે ફલાની જાતિના પરિવારમાં થયો? આપણે મોટી મોટી વાતો કરીયે છીએ, વિશ્વ ગુરુ બનવાનાં સપનાંઓ જોઈએ છે પણ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા શું છે તે આપણને પણ ખબર છે! આવા તત્વો અને આવા લોકો કેમ અને કઈ રીતે સુધરશે એ ખબર નથી પણ કોઈ પણ માણસને આ સહન ન કરવું પડે એવી આશા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.