Morbi : દલિત યુુવકે માગ્યો પગાર, દલિત યુવકના મોઢામાં નખાવ્યું ચપ્પલ, માર્યો ઢોર માર, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 14:44:23

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 

પગાર માગ્યો તો યુવકને મારવામાં આવ્યો ઢોર માર! 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સોએ સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો. નિલેશને નોકરી પર આવવાની ના કહેતા નીલેશે મહિનો પૂરો થતા પગાર માંગ્યો. 2થી 3 વાર માલિક પાસે પૈસા માંગ્યા તો પણ પગાર ના કર્યો એટલે નિલેશ ત્યાં ઓફિસ ગયો. તો તેની સાથે અમાન્વીય વર્તન કરી તેને પશુને જેમ મારવામાં આવ્યો એટલુજ નઈ તેના મોઢામાં ચપ્પલ લેવડાવ્યા વીડિયો બન્યા અને જાતિગત સતામણી પણ કરી! 



રાજ્ય બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી હોય છે!

હાલ તો મોરબી સીટીએ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમાં જે રાણીબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તો સોશ્યલ મીડિયા પર લેડી ડોન બનીને બેઠા છે. જેટલી પણ પોસ્ટ જોઈ એ જોઇને ખ્યાલ આવ્યો કે આ બેન પોતાને ડોન બતાવવા શું શું કરે છે. તો એક યુવાનને મારવો એ તો એમની ઉપલબ્ધિ હોય ને! આ બધી ઘટનાઓ તપાસ સુઘી જ સીમિત રહી જાય છે કારણકે મધ્યપ્રદેશમાં પેશાબકાંડ હોય કે પછી ગુજરાતના નાના નાના ગામડાઓમાં માત્ર એક છોકરાને મૂછો રાખવા પર ઢોરની જેમ માર મારવાની ઘટના હોય. રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી છે. કશું જ બદલાતું નથી.. 

 મોરબી: શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જોકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. (તસવીર- raniba__7 ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી)


ક્યાં સુધી ધર્મ અને જાતિના નામ પર લોકો પર કરાશે અત્યાચાર 

આ ધર્મ અને જાતિ નામના શબ્દો આપણા મગજમાં એવા ઘર કરી ગયા છે કે અહમ અને અહંકારને રોજ પોષે છે. અને છેલ્લે પીડાવું પડે છે વ્યક્તિને જે સો કોલ્ડ સોસાયટીમાં નીચી જાતિથી આવે છે. એની ભૂલ શું કે એનો જન્મ ફલાણા ધર્મના પરિવારમાં થયો કે ફલાની જાતિના પરિવારમાં થયો? આપણે મોટી મોટી વાતો કરીયે છીએ, વિશ્વ ગુરુ બનવાનાં સપનાંઓ જોઈએ છે પણ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા શું છે તે આપણને પણ ખબર છે! આવા તત્વો અને આવા લોકો કેમ અને કઈ રીતે સુધરશે એ ખબર નથી પણ કોઈ પણ માણસને આ સહન ન કરવું પડે એવી આશા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.