Morbi : દલિત યુુવકે માગ્યો પગાર, દલિત યુવકના મોઢામાં નખાવ્યું ચપ્પલ, માર્યો ઢોર માર, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 14:44:23

ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો. 

પગાર માગ્યો તો યુવકને મારવામાં આવ્યો ઢોર માર! 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સોએ સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો. નિલેશને નોકરી પર આવવાની ના કહેતા નીલેશે મહિનો પૂરો થતા પગાર માંગ્યો. 2થી 3 વાર માલિક પાસે પૈસા માંગ્યા તો પણ પગાર ના કર્યો એટલે નિલેશ ત્યાં ઓફિસ ગયો. તો તેની સાથે અમાન્વીય વર્તન કરી તેને પશુને જેમ મારવામાં આવ્યો એટલુજ નઈ તેના મોઢામાં ચપ્પલ લેવડાવ્યા વીડિયો બન્યા અને જાતિગત સતામણી પણ કરી! 



રાજ્ય બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી હોય છે!

હાલ તો મોરબી સીટીએ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમાં જે રાણીબાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ તો સોશ્યલ મીડિયા પર લેડી ડોન બનીને બેઠા છે. જેટલી પણ પોસ્ટ જોઈ એ જોઇને ખ્યાલ આવ્યો કે આ બેન પોતાને ડોન બતાવવા શું શું કરે છે. તો એક યુવાનને મારવો એ તો એમની ઉપલબ્ધિ હોય ને! આ બધી ઘટનાઓ તપાસ સુઘી જ સીમિત રહી જાય છે કારણકે મધ્યપ્રદેશમાં પેશાબકાંડ હોય કે પછી ગુજરાતના નાના નાના ગામડાઓમાં માત્ર એક છોકરાને મૂછો રાખવા પર ઢોરની જેમ માર મારવાની ઘટના હોય. રાજ્યો બદલાય છે પરંતુ પરિસ્થિતિ સરખી છે. કશું જ બદલાતું નથી.. 

 મોરબી: શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે. જોકે, આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. આટલું જ નહીં તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. (તસવીર- raniba__7 ના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી)


ક્યાં સુધી ધર્મ અને જાતિના નામ પર લોકો પર કરાશે અત્યાચાર 

આ ધર્મ અને જાતિ નામના શબ્દો આપણા મગજમાં એવા ઘર કરી ગયા છે કે અહમ અને અહંકારને રોજ પોષે છે. અને છેલ્લે પીડાવું પડે છે વ્યક્તિને જે સો કોલ્ડ સોસાયટીમાં નીચી જાતિથી આવે છે. એની ભૂલ શું કે એનો જન્મ ફલાણા ધર્મના પરિવારમાં થયો કે ફલાની જાતિના પરિવારમાં થયો? આપણે મોટી મોટી વાતો કરીયે છીએ, વિશ્વ ગુરુ બનવાનાં સપનાંઓ જોઈએ છે પણ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા શું છે તે આપણને પણ ખબર છે! આવા તત્વો અને આવા લોકો કેમ અને કઈ રીતે સુધરશે એ ખબર નથી પણ કોઈ પણ માણસને આ સહન ન કરવું પડે એવી આશા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.