Morbi : કાર્યક્રમમાં કચ્છના Vinod Chavda અને ધારાસભ્ય Kanti Amrutiyaને સ્ટેજ પર કાર્યકરોએ ખખડાવ્યા? જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 15:28:07

ગુજરાત જાણે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગે છે... મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે... મતદાતાને રિઝવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે..ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...! 

ધાર્મિક કાર્યક્રમમાં નેતાઓએ આપી હતી હાજરી

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી....


સમસ્યાને લઈ કહી આ વાત..

સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી.. જેનો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલું છે, જલ્દીથી થઈ જશે. બીજુ ઘણુ બધુ કહ્યું અને એવું પણ કહ્યું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. 



કાર્યકર્તા ચઢી ગયો સ્ટેજ પર અને.. 

આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું....પણ ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચાલું રાખતા કહ્યું કે, બે વર્ષથી ધક્કા ખવડાવો છો... હવે આશા રાખીએ કે ધક્કા ન ખવડાવો અને કામ કરો... જાહેરમંચ પરથી ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ આવુ મોઢામોઢ કહી દીધું... કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાના હાથમાંથી માઈક લઈ લીધુ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો... 


શું ભાજપમાં શરૂ થઈ નવી પ્રથા?

આ ઘટનાક્રમ અને અગાઉ ભાજપના આંતરિક કલહ અંતર્ગત થયેલા અનેક વિરોધ પ્રદર્શનો પરથી એક વાત તો ચોક્કસ છે કે શિસ્ત બદ્ધ પાર્ટીમાં ક્યારેય આવી રીતે તો કાર્યકર્તાઓએ નેતાઓને ખખડાવ્યા નથી... પણ આ ભાજપમાં નવી શરુઆત છે.. ખેર, આશા રાખીએ કે જનતાના કામ સત્વરે પૂર્ણ થાય.... 



ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.