Morbi : કાર્યક્રમમાં કચ્છના Vinod Chavda અને ધારાસભ્ય Kanti Amrutiyaને સ્ટેજ પર કાર્યકરોએ ખખડાવ્યા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-02 15:28:07

ગુજરાત જાણે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગે છે... મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે... મતદાતાને રિઝવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે..ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...! 

ધાર્મિક કાર્યક્રમમાં નેતાઓએ આપી હતી હાજરી

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી....


સમસ્યાને લઈ કહી આ વાત..

સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી.. જેનો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલું છે, જલ્દીથી થઈ જશે. બીજુ ઘણુ બધુ કહ્યું અને એવું પણ કહ્યું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. 



કાર્યકર્તા ચઢી ગયો સ્ટેજ પર અને.. 

આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું....પણ ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચાલું રાખતા કહ્યું કે, બે વર્ષથી ધક્કા ખવડાવો છો... હવે આશા રાખીએ કે ધક્કા ન ખવડાવો અને કામ કરો... જાહેરમંચ પરથી ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ આવુ મોઢામોઢ કહી દીધું... કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાના હાથમાંથી માઈક લઈ લીધુ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો... 


શું ભાજપમાં શરૂ થઈ નવી પ્રથા?

આ ઘટનાક્રમ અને અગાઉ ભાજપના આંતરિક કલહ અંતર્ગત થયેલા અનેક વિરોધ પ્રદર્શનો પરથી એક વાત તો ચોક્કસ છે કે શિસ્ત બદ્ધ પાર્ટીમાં ક્યારેય આવી રીતે તો કાર્યકર્તાઓએ નેતાઓને ખખડાવ્યા નથી... પણ આ ભાજપમાં નવી શરુઆત છે.. ખેર, આશા રાખીએ કે જનતાના કામ સત્વરે પૂર્ણ થાય.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે