Morbi : કાર્યક્રમમાં કચ્છના Vinod Chavda અને ધારાસભ્ય Kanti Amrutiyaને સ્ટેજ પર કાર્યકરોએ ખખડાવ્યા? જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-02 15:28:07

ગુજરાત જાણે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું હોય તેવું લાગે છે... મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે... મતદાતાને રિઝવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે..ચૂંટણી પ્રચાર માટે કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચ્યા હતા મોરબીમાં ચાલતા શક્તિધામ મંદિરમાં... સ્ટેજ પર પહોંચીને ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓને ભાજપના બંને નેતાઓને જાહેરમંચ પરથી ખખડાવી નાંખ્યા...! 

ધાર્મિક કાર્યક્રમમાં નેતાઓએ આપી હતી હાજરી

મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ હાજરી આપી હતી. ત્યારે સતવારા સમાજના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેને લઈ સ્ટેજ પર જોવા જેવી થઈ હતી....


સમસ્યાને લઈ કહી આ વાત..

સ્ટેજ પરથી સમાજ આગેવાનોએ વાડી-વિસ્તારમાં આજની તારીખે ટપાલ આવતી નથી, લાઈટ કનેક્શન નથી મળતા અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો બાકી છે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વહેલી તકે કામ કરાવી આપજો તેવી આપીલ કરી હતી.. જેનો જવાબ આપતા કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કામ ચાલું છે, જલ્દીથી થઈ જશે. બીજુ ઘણુ બધુ કહ્યું અને એવું પણ કહ્યું કે, આચારસંહિતાના કારણે અત્યારે બોલવામાં મર્યાદા હોય કેમ કે વીડિયો ઉતરતો હોય. 



કાર્યકર્તા ચઢી ગયો સ્ટેજ પર અને.. 

આ ધાર્મિક છે એટલે આપણે કંઈ ચર્ચા કરવી નથી. રાત્રે હું આવીશ અને આ મંદિર ઉપર બેસીને આપણે ચર્ચા કરીશું....પણ ધારાસભ્ય સામે આગેવાનોએ પ્રશ્નોનો મારો ચાલું રાખતા કહ્યું કે, બે વર્ષથી ધક્કા ખવડાવો છો... હવે આશા રાખીએ કે ધક્કા ન ખવડાવો અને કામ કરો... જાહેરમંચ પરથી ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ આવુ મોઢામોઢ કહી દીધું... કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાના હાથમાંથી માઈક લઈ લીધુ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો... 


શું ભાજપમાં શરૂ થઈ નવી પ્રથા?

આ ઘટનાક્રમ અને અગાઉ ભાજપના આંતરિક કલહ અંતર્ગત થયેલા અનેક વિરોધ પ્રદર્શનો પરથી એક વાત તો ચોક્કસ છે કે શિસ્ત બદ્ધ પાર્ટીમાં ક્યારેય આવી રીતે તો કાર્યકર્તાઓએ નેતાઓને ખખડાવ્યા નથી... પણ આ ભાજપમાં નવી શરુઆત છે.. ખેર, આશા રાખીએ કે જનતાના કામ સત્વરે પૂર્ણ થાય.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.