બ્રેકિંગ ન્યૂઝ! મોરબી નગરપાલિકા સુપરસીડ થઈ, એડમિનિસ્ટ્રેટરની કરાઇ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-04-11 20:44:26

આખરે મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે. નગરપાલિકાના વહીવટ માટે ખાસ એડમિનિસ્ટ્રેટર તરીકે અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના બાદથી જ મોરબી નગરપાલિકા પર સુપરસીડની તલવાર લટકતી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.


મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, 30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી. હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું. જોકે દુર્ઘટનાને ઘણો સમય વીત્યા બાદ આજે નગરપાલિકા સુપરસીડ કર્યાના સમાચાર આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યા છે.


સરકારે માગ્યો હતો જવાબ


મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ અંગે હિલચાલ જોવા મળી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી? તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિતમાં જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવા માટે એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું હતું. તેના જવાબમાં પાલિકા સુપરસીડ ન કરવા વિનંતી કરાઈ હતી. જોકે આ મામલે 25 સભ્યોની મોરબી  નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ સભ્યો જવાબ આપવાથી સતત બચતા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે