બ્રેકિંગ ન્યૂઝ! મોરબી નગરપાલિકા સુપરસીડ થઈ, એડમિનિસ્ટ્રેટરની કરાઇ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-04-11 20:44:26

આખરે મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે. નગરપાલિકાના વહીવટ માટે ખાસ એડમિનિસ્ટ્રેટર તરીકે અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના બાદથી જ મોરબી નગરપાલિકા પર સુપરસીડની તલવાર લટકતી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.


મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, 30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી. હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું. જોકે દુર્ઘટનાને ઘણો સમય વીત્યા બાદ આજે નગરપાલિકા સુપરસીડ કર્યાના સમાચાર આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યા છે.


સરકારે માગ્યો હતો જવાબ


મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ અંગે હિલચાલ જોવા મળી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી? તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિતમાં જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવા માટે એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું હતું. તેના જવાબમાં પાલિકા સુપરસીડ ન કરવા વિનંતી કરાઈ હતી. જોકે આ મામલે 25 સભ્યોની મોરબી  નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ સભ્યો જવાબ આપવાથી સતત બચતા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.