મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો, કોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-24 20:02:03

રાજ્ય સરકારે મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરતા મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી હતી. રાજ્યના શહેરી વિકાસ વિભાગે સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળને નગરપાલિકાના વહીવટદાર બનાવાયા હતા. મોરબીમાં  30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરતા રાજકીય ધરતીકંપ આવ્યો હતો. હવે આ મુદ્દે મોરબી નગરપાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે, આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. 


સરકારી વકીલે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું


મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સરકારી વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. વોરાની નિમણૂક કરાઈ હતી. સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ તાજેતરમાં જ રાજીનામુ ધરી દીધું હતું. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરી વકીલે રાજીનામું આપી દેતા વધુ એક વખત આ કેસ ચર્ચાનું કારણ બન્યો હતો.  એસ. કે. વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.


મોરબી બ્રિજ દુર્ઘટના કેસ શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી