મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો, કોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-24 20:02:03

રાજ્ય સરકારે મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરતા મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી હતી. રાજ્યના શહેરી વિકાસ વિભાગે સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળને નગરપાલિકાના વહીવટદાર બનાવાયા હતા. મોરબીમાં  30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરતા રાજકીય ધરતીકંપ આવ્યો હતો. હવે આ મુદ્દે મોરબી નગરપાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા પાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે, આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. 


સરકારી વકીલે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું હતું


મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં સરકારી વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ. કે. વોરાની નિમણૂક કરાઈ હતી. સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ તાજેતરમાં જ રાજીનામુ ધરી દીધું હતું. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરી વકીલે રાજીનામું આપી દેતા વધુ એક વખત આ કેસ ચર્ચાનું કારણ બન્યો હતો.  એસ. કે. વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.


મોરબી બ્રિજ દુર્ઘટના કેસ શું છે?


મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.