Morbiની કહેવાતી લેડી ડોન રાણીબાનું આખરે સરેન્ડર, યુવકને ચપ્પલ ચટાવડાયું હતું અને માર્યો હતો માર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 17:11:29

મોરબીની બહુચર્ચિત રાણીબા આખરે મોરબી પોલીસ સામે સરેન્ડર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. તેમાં રાણીબા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ છે. રાણીબા સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે, જોકે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે. મોરબીમાં પગાર માટે માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 આરોપીઓ સામે નોંધાઇ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના પોલીસ પકડથી દૂર હતા. 

15 દિવસના કામનો પગાર લેવા ગયો હતો યુવક 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી હતી. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ અનેક યુવકો સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો હતો. પગાર માટે જ્યારે યુવક ઓફિસે જયો ત્યારે તેની સાથે ગેરવતર્તન કરવામાં આવ્યું, તેને મારવામાં આવ્યો અને તેને ચપ્પલ પણ ચટાડવામાં આવ્યું. આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ રાણીબાની ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે માહિતી સામે આવી હતી છે કે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.  

ચકચારી કેસમાં રાણીબા સહિત પાંચ આરોપીની આગોતરા જામીન અરજીનું આજે હિયરિંગ -  Sanj Samachar

આ લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ  

15 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 


આગોતરા જામીન માટે કરી હતી અરજી પરંતુ...

મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ આજે રાણીબાને મોટો ઝાટકો મળ્યો છે. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો અને પછી ઢોર માર માર્યો હોવાની પણ વિગતો બહાર આવી હતી.


જીગ્નેશ મેવાણીએ આ અંગે આપી હતી પ્રતિક્રિયા 

આ કેસમાં પીડિત નિલેશ દલસાનિયા દલિત સમુદાયનો હોવાનું કહેવામાં આવે છે. નિલેશને આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સતત 15 દિવસના કામ દરમિયાન પટેલ પાસેથી તેના પગાર વિશે પૂછપરછ કરી હતી. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ વિશે ગમે તેમ શબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને લઈ જગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.