Morbiની કહેવાતી લેડી ડોન રાણીબાનું આખરે સરેન્ડર, યુવકને ચપ્પલ ચટાવડાયું હતું અને માર્યો હતો માર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-27 17:11:29

મોરબીની બહુચર્ચિત રાણીબા આખરે મોરબી પોલીસ સામે સરેન્ડર થઈ છે. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. રાણીબા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. તેમાં રાણીબા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ છે. રાણીબા સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે, જોકે, આ કેસનો હજુ એક આરોપી ફરાર છે. મોરબીમાં પગાર માટે માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 આરોપીઓ સામે નોંધાઇ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના પોલીસ પકડથી દૂર હતા. 

15 દિવસના કામનો પગાર લેવા ગયો હતો યુવક 

ગુજરાત સહિત દેશમાં દરરોજ દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ દલિત અત્યાચારની ઘટના સામે આવી હતી. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ અનેક યુવકો સાથે મળીને યુવકને ઢોર માર માર્યો હતો. આ યુવકનો વાંક માત્ર એટલો હતો કે, તેમણે તેમના 15 દિવસના કામનો પગાર માંગ્યો હતો. પગાર માટે જ્યારે યુવક ઓફિસે જયો ત્યારે તેની સાથે ગેરવતર્તન કરવામાં આવ્યું, તેને મારવામાં આવ્યો અને તેને ચપ્પલ પણ ચટાડવામાં આવ્યું. આ સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ રાણીબાની ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે માહિતી સામે આવી હતી છે કે રાણીબા ઉર્ફે વિભૂતી પટેલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે.  

ચકચારી કેસમાં રાણીબા સહિત પાંચ આરોપીની આગોતરા જામીન અરજીનું આજે હિયરિંગ -  Sanj Samachar

આ લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ  

15 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. 


આગોતરા જામીન માટે કરી હતી અરજી પરંતુ...

મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિભૂતિ પટેલ ઉર્ભે રાણીબા સાથે તેના ભાઈ સહિત પાંચ આરોપીઓએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ આજે રાણીબાને મોટો ઝાટકો મળ્યો છે. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ યુવાનને મોઢામાં મુકાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો અને પછી ઢોર માર માર્યો હોવાની પણ વિગતો બહાર આવી હતી.


જીગ્નેશ મેવાણીએ આ અંગે આપી હતી પ્રતિક્રિયા 

આ કેસમાં પીડિત નિલેશ દલસાનિયા દલિત સમુદાયનો હોવાનું કહેવામાં આવે છે. નિલેશને આવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સતત 15 દિવસના કામ દરમિયાન પટેલ પાસેથી તેના પગાર વિશે પૂછપરછ કરી હતી. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ વિશે ગમે તેમ શબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાને લઈ જગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. 




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.