મોરબી દુર્ઘટનાઃ પોલીસે 9 લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 18:53:40

પોલીસે નાના લોકોને પકડી લીધા, મોટા માથા કે કંપની માલિક વિશે બોલવાનું જ ટાળ્યું, પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલોનો મારો કર્યો પરંતુ મોરબી રેન્જ IGએ કંપની વિશે કે કંપનીના માલિક વિશે બોલવાનું ટાળ્યું, શું 130થી વધુ લોકોના મોત નાની ઘટના છે? વિદેશ સુધી આ દુર્ઘટનાની નોંધ લેવાની આવી છે. અનેક દેશના લોકો ભારતને સંવેદના પાઠવી રહ્યું છે અને બીજી બાજુ પોલીસ નાના લોકોને પકડીને ખુશી મેળવી હતી. 


મોરબી પોલીસે દુર્ઘટનાના 9 આરોપીની ધરપકડ કરી 

ગુજરાતની મોરબી પોલીસે દુર્ઘટના મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કાર્યવાહી મામલે અપડેટ આપ્યું હતું. મોરબી રેન્જ આઈજી અશોક યાદવે પોલીસની કામગીરી, સારવારની કામગીરી સહિતની તમામ માહિતી આપી હતી. મોરબી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હતી. કલમ 144, 304 અને 308 અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 9 જેટલા લોકોની પહેલા અટકાયત કરી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મોરબી પોલીસે કંપની કે મોટા માથા વિશે બોલવાનું ટાળ્યું

મોરબી પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ કરી છે. ઝુલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, મોરબી ઝુલતા પુલના સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ હતી. મોરબી પોલીસ જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે પત્રકારોએ પોલીસને સવાલો કર્યા હતા કે મોટા માથાઓને ક્યારે પકડવામાં આવશે ત્યારે મોરબી પોલીસે ગોળગોળ જવાબ આપીને સવાલો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે સુધી પત્રકારોના સવાલોના મોરબી પોલીસે જવાબ નહોતો આપ્યો.


જેમ કે ગઈકાલથી જ ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોટા માથાઓ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. કંપનીના માલિકો સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને એમ જ થયું. નાના લોકોને પોલીસે પકડી લીધા અને મોટા લોકો રહી ગયા. અગાઉ પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે, મોટી દુર્ઘટના સર્જાય જેમાં મોટા માથાઓ હોય છે તેમાં મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી જ નથી શકતી. નાના લોકોને પકડીને પોલીસ ખુશ થઈ જાય છે. હાલ પોલીસે એવું નિવેદન આપીને સવાલો ટાળ્યા છે કે તપાસની એક રીત હોય છે. જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે જેમ તપાસ વધશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. જે ગુજરાતના પત્રકારો કે ગુજરાતની જનતા માટે નવું નહોતું. કારણ કે હર મોટી ઘટનામાં આવા જ નિવેદનો આપવામાં આવે છે અને મોટા લોકો બચી જાય છે. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.