મોરબી દુર્ઘટનાઃ પોલીસે 9 લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 18:53:40

પોલીસે નાના લોકોને પકડી લીધા, મોટા માથા કે કંપની માલિક વિશે બોલવાનું જ ટાળ્યું, પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલોનો મારો કર્યો પરંતુ મોરબી રેન્જ IGએ કંપની વિશે કે કંપનીના માલિક વિશે બોલવાનું ટાળ્યું, શું 130થી વધુ લોકોના મોત નાની ઘટના છે? વિદેશ સુધી આ દુર્ઘટનાની નોંધ લેવાની આવી છે. અનેક દેશના લોકો ભારતને સંવેદના પાઠવી રહ્યું છે અને બીજી બાજુ પોલીસ નાના લોકોને પકડીને ખુશી મેળવી હતી. 


મોરબી પોલીસે દુર્ઘટનાના 9 આરોપીની ધરપકડ કરી 

ગુજરાતની મોરબી પોલીસે દુર્ઘટના મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કાર્યવાહી મામલે અપડેટ આપ્યું હતું. મોરબી રેન્જ આઈજી અશોક યાદવે પોલીસની કામગીરી, સારવારની કામગીરી સહિતની તમામ માહિતી આપી હતી. મોરબી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હતી. કલમ 144, 304 અને 308 અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 9 જેટલા લોકોની પહેલા અટકાયત કરી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મોરબી પોલીસે કંપની કે મોટા માથા વિશે બોલવાનું ટાળ્યું

મોરબી પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ કરી છે. ઝુલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, મોરબી ઝુલતા પુલના સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ હતી. મોરબી પોલીસ જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે પત્રકારોએ પોલીસને સવાલો કર્યા હતા કે મોટા માથાઓને ક્યારે પકડવામાં આવશે ત્યારે મોરબી પોલીસે ગોળગોળ જવાબ આપીને સવાલો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે સુધી પત્રકારોના સવાલોના મોરબી પોલીસે જવાબ નહોતો આપ્યો.


જેમ કે ગઈકાલથી જ ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોટા માથાઓ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. કંપનીના માલિકો સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને એમ જ થયું. નાના લોકોને પોલીસે પકડી લીધા અને મોટા લોકો રહી ગયા. અગાઉ પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે, મોટી દુર્ઘટના સર્જાય જેમાં મોટા માથાઓ હોય છે તેમાં મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી જ નથી શકતી. નાના લોકોને પકડીને પોલીસ ખુશ થઈ જાય છે. હાલ પોલીસે એવું નિવેદન આપીને સવાલો ટાળ્યા છે કે તપાસની એક રીત હોય છે. જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે જેમ તપાસ વધશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. જે ગુજરાતના પત્રકારો કે ગુજરાતની જનતા માટે નવું નહોતું. કારણ કે હર મોટી ઘટનામાં આવા જ નિવેદનો આપવામાં આવે છે અને મોટા લોકો બચી જાય છે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.