મોરબી દુર્ઘટના: હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ,સરકારને નોટિસ


  • Published By :
  • Published Date : 2022-11-07 13:10:26

મોરબીની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. બેદરકારીના કારણે કેટલાય માસૂમોનાં મોત થયા હતા જોકે આ બાબતે હવે હાઇકોર્ટ ઉગ્ર થઇ છે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે હવે 14 નવેમ્બરે આગામી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઇકોર્ટને પત્ર લખીને સુઓમોટો દાખલ કરવાની માંગ કરી હતી.


ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મોરબીના ચીફ ઓફિસરને મોરબી બ્રિજ દૂર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઝૂલતો પુલ જર્જરીત હાલતમાં હતો જેને કારણે ચીફ ઓફિસરની બેદરકારી સામે આવી હતી.જેથી સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 


ઓરેવા કંપનીના મલિક જયસુખ પર કોનો હાથ ?

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી અને સંચાલનનું કામ જે કંપનીનું હતું એ કંપનીના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ નથી, ઓરેવા કંપનીના મલિક જયસુખ દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સરકારે આ કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ મૂક્યું જ નથી તે આષ્ચર્યજનક છે લોક મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.