મોરબી દુર્ઘટના: હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ,સરકારને નોટિસ


  • Published By :
  • Published Date : 2022-11-07 13:10:26

મોરબીની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. બેદરકારીના કારણે કેટલાય માસૂમોનાં મોત થયા હતા જોકે આ બાબતે હવે હાઇકોર્ટ ઉગ્ર થઇ છે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે હવે 14 નવેમ્બરે આગામી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઇકોર્ટને પત્ર લખીને સુઓમોટો દાખલ કરવાની માંગ કરી હતી.


ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મોરબીના ચીફ ઓફિસરને મોરબી બ્રિજ દૂર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઝૂલતો પુલ જર્જરીત હાલતમાં હતો જેને કારણે ચીફ ઓફિસરની બેદરકારી સામે આવી હતી.જેથી સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 


ઓરેવા કંપનીના મલિક જયસુખ પર કોનો હાથ ?

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી અને સંચાલનનું કામ જે કંપનીનું હતું એ કંપનીના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ નથી, ઓરેવા કંપનીના મલિક જયસુખ દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સરકારે આ કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ મૂક્યું જ નથી તે આષ્ચર્યજનક છે લોક મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'