મોરબી દુર્ઘટના: હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ,સરકારને નોટિસ


  • Published By :
  • Published Date : 2022-11-07 13:10:26

મોરબીની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. બેદરકારીના કારણે કેટલાય માસૂમોનાં મોત થયા હતા જોકે આ બાબતે હવે હાઇકોર્ટ ઉગ્ર થઇ છે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે હવે 14 નવેમ્બરે આગામી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઇકોર્ટને પત્ર લખીને સુઓમોટો દાખલ કરવાની માંગ કરી હતી.


ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મોરબીના ચીફ ઓફિસરને મોરબી બ્રિજ દૂર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઝૂલતો પુલ જર્જરીત હાલતમાં હતો જેને કારણે ચીફ ઓફિસરની બેદરકારી સામે આવી હતી.જેથી સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 


ઓરેવા કંપનીના મલિક જયસુખ પર કોનો હાથ ?

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી અને સંચાલનનું કામ જે કંપનીનું હતું એ કંપનીના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ નથી, ઓરેવા કંપનીના મલિક જયસુખ દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સરકારે આ કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ મૂક્યું જ નથી તે આષ્ચર્યજનક છે લોક મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.