ડમીકાંડમાં વધુ આરોપીની કરાઈ ધરપકડ! તોડકાંડની તપાસ કરતા PI વિરૂદ્ધ ફરિયાદ કરાઈ દાખલ! જાણો શું છે કેસનું બનાસકાંઠા સાથેનું કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-11 17:21:56

ડમીકાંડ મામલે રોજને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારં આ મામલે વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલાનું કનેક્શન હવે અમરેલી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ડમી કાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો. 


આ આરોપીએ પરીક્ષામાં બેસાડ્યો ડમી ઉમેદવાર!

પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ જે ઘટનાક્રમ હતો તે અંગેની જાણ બધાને છે. ડમીકાંડમાં તોડકાંડનો એન્ગલ આવ્યો. ડમીકાંડમાં પણ તોડકાંડ જેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ લોકો જોઈ રહ્યા હતા. ત્યારે ડમીકાંડમાં જોડાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં  ભાવનગર એસ.ઓ.જીએ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો.  તા.૨૦/૩/૨૦૨૨ના રોજ લેવાયેલી પરીક્ષામાં તેની બદલીમાં ડમી ઉમેદવાર બેઠો હતો. આરોપી છે મલ્હારભાઇ તુષારભાઇ ભટ્ટ જે ભાવનગરનો જ રહેવાસી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હવે આગળ પોલીસ કેટલા આરોપીને પકડે છે તે જોવાનું રહ્યું. 


આ કેસના તાર બનાસકાંઠા સુધી પહોંચ્યા!

આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે આ ડમીકાંડના તાર બનાસકાંઠા અને અમરેલી સુધી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર SITની ટીમ બનાસકાંઠા પહોંચી છે. અમરેલી ખાતે પણ SITની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કયા આરોપીની ધરપકડ થાય છે અને બનાસકાંઠાથી શું કનેક્શન છે તે આગામી દિવસોમાં ખબર પડશે. અમારી પાસે જે જાણકારી આવી છે તે મુજબ PKના તાર બનાસકાંઠા સુધી જોડાયેલ છે ત્યાં પણ અનેક વિદ્યાર્થીઓ છે જે ડમી કાંડમાં સંડોવાયેલા છે. અમરેલીના કનેક્શનની વાત કરીએ તો અમરેલીથી જે ચિનગારી લાગી હતી તેની જ આગ ભાવનગર સુધી પહોંચી અને ડમી કાંડના કોભાંડ સુધી પહોંચી હતી   


અમરેલીમાં બનેલી એક ઘટનાનું ભાવનગર કનેક્શન શું છે? 


5 એપ્રિલ 2023એ જ્યારે યુવરાજસિંહએ પહેલી પ્રેસ કોન્ફરએન્સ કરી ડમી કાંડને લઈને ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડનો ચોંકાવનારો ધડાકો કર્યો. પરંતુ આ દાવા પાછળની અસલી કહાની શું છે? છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતભરના લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે. કારણકે પ્રેસ કોન્ફરન્સ કર્યાના ત્રણ અઠવાડિયામાં ડમીકાંડનું આખુ ચિત્ર જ બદલાઈ ગયું. કથિત રીતે ગુજરાતના સૌથી મોટા પરીક્ષા કૌભાંડને ખુલ્લો પાડીને જે યુવરાજસિંહ હિરો બન્યા હતા, એ હવે ભાવનગરની જેલમાં કેદ છે. તેમના પર ખંડણીના ગંભીર આરોપ છે. 


અમરેલીથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો!

યુવરાજસિંહને માર્ચ મહિનાના અંતમાં જાણકારી મળી ચુકી હતી કે તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતાં 17 વર્ષીય તરુણે ધોરણ 12ની ડમી તરીકે અમરેલીમાં જઈને પરીક્ષા આપી છે. આ માહિતીના પગલે યુવરાજસિંહ તેમની નજીકના કેટલાક લોકો સાથે પીપરલા ગામ પહોંચ્યા હતા. ત્યારે ડમી તરીકે પરીક્ષામાં બેસેલો તરુણ ન્હાતો હતો. ત્યાંથી યુવરાજસિંહ અને તેના સાથીદારો તેને લઇને જાય છે. આ ઘટનાની પોલીસને જાણ કર્યા વગર જ યુવરાજસિંહે ખાનગી રીતે યુવકની પૂછપરછ કરી હતી. જેમાં એ તેણે કબૂલાત કરી કે, તેણે ડમી તરીકે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને પછી આ સમગ્ર કૌભાંડનો ખેલ શરૂ થયો 


તોડકાંડની તપાસ કરી રહેલા પીઆઈ વિરૂદ્ધ કરાઈ ફરિયાદ!

દિવસે અને દિવસે આ બંને કાંડના કેસ ગુંચવાતા જાય છે રોજ એક નવી અપડેટ આવે છે રોહ નવા ખુલાસા થાય છે હમણાં એક ખબર આવી કે  તોડકાંડ પ્રકરણની તપાસ કરી રહેલા PI એ.ડી.ખાંટ સહિત છ લોકો સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુન્હો દાખલ થતાં આજે સવારથી જ PIખાંટ રજા પર ઉતરી ગયા હતા. હાલ તે ફરાર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે?  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.