એક તરફ AAP અને Congress વચ્ચે થતી ગઠબંધનની વાતો, તો બીજી તરફ આપમાં ભંગાણ, આ નેતાઓનું કરાયું કોંગ્રેસમાં સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-08-19 18:06:00

એક તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે, લોકસભાની ચૂંટણી ભેગા થઈ લડશે તેવી વાતો પણ ચાલી રહી હતી. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થશે તેવી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી દીધી હતી. પરંતુ તે બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી જેમાં કહેવામાં આવ્યું છે ગઠબંધન અંગેનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. આ ચર્ચાઓ ચાલી રહી હતી તે બધા વચ્ચે આપના અનેક નેતાઓ, જિલ્લા પ્રમુખોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. 20થી વધુ આપના નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ આપનો સાથ છોડી દીધો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.    

આપને અલવિદા કહી 20 જેટલા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા! 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલના આવ્યા બાદ સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે. એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 20 જેટલા નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. આપને અલવિદા કહી દીધું છે. આપને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખથી લઈને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે.  



આ નેતાનું શક્તિસિંહ ગોહિલે પાર્ટીમાં કર્યું સ્વાગત 

આમ આદમી પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓની વાત કરીએ તો જયેશ ઠાકોર, ખેડા જિલ્લા પ્રમુખ નલિન બારોટ, સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ, ખેડા આપ જનરલ સેક્રેટરી દિનેશ પરમાર, જેતપુર શહેર સંગઠન મંત્રી પ્રમોદ ત્રાડા સહિત અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.