એક તરફ AAP અને Congress વચ્ચે થતી ગઠબંધનની વાતો, તો બીજી તરફ આપમાં ભંગાણ, આ નેતાઓનું કરાયું કોંગ્રેસમાં સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-08-19 18:06:00

એક તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે, લોકસભાની ચૂંટણી ભેગા થઈ લડશે તેવી વાતો પણ ચાલી રહી હતી. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થશે તેવી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી દીધી હતી. પરંતુ તે બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી જેમાં કહેવામાં આવ્યું છે ગઠબંધન અંગેનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. આ ચર્ચાઓ ચાલી રહી હતી તે બધા વચ્ચે આપના અનેક નેતાઓ, જિલ્લા પ્રમુખોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. 20થી વધુ આપના નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ આપનો સાથ છોડી દીધો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.    

આપને અલવિદા કહી 20 જેટલા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા! 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલના આવ્યા બાદ સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે. એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 20 જેટલા નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. આપને અલવિદા કહી દીધું છે. આપને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખથી લઈને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે.  



આ નેતાનું શક્તિસિંહ ગોહિલે પાર્ટીમાં કર્યું સ્વાગત 

આમ આદમી પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓની વાત કરીએ તો જયેશ ઠાકોર, ખેડા જિલ્લા પ્રમુખ નલિન બારોટ, સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ, ખેડા આપ જનરલ સેક્રેટરી દિનેશ પરમાર, જેતપુર શહેર સંગઠન મંત્રી પ્રમોદ ત્રાડા સહિત અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.