અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 20 પૂજારીની જગ્યા માટે આવી 3 હજારથી વધુ અરજીઓ


  • Published By :
  • Published Date : 2023-11-21 15:41:52

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થાય તેને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કૃત સંકલ્પ છે.  જો કે મંદિર ટ્રસ્ટ ભગવાન રામની પૂજા-આરતી માટે પૂજારીઓની ભરતી પણ શરૂ કરી છે. ટ્રસ્ટે તે માટે એક જાહેરાત પણ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે માત્ર 200 જેટલા પૂજારીઓ માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.


200 ઉમેદવારો થયા શોર્ટ લિસ્ટ


રામ મંદિર ટ્રસ્ટને મળેલી ત્રણ હજાર અરજીઓ પૈકીની માત્ર 200 અરજીઓને ટ્રસ્ટે શોર્ટ લિસ્ટ કરી છે. તે માટે ઈન્ટર્વ્યું રાખવામાં આવ્યું હતું, કારસેવકપુરમમાં આયોજીત આ ઈન્ટર્વ્યુ માટેની પેનલમાં વૃદાવનના પૂજારી અને અયોધ્યાના બે મહંતનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારોને પૂજાની પધ્ધતીઓ, સંધ્યા વંદના, મંત્રોના અર્થ, પ્રભાવ અને ભગવાન રામની પૂજા સંબંધિત સવાલો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને કર્મકાંડ અંગેના સવાલો પણ પૂછવામા આવ્યા હતા. 


20 ઉમેદવારોની થશે પસંદગી


મંદિર ટ્રસ્ટ 20 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોમાંથી કેટલાકની પૂજારી તરીકે તો અન્યની રામ મંદિર સંકુલમાં વિવિધ પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવશે. આ માટે તેમને સંકુલમાં જ તાલીમ પણ આપવામાં આવશે. તેમને નિશુલ્ક ભોજન, રહેઠાણ અને બે હજારનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે