અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 20 પૂજારીની જગ્યા માટે આવી 3 હજારથી વધુ અરજીઓ


  • Published By :
  • Published Date : 2023-11-21 15:41:52

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થાય તેને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કૃત સંકલ્પ છે.  જો કે મંદિર ટ્રસ્ટ ભગવાન રામની પૂજા-આરતી માટે પૂજારીઓની ભરતી પણ શરૂ કરી છે. ટ્રસ્ટે તે માટે એક જાહેરાત પણ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે માત્ર 200 જેટલા પૂજારીઓ માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.


200 ઉમેદવારો થયા શોર્ટ લિસ્ટ


રામ મંદિર ટ્રસ્ટને મળેલી ત્રણ હજાર અરજીઓ પૈકીની માત્ર 200 અરજીઓને ટ્રસ્ટે શોર્ટ લિસ્ટ કરી છે. તે માટે ઈન્ટર્વ્યું રાખવામાં આવ્યું હતું, કારસેવકપુરમમાં આયોજીત આ ઈન્ટર્વ્યુ માટેની પેનલમાં વૃદાવનના પૂજારી અને અયોધ્યાના બે મહંતનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારોને પૂજાની પધ્ધતીઓ, સંધ્યા વંદના, મંત્રોના અર્થ, પ્રભાવ અને ભગવાન રામની પૂજા સંબંધિત સવાલો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને કર્મકાંડ અંગેના સવાલો પણ પૂછવામા આવ્યા હતા. 


20 ઉમેદવારોની થશે પસંદગી


મંદિર ટ્રસ્ટ 20 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોમાંથી કેટલાકની પૂજારી તરીકે તો અન્યની રામ મંદિર સંકુલમાં વિવિધ પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવશે. આ માટે તેમને સંકુલમાં જ તાલીમ પણ આપવામાં આવશે. તેમને નિશુલ્ક ભોજન, રહેઠાણ અને બે હજારનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.



ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.