અયોધ્યામાં દર વર્ષે 5 કરોડથી પણ વધુ પર્યટકો પહોંચશે, ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝનો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:51:08

અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે. આજે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ભવ્ય ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશના લાખો શ્રધ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યાના સ્વરૂપમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. આ સ્થળને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો તે દર વર્ષે પાંચ કરોડથી પણ વધુ પર્યટકોને આકર્ષિત કરી શકે છે.  


અયોધ્યામાં અબજો ડોલરનું રોકાણ


ઐતિહાસિક શહેર અયોધ્યામાં આ સમયે લગભગ 10 અબજ ડોલરના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે. તેમાં એક એરપોર્ટ, વિશાળ રેલવે સ્ટેશન, ન્યૂ ટાઉનશિપ, સુંદર રોડ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.હવે શહેરમાં ભવ્ય હોટેલો પણ ખુલી રહી છે, તેની સાથે જ ત્યાં મોલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરાશે. આ કારણે ત્યાંના અર્થતંત્ર પર મલ્ટીપ્લાયર ઈફેક્ટ થશે અને અન્ય આર્થિક પ્રવૃતિઓને પણ વેગ મળશે.    


ટૂરિસ્ટ હોટસ્પોટ બનવા માટે તૈયાર


બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ભારતના પર્યટનને વેગ આપવા માટે એક ટેમ્પલેટ છે. ત્યાં 10 અબજ ડોલરના ખર્ચે થઈ રહેલા મેકઓવરના કારણે જુના અયોધ્યા એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન હોટસ્પોટમાં બદલાઈ જશે. શહેરમાં લગભગ 22.5 કરોડના ડોલરના રોકાણથી નવું રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેના કારણે અયોધ્યામાં આર્થિક અને ધાર્મિક પ્રવાસન વધવાનું અનુમાન છે. અયોધ્યામાં હોટેલ, હોસ્પિટાલિટી, FMCGની સાથે-સાથે અનેક ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.