અયોધ્યામાં દર વર્ષે 5 કરોડથી પણ વધુ પર્યટકો પહોંચશે, ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝનો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:51:08

અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે. આજે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ભવ્ય ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશના લાખો શ્રધ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યાના સ્વરૂપમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. આ સ્થળને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો તે દર વર્ષે પાંચ કરોડથી પણ વધુ પર્યટકોને આકર્ષિત કરી શકે છે.  


અયોધ્યામાં અબજો ડોલરનું રોકાણ


ઐતિહાસિક શહેર અયોધ્યામાં આ સમયે લગભગ 10 અબજ ડોલરના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે. તેમાં એક એરપોર્ટ, વિશાળ રેલવે સ્ટેશન, ન્યૂ ટાઉનશિપ, સુંદર રોડ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.હવે શહેરમાં ભવ્ય હોટેલો પણ ખુલી રહી છે, તેની સાથે જ ત્યાં મોલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરાશે. આ કારણે ત્યાંના અર્થતંત્ર પર મલ્ટીપ્લાયર ઈફેક્ટ થશે અને અન્ય આર્થિક પ્રવૃતિઓને પણ વેગ મળશે.    


ટૂરિસ્ટ હોટસ્પોટ બનવા માટે તૈયાર


બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ભારતના પર્યટનને વેગ આપવા માટે એક ટેમ્પલેટ છે. ત્યાં 10 અબજ ડોલરના ખર્ચે થઈ રહેલા મેકઓવરના કારણે જુના અયોધ્યા એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન હોટસ્પોટમાં બદલાઈ જશે. શહેરમાં લગભગ 22.5 કરોડના ડોલરના રોકાણથી નવું રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેના કારણે અયોધ્યામાં આર્થિક અને ધાર્મિક પ્રવાસન વધવાનું અનુમાન છે. અયોધ્યામાં હોટેલ, હોસ્પિટાલિટી, FMCGની સાથે-સાથે અનેક ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.