અયોધ્યામાં દર વર્ષે 5 કરોડથી પણ વધુ પર્યટકો પહોંચશે, ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝનો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:51:08

અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે. આજે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ભવ્ય ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશના લાખો શ્રધ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યાના સ્વરૂપમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. આ સ્થળને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો તે દર વર્ષે પાંચ કરોડથી પણ વધુ પર્યટકોને આકર્ષિત કરી શકે છે.  


અયોધ્યામાં અબજો ડોલરનું રોકાણ


ઐતિહાસિક શહેર અયોધ્યામાં આ સમયે લગભગ 10 અબજ ડોલરના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે. તેમાં એક એરપોર્ટ, વિશાળ રેલવે સ્ટેશન, ન્યૂ ટાઉનશિપ, સુંદર રોડ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.હવે શહેરમાં ભવ્ય હોટેલો પણ ખુલી રહી છે, તેની સાથે જ ત્યાં મોલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરાશે. આ કારણે ત્યાંના અર્થતંત્ર પર મલ્ટીપ્લાયર ઈફેક્ટ થશે અને અન્ય આર્થિક પ્રવૃતિઓને પણ વેગ મળશે.    


ટૂરિસ્ટ હોટસ્પોટ બનવા માટે તૈયાર


બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ભારતના પર્યટનને વેગ આપવા માટે એક ટેમ્પલેટ છે. ત્યાં 10 અબજ ડોલરના ખર્ચે થઈ રહેલા મેકઓવરના કારણે જુના અયોધ્યા એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન હોટસ્પોટમાં બદલાઈ જશે. શહેરમાં લગભગ 22.5 કરોડના ડોલરના રોકાણથી નવું રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેના કારણે અયોધ્યામાં આર્થિક અને ધાર્મિક પ્રવાસન વધવાનું અનુમાન છે. અયોધ્યામાં હોટેલ, હોસ્પિટાલિટી, FMCGની સાથે-સાથે અનેક ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.