સવારની ચા પડશે મોંઘી! અમૂલે દૂધ સહિત આ વસ્તુઓના ભાવમાં કર્યો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે પૈસા


  • Published By :
  • Published Date : 2023-04-01 11:41:39

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. સૌથી પહેલા જો મધ્યમ વર્ગીય પરિવારને લગતી વસ્તુની વાત કરીએ તો અમૂલ દૂધે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધની વિવિધ વેરાઈટીઓમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો થયો છે, અમૂલ તાજા ઉપરાંત અમૂલ શક્તિના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત ટી સ્પેશિયલ , કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એટુ ગાયનું દૂધ, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં ભાવ વધારો ઝીંકાયો છે.


મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા! 

મોંઘવારીનો માર સહન કરવા મધ્યમવર્ગીય પરિવાર  મજબૂર બન્યો છે. મોંઘવારી સતત વધી રહી છે. ફરી એક વખત અમૂલે પોતાની વિવિધ વેરાઈટીઓના ભાવમાં વધારો કર્યો છે. જેમાં  અમૂલ ગોલ્ડના ભાવમાં વધારો થયો છે, તાજામાં ઉપરાંત શક્તિના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત ટી સ્પેશિયલ , કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એટુ ગાયનું દૂધ, બફેલો મિલ્ક સહિતની વસ્તુઓના ભાવમાં વધારો કરાયો છે. દૂધના ભાવ વધતા સવારની ચા પણ મોંઘી લાગવાની છે.  


જો તમારે આ વસ્તુઓ લેવી હશે તો આટલા ચૂકવવા પડશે પૈસા   

અમૂલ ગોલ્ડના પ્રતિલીટરે 2 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.


6 મહિનાની અંદર બીજી વખત અમૂલે કર્યો ભાવ વધારો 

જો અમૂલ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાની વાત કરીએ તો અમૂલ ડેરીએ 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના સમયમાં જીવન જરૂરી વસ્તુઓમાં અનેક વખત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે  ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કોઈ વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.