Loksabha Election દરમિયાન વધુ ચર્ચાયેલા શબ્દો, જે આપણે સાંભળ્યો તો હશે પરંતુ વાપર્યા પણ હશે ચર્ચા દરમિયાન! શબ્દોથી સમજો ગુજરાતના મુદ્દાઓને!


  • Published By :
  • Published Date : 2024-05-06 15:23:17

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યા હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સંભળાયા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. મંત્રીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો તો ચર્ચાનો વિષય બનતા પરંતુ શબ્દો પણ આ વખતની ચૂંટણીમાં ચર્ચાયા... કોઈ પણ સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધમાં તો કોઈ વખત નેતાઓના ભાષણમાં... ત્યારે એવા અનેક શબ્દોની ચર્ચા કરીએ જે આ વખતની ચૂંટણી વખતે સાંભળવા મળ્યા છે.



ક્ષત્રિય વિવાદ શબ્દ બન્યો હતો ચર્ચાનો વિષય   

સૌથી વધારે આ ચૂંટણીમાં શબ્દ વપરાયો હોય અથવા તો સંભળાયો હોય તો તે છે ક્ષત્રિય વિવાદ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ શબ્દની આગળ પાછળ જ જાણે ગુજરાતની રાજનીતિ ફરી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. તે સિવાય નામાંકન રદ આ શબ્દ પણ વારંવાર સાંભળવા મળ્યો છે.. તે બાદ માફી શબ્દ પણ વારંવાર ઉચ્ચારવામાં આવ્યો છે... માફી શબ્દ અનેક વખત સંભળાયો છે. 


કવિતા યુદ્ધ પણ જામ્યું હતું નેતાઓ વચ્ચે

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનેતામાં રહેલા કવિની આત્મા પણ અચાનક જાગી ગઈ હતી.. વચ્ચે કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી અને વર્તમાન પરિસ્થિતિ પર કટાક્ષ કરવામાં આવતો.. તે સિવાય પ્રચાર દરમિયાન હરખપદુડા,બબૂચક શબ્દ, ટનાટન જેવા શબ્દો સાંભળવા મળ્યા.. તે સિવાય શહેજાદા, રાજા મહારાજા, રાવણ, લેન્ડ જેહાદ, મોદી અંકલ, ગેરંટી, વોટ જેહાદ જેવા શબ્દો રાષ્ટ્રીય નેતાઓ દ્વારા વાપરવામાં આવ્યા.. તે સિવાય ડ્રગ્સ, આતંકવાદ જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા છે.. 


વોટ સાથે નોટ, પાઘડી જેવા શબ્દો પણ અનેક વખત વપરાયા 

બિનહરીફ શબ્દ પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યો હતો જ્યારે સુરતના બીજેપી ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તે સિવાય બનાસની બેન અને બનાસની દીકરી, વોટ સાથે નોટ જેવા શબ્દો પણ આપણા કાનોમાં આ ચૂંટણી પ્રચાર દરમિયાન પડ્યા છે. પાઘડી ઉતારી અનેક ઉમેદવારોએ મત માગ્યા છે.. અનેક મહત્વનું છે આના સિવાય પણ અનેક એવા શબ્દો હશે જે વપરાયા હશે. જો તેમને પણ કોઈ આવા શબ્દો યાદ આવતા હોય તો અમને કમેન્ટમાં જણાવજો..        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.