Loksabha Election દરમિયાન વધુ ચર્ચાયેલા શબ્દો, જે આપણે સાંભળ્યો તો હશે પરંતુ વાપર્યા પણ હશે ચર્ચા દરમિયાન! શબ્દોથી સમજો ગુજરાતના મુદ્દાઓને!


  • Published By :
  • Published Date : 2024-05-06 15:23:17

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યા હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સંભળાયા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. મંત્રીઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો તો ચર્ચાનો વિષય બનતા પરંતુ શબ્દો પણ આ વખતની ચૂંટણીમાં ચર્ચાયા... કોઈ પણ સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધમાં તો કોઈ વખત નેતાઓના ભાષણમાં... ત્યારે એવા અનેક શબ્દોની ચર્ચા કરીએ જે આ વખતની ચૂંટણી વખતે સાંભળવા મળ્યા છે.



ક્ષત્રિય વિવાદ શબ્દ બન્યો હતો ચર્ચાનો વિષય   

સૌથી વધારે આ ચૂંટણીમાં શબ્દ વપરાયો હોય અથવા તો સંભળાયો હોય તો તે છે ક્ષત્રિય વિવાદ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ શબ્દની આગળ પાછળ જ જાણે ગુજરાતની રાજનીતિ ફરી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. તે સિવાય નામાંકન રદ આ શબ્દ પણ વારંવાર સાંભળવા મળ્યો છે.. તે બાદ માફી શબ્દ પણ વારંવાર ઉચ્ચારવામાં આવ્યો છે... માફી શબ્દ અનેક વખત સંભળાયો છે. 


કવિતા યુદ્ધ પણ જામ્યું હતું નેતાઓ વચ્ચે

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનેતામાં રહેલા કવિની આત્મા પણ અચાનક જાગી ગઈ હતી.. વચ્ચે કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી અને વર્તમાન પરિસ્થિતિ પર કટાક્ષ કરવામાં આવતો.. તે સિવાય પ્રચાર દરમિયાન હરખપદુડા,બબૂચક શબ્દ, ટનાટન જેવા શબ્દો સાંભળવા મળ્યા.. તે સિવાય શહેજાદા, રાજા મહારાજા, રાવણ, લેન્ડ જેહાદ, મોદી અંકલ, ગેરંટી, વોટ જેહાદ જેવા શબ્દો રાષ્ટ્રીય નેતાઓ દ્વારા વાપરવામાં આવ્યા.. તે સિવાય ડ્રગ્સ, આતંકવાદ જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા છે.. 


વોટ સાથે નોટ, પાઘડી જેવા શબ્દો પણ અનેક વખત વપરાયા 

બિનહરીફ શબ્દ પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યો હતો જ્યારે સુરતના બીજેપી ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તે સિવાય બનાસની બેન અને બનાસની દીકરી, વોટ સાથે નોટ જેવા શબ્દો પણ આપણા કાનોમાં આ ચૂંટણી પ્રચાર દરમિયાન પડ્યા છે. પાઘડી ઉતારી અનેક ઉમેદવારોએ મત માગ્યા છે.. અનેક મહત્વનું છે આના સિવાય પણ અનેક એવા શબ્દો હશે જે વપરાયા હશે. જો તેમને પણ કોઈ આવા શબ્દો યાદ આવતા હોય તો અમને કમેન્ટમાં જણાવજો..        




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.