Navratriના છઠ્ઠા નોરતે થાય છે માતા કાત્યાયનીની આરાધના, જાણો શા માટે ઓળખાય છે આ નામથી અને માતાને પ્રસન્ન કરવા કયા મંત્રનો કરવો જોઈએ જાપ?


  • Published By :
  • Published Date : 2023-10-20 10:19:05

આસો નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ છે. નવરાત્રીના દિવસો દરમિયાન શક્તિની આરાધના કરવામાં આવતી હોય છે. નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો મહિમા નવરાત્રીમાં હોય છે. પહેલા નોરતે માતા શૈલપુત્રી, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાની, ચોથા દિવસે કુષ્માંડા માતાની અને પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા સાધકોએ કરી. ત્યારે આજે નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માન્યતા અનુસાર કાત્યાયની માતાની પૂજા કરવાથી સાધકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 


કેવું છે માતાજીનું સ્વરૂપ?

માતાજીના નામ પ્રમાણે માતાજીના સ્વરૂપો પણ બદલાય છે  માતા કાત્યાયની માતાના સ્વરૂપની વાત કરીએ તો માતાજી સિંહ પર સવારી કરે છે. માતાજીની ચારભૂજાઓ છે જેમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર માતાજીએ ધારણ કર્યા છે. એક હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે, એક હાથમાં તલવાર ધારણ કરી છે. એક હાથમાં વરદ મુદ્રા છે અને એક હાથથી માતાજી ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.


શા માટે માતાજી કાત્યાયનીના નામથી ઓળખાય છે? 

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ કાત્યાયને માતાજીને પ્રસન્ન કરવા ઘોર તપ કર્યું હતું. ઘોર તપથી માતા પ્રસન્ન થયા અને તેમના ત્યાં માતાજી પુત્રી રૂપે પ્રગટ થયા. મહર્ષિ કાત્યાનની પુત્રી હોવાને કારણે માતાજી કાત્યાયની કહેવાયા. એવું પણ માનવામાં આવે છે આ રૂપની પૂજા ભગવાન રામ તેમજ શ્રીકૃષ્ણએ કરી હતી. તે ઉપરાંત વ્રજની ગોપીઓએ પણ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે માતા કાત્યાયનીની ઉપાસના કરી હતી એવી માન્યતા છે. તે ઉપરાંત એવું માનવામાં આવે છે કે આજ સ્વરૂપમાં માતાજીએ દૈત્ય મહિષાસુરનો વધ કર્યો હતો. રાક્ષસનો વધ કરી માતાજીએ લોકોને રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. જે કોઈ ભક્ત માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે તેને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ માતાજીના આશીર્વાદથી થાય છે. 


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા? 

માતાજીની આરાધના કરવા માટે આમ તો મુખ્યત્વે શ્રદ્ધાની જરૂર હોય છે. જે સાચા મનથી ભક્તિ, પ્રાર્થના કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થતા હોય છે. માતાજીની ઉપાસના કરવાના આમ તો અલગ અલગ મંત્રો છે, આખો ચંડીપાઠ છે પરંતુ દેવી કાત્યાયનીના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાજીની આરાધના કરવી જોઈએ.  

चंद्र हासोज्ज वलकरा शार्दूलवर वाहना|

कात्यायनी शुभंदद्या देवी दानव घातिनि|| 

Right Way To Eat Honey એક્સપર્ટ પાસેથી જાણો મધ ખાવાની સાચી રીત

આજે કયો નૈવેદ્ય માતાજીને કરવો જોઈએ અર્પણ?

 નવરાત્રીના અલગ અલગ દિવસો દરમિયાન માતાજીને દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિશેષ ભોગ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રીના છઠ્ઠા નોરતે માતાજી સમક્ષ મધનો ભોગ ધરાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મધનો ભોગ અર્પણ કરવાથી માતાના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.