વડોદરામાં માતાએ બે પુત્રીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-07-11 14:04:16

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં પણ એક માતાએ તેની બે દીકરીઓની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતાએ તેની બે સગી પુત્રીઓને ઝેરી દવા પિવડાવી દીધી હતી. આ મહિલાએ પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે જ પાડોશીઓએ બચાવી લીધી અને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  


છૂટાછેડા બાદ એકલી રહેતી હતી મહિલા


આ ચકચારી ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી છે કે છૂટાછેડા દક્ષાબેન ચૌહાણ તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમની બે દિકરીઓ હની અને સુહાની સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.આજે વહેલી સવારે દક્ષાબેને બને પુત્રીઓને ઝેરી દવા આપી દીધી હતી જેમાં એક પુત્રીને ઝેરી દવાની કોઈ અસર ન થતા ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં દક્ષાબેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દક્ષાબેનને આત્મહત્યા કરી રહ્યાં હોવાની પાડોશીઓને જાણ થતા દક્ષાબેનને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ મથકને થતા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.


શા માટે પુત્રીઓની હત્યા કરી?


મહિલાએ કયા સંજોગોમાં આવીને પોતાની વ્હાલસોયી પુત્રીઓને મોતને ઘાટ ઉતારી તે અંગે પોલીસે જણાવ્યું કે દક્ષાબેન ચૌહાણ નાણાભીડમાં આવીને આ પગલું ભર્યું છે. મહિલા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવી હતી તેની બંન્ને દિકરીઓની સ્કૂલની ફી અને મકાનનું ભાડું આપી શકતી ન હતી. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેના કારણે પોતાની બાળકીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમના મકાનના ઉપરના ઘરમાં રહેતી મહિલા તેમને જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.