વડોદરામાં માતાએ બે પુત્રીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-07-11 14:04:16

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં પણ એક માતાએ તેની બે દીકરીઓની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતાએ તેની બે સગી પુત્રીઓને ઝેરી દવા પિવડાવી દીધી હતી. આ મહિલાએ પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે જ પાડોશીઓએ બચાવી લીધી અને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  


છૂટાછેડા બાદ એકલી રહેતી હતી મહિલા


આ ચકચારી ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી છે કે છૂટાછેડા દક્ષાબેન ચૌહાણ તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમની બે દિકરીઓ હની અને સુહાની સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.આજે વહેલી સવારે દક્ષાબેને બને પુત્રીઓને ઝેરી દવા આપી દીધી હતી જેમાં એક પુત્રીને ઝેરી દવાની કોઈ અસર ન થતા ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં દક્ષાબેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દક્ષાબેનને આત્મહત્યા કરી રહ્યાં હોવાની પાડોશીઓને જાણ થતા દક્ષાબેનને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ મથકને થતા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.


શા માટે પુત્રીઓની હત્યા કરી?


મહિલાએ કયા સંજોગોમાં આવીને પોતાની વ્હાલસોયી પુત્રીઓને મોતને ઘાટ ઉતારી તે અંગે પોલીસે જણાવ્યું કે દક્ષાબેન ચૌહાણ નાણાભીડમાં આવીને આ પગલું ભર્યું છે. મહિલા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવી હતી તેની બંન્ને દિકરીઓની સ્કૂલની ફી અને મકાનનું ભાડું આપી શકતી ન હતી. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેના કારણે પોતાની બાળકીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમના મકાનના ઉપરના ઘરમાં રહેતી મહિલા તેમને જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.