વડોદરામાં માતાએ બે પુત્રીઓને ઝેરી દવા પીવડાવ્યા બાદ ગળું દબાવી કરી હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-07-11 14:04:16

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાઓની ઘટનાઓ વધી રહી છે. વડોદરામાં પણ એક માતાએ તેની બે દીકરીઓની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતાએ તેની બે સગી પુત્રીઓને ઝેરી દવા પિવડાવી દીધી હતી. આ મહિલાએ પણ આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે જ પાડોશીઓએ બચાવી લીધી અને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  


છૂટાછેડા બાદ એકલી રહેતી હતી મહિલા


આ ચકચારી ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી છે કે છૂટાછેડા દક્ષાબેન ચૌહાણ તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમની બે દિકરીઓ હની અને સુહાની સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.આજે વહેલી સવારે દક્ષાબેને બને પુત્રીઓને ઝેરી દવા આપી દીધી હતી જેમાં એક પુત્રીને ઝેરી દવાની કોઈ અસર ન થતા ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં દક્ષાબેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દક્ષાબેનને આત્મહત્યા કરી રહ્યાં હોવાની પાડોશીઓને જાણ થતા દક્ષાબેનને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસ મથકને થતા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.


શા માટે પુત્રીઓની હત્યા કરી?


મહિલાએ કયા સંજોગોમાં આવીને પોતાની વ્હાલસોયી પુત્રીઓને મોતને ઘાટ ઉતારી તે અંગે પોલીસે જણાવ્યું કે દક્ષાબેન ચૌહાણ નાણાભીડમાં આવીને આ પગલું ભર્યું છે. મહિલા સોસાયટીમાં 15 દિવસ પહેલા રહેવા આવી હતી તેની બંન્ને દિકરીઓની સ્કૂલની ફી અને મકાનનું ભાડું આપી શકતી ન હતી. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જેના કારણે પોતાની બાળકીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમના મકાનના ઉપરના ઘરમાં રહેતી મહિલા તેમને જોઈ જતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. એફ.એસ.એલ ની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.