માતૃભાષાનું ભણતર દરેક બાળકનો અધિકાર, સરકાર ગુજરાતીના શિક્ષણની શાળાઓને ફરજ પાડે: હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2022-12-16 20:21:22

ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગને લઈ થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવી રાજ્ય સરકારને ટકોર કરી કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ન બતાવે. સરકાર તમામ સ્કૂલને ફરજિયાત ગુજરાતી ભણાવવાના આ નિયમનો કડક અમલ કરાવે તે અનિવાર્ય છે.


માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર 


હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી છે કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો આ નિર્ણયનો કડક અમલ કરાવવામાં સરકાર લાચારી ન દર્શાવે. રાજ્ય સરકાર લાચાર હોઈ શકે નહી પરંતુ તેમ છતા જો સરકારને અમલવારી કરાવવામાં લાચારી લાગતી હોય તો હાઈકોર્ટ જરૂરી હુકમ કરશે. હાઈકોર્ટે ઉમેર્યુ કે ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે જણાવ્યુ હતું કે માતૃભાષાનું ભણતરએ બાળકનો અધિકાર છે.


માતૃભાષા અભિયાન સંસ્થાએ કરી હતી અરજી


ગુજરાત હાઈકોર્ટમાં ‘માતૃભાષા અભિયાન’સંસ્થાએ જાહેર હિતની અરજી કરી છે. સરકારના તારીખ 13 એપ્રિલ 2018ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશ: અને સત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર જૂદાજૂદા ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહીં થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. ગુજરાતી ભાષાની ફરજિયાત અમલવારી મુદ્દે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેનુ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તેમજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત છે. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યુ કે અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની અરજદારે રજૂઆત કરી હતી. આ અંગે વધુ સુનાવણી 22 ડિસેમ્બરે થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.