અંધશ્રદ્ધામાં ફસાઈ માતા, કહ્યું કે મારી છોકરી જીવે છે કે મરી ગઈ ખબર નથી !


  • Published By :
  • Published Date : 2023-10-22 18:35:42

21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિના નામે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે. પોતાના દુઃખોથી કંટાળેલા લોકો અંધશ્રદ્ધા તરફ વળતા હોય છે. પરંતુ ઘણીવાર આ અંધશ્રદ્ધાના ચંગુલમાં કોઈકવાર એવી રીતે ફસાઈ જવાય છે કે તેનાથી ઘણું નુકશાન થાય છે. મહેસાણામાં પણ એક એવી ઘટના બની છે જેમાં એક માતા પોતાની દીકરીને ત્રણ મહિનાથી શોધી રહી છે. પણ તેનો કોઈ અત્તોપત્તો નથી લાગી રહ્યો. 

60 વર્ષનો ઘરડો 23 વર્ષની યુવતીને લઈ ભાગ્યો

મહેસાણાના ધનાલી ગામના આ મુસ્લિમ મહિલા તેમની પરિણીત દીકરીને તાવીજ, દોરા કરતા બાપુ પાસે લઈ જતા હતા. તેમનું કહેવું છે કે દીકરીની તબિયત ખરાબ રહેતી હતી જેના કારણે તેઓ બાપુ પાસે લઈ જતા અને બાપુ ઘણીવાર દરવાજો બંધ કરી આ યુવતીનો ઈલાજ કરતા હતા. પછી અચાનક આ 23 વર્ષીય યુવતીને અને તેના બાળકને આ બાપુ ભગાડીને લઈ ગયો છે તેવું આ યુવતીના માતા જણાવી રહ્યા છે

અમારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી

વિગતો મુજબ, ધનાલી ગામની 23 વર્ષીય પરિણીતાની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી જેના કારણે તેના માતા હોસ્પિટલમાં લઈ જવાના બદલે વિધિ કરતા બાપુ પાસે લઈ જતા હતા. જ્યાં આ બાપુ તેમને આશ્વાસન આપતો હતો કે તમારી દીકરીને કંઈ જ નહિ થાય હું તેનો મારી વિદ્યાથી ઈલાજ કરી સ્વસ્થ કરી નાખીશ. પણ તેની માતાને ક્યાં ખબર હતી કે તે આ ઢોંગીની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. આ ઢોંગી બાબા તેમના પરિવારને બરબાદ કરી નાખશે. જોકે થોડા સમય બાદ આવું જ કઈક થયું આ 60 વર્ષનો ઢોંગી આ 23 યુવતી અને તેના બાળકને લઈને ફરાર થઈ ગયો છે. અચાનક ગાયબ થયેલી યુવતીની માતા અને તેનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહ્યા છે જેમાં તેમની માતા કહી રહ્યા છે કે મારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.