અંધશ્રદ્ધામાં ફસાઈ માતા, કહ્યું કે મારી છોકરી જીવે છે કે મરી ગઈ ખબર નથી !


  • Published By :
  • Published Date : 2023-10-22 18:35:42

21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિના નામે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે. પોતાના દુઃખોથી કંટાળેલા લોકો અંધશ્રદ્ધા તરફ વળતા હોય છે. પરંતુ ઘણીવાર આ અંધશ્રદ્ધાના ચંગુલમાં કોઈકવાર એવી રીતે ફસાઈ જવાય છે કે તેનાથી ઘણું નુકશાન થાય છે. મહેસાણામાં પણ એક એવી ઘટના બની છે જેમાં એક માતા પોતાની દીકરીને ત્રણ મહિનાથી શોધી રહી છે. પણ તેનો કોઈ અત્તોપત્તો નથી લાગી રહ્યો. 

60 વર્ષનો ઘરડો 23 વર્ષની યુવતીને લઈ ભાગ્યો

મહેસાણાના ધનાલી ગામના આ મુસ્લિમ મહિલા તેમની પરિણીત દીકરીને તાવીજ, દોરા કરતા બાપુ પાસે લઈ જતા હતા. તેમનું કહેવું છે કે દીકરીની તબિયત ખરાબ રહેતી હતી જેના કારણે તેઓ બાપુ પાસે લઈ જતા અને બાપુ ઘણીવાર દરવાજો બંધ કરી આ યુવતીનો ઈલાજ કરતા હતા. પછી અચાનક આ 23 વર્ષીય યુવતીને અને તેના બાળકને આ બાપુ ભગાડીને લઈ ગયો છે તેવું આ યુવતીના માતા જણાવી રહ્યા છે

અમારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી

વિગતો મુજબ, ધનાલી ગામની 23 વર્ષીય પરિણીતાની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી જેના કારણે તેના માતા હોસ્પિટલમાં લઈ જવાના બદલે વિધિ કરતા બાપુ પાસે લઈ જતા હતા. જ્યાં આ બાપુ તેમને આશ્વાસન આપતો હતો કે તમારી દીકરીને કંઈ જ નહિ થાય હું તેનો મારી વિદ્યાથી ઈલાજ કરી સ્વસ્થ કરી નાખીશ. પણ તેની માતાને ક્યાં ખબર હતી કે તે આ ઢોંગીની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. આ ઢોંગી બાબા તેમના પરિવારને બરબાદ કરી નાખશે. જોકે થોડા સમય બાદ આવું જ કઈક થયું આ 60 વર્ષનો ઢોંગી આ 23 યુવતી અને તેના બાળકને લઈને ફરાર થઈ ગયો છે. અચાનક ગાયબ થયેલી યુવતીની માતા અને તેનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહ્યા છે જેમાં તેમની માતા કહી રહ્યા છે કે મારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી