અંધશ્રદ્ધામાં ફસાઈ માતા, કહ્યું કે મારી છોકરી જીવે છે કે મરી ગઈ ખબર નથી !


  • Published By :
  • Published Date : 2023-10-22 18:35:42

21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિના નામે લોકો છેતરપિંડીનો શિકાર થઈ રહ્યા છે. પોતાના દુઃખોથી કંટાળેલા લોકો અંધશ્રદ્ધા તરફ વળતા હોય છે. પરંતુ ઘણીવાર આ અંધશ્રદ્ધાના ચંગુલમાં કોઈકવાર એવી રીતે ફસાઈ જવાય છે કે તેનાથી ઘણું નુકશાન થાય છે. મહેસાણામાં પણ એક એવી ઘટના બની છે જેમાં એક માતા પોતાની દીકરીને ત્રણ મહિનાથી શોધી રહી છે. પણ તેનો કોઈ અત્તોપત્તો નથી લાગી રહ્યો. 

60 વર્ષનો ઘરડો 23 વર્ષની યુવતીને લઈ ભાગ્યો

મહેસાણાના ધનાલી ગામના આ મુસ્લિમ મહિલા તેમની પરિણીત દીકરીને તાવીજ, દોરા કરતા બાપુ પાસે લઈ જતા હતા. તેમનું કહેવું છે કે દીકરીની તબિયત ખરાબ રહેતી હતી જેના કારણે તેઓ બાપુ પાસે લઈ જતા અને બાપુ ઘણીવાર દરવાજો બંધ કરી આ યુવતીનો ઈલાજ કરતા હતા. પછી અચાનક આ 23 વર્ષીય યુવતીને અને તેના બાળકને આ બાપુ ભગાડીને લઈ ગયો છે તેવું આ યુવતીના માતા જણાવી રહ્યા છે

અમારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી

વિગતો મુજબ, ધનાલી ગામની 23 વર્ષીય પરિણીતાની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી જેના કારણે તેના માતા હોસ્પિટલમાં લઈ જવાના બદલે વિધિ કરતા બાપુ પાસે લઈ જતા હતા. જ્યાં આ બાપુ તેમને આશ્વાસન આપતો હતો કે તમારી દીકરીને કંઈ જ નહિ થાય હું તેનો મારી વિદ્યાથી ઈલાજ કરી સ્વસ્થ કરી નાખીશ. પણ તેની માતાને ક્યાં ખબર હતી કે તે આ ઢોંગીની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. આ ઢોંગી બાબા તેમના પરિવારને બરબાદ કરી નાખશે. જોકે થોડા સમય બાદ આવું જ કઈક થયું આ 60 વર્ષનો ઢોંગી આ 23 યુવતી અને તેના બાળકને લઈને ફરાર થઈ ગયો છે. અચાનક ગાયબ થયેલી યુવતીની માતા અને તેનો પતિ છેલ્લા ત્રણ મહિનાથી શોધી રહ્યા છે જેમાં તેમની માતા કહી રહ્યા છે કે મારી દીકરી જીવે છે કે મરી ગઈ એ પણ અમને ખબર નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.