Motivational Speaker Vivek Bindra વિવાદોમાં ફસાયા, તેમની પત્ની પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:33:16

થોડા સમય પહેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મોટિવેશનલ સ્પીકર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોઈ બીજાએ પરંતુ તેમની પત્નીએ કર્યો છે. પત્ની સાથે મારપીટ  કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વિવેક બિન્દ્રાનો અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 6 ડિસેમ્બર 2023એ થયા હતા. 

સંદીપ માહેશ્વરી સાથે ચાલ્યો હતો વિવાદ 

સોશિયલ મીડિયા પર અનકે વખત જ્યારે તમે રિલ્સ જોતા હશો ત્યારે વિવેક બિન્દ્રાની મોટિવેશનલ સ્પીચ આવતી હશે. પરંતુ થોડા સમયથી વિવેક બિન્દ્રા સતત ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા સંદીપ માહેશ્વરી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેદ બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. વિવેક બિન્દ્રાની પત્નીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખળ કરવામાં આવી છે. 


વિવેક બિન્દ્રાની પત્નીને પહોંચી ઈજા  

મીડિયા રિપોર્ટ અનુસાર વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા સાથે થયા હતા. બીજા દિવસે 7મી ડિસેમ્બરે સવારે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમની બહેને દરમિયાનગીરી કરી તો વિવેક બિન્દ્રાએ તેને માર માર્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી યાનિકાને ઘણી ઈજાઓ થઈ છે. તે પોતાના કાનથી સાંભળી નથી શકતી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે