Motivational Speaker Vivek Bindra વિવાદોમાં ફસાયા, તેમની પત્ની પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:33:16

થોડા સમય પહેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મોટિવેશનલ સ્પીકર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોઈ બીજાએ પરંતુ તેમની પત્નીએ કર્યો છે. પત્ની સાથે મારપીટ  કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વિવેક બિન્દ્રાનો અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 6 ડિસેમ્બર 2023એ થયા હતા. 

સંદીપ માહેશ્વરી સાથે ચાલ્યો હતો વિવાદ 

સોશિયલ મીડિયા પર અનકે વખત જ્યારે તમે રિલ્સ જોતા હશો ત્યારે વિવેક બિન્દ્રાની મોટિવેશનલ સ્પીચ આવતી હશે. પરંતુ થોડા સમયથી વિવેક બિન્દ્રા સતત ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા સંદીપ માહેશ્વરી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેદ બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. વિવેક બિન્દ્રાની પત્નીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખળ કરવામાં આવી છે. 


વિવેક બિન્દ્રાની પત્નીને પહોંચી ઈજા  

મીડિયા રિપોર્ટ અનુસાર વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા સાથે થયા હતા. બીજા દિવસે 7મી ડિસેમ્બરે સવારે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમની બહેને દરમિયાનગીરી કરી તો વિવેક બિન્દ્રાએ તેને માર માર્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી યાનિકાને ઘણી ઈજાઓ થઈ છે. તે પોતાના કાનથી સાંભળી નથી શકતી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.