Motivational Speaker Vivek Bindra વિવાદોમાં ફસાયા, તેમની પત્ની પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:33:16

થોડા સમય પહેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મોટિવેશનલ સ્પીકર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોઈ બીજાએ પરંતુ તેમની પત્નીએ કર્યો છે. પત્ની સાથે મારપીટ  કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વિવેક બિન્દ્રાનો અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 6 ડિસેમ્બર 2023એ થયા હતા. 

સંદીપ માહેશ્વરી સાથે ચાલ્યો હતો વિવાદ 

સોશિયલ મીડિયા પર અનકે વખત જ્યારે તમે રિલ્સ જોતા હશો ત્યારે વિવેક બિન્દ્રાની મોટિવેશનલ સ્પીચ આવતી હશે. પરંતુ થોડા સમયથી વિવેક બિન્દ્રા સતત ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા સંદીપ માહેશ્વરી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેદ બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. વિવેક બિન્દ્રાની પત્નીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખળ કરવામાં આવી છે. 


વિવેક બિન્દ્રાની પત્નીને પહોંચી ઈજા  

મીડિયા રિપોર્ટ અનુસાર વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા સાથે થયા હતા. બીજા દિવસે 7મી ડિસેમ્બરે સવારે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમની બહેને દરમિયાનગીરી કરી તો વિવેક બિન્દ્રાએ તેને માર માર્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી યાનિકાને ઘણી ઈજાઓ થઈ છે. તે પોતાના કાનથી સાંભળી નથી શકતી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.