Motivational Speaker Vivek Bindra વિવાદોમાં ફસાયા, તેમની પત્ની પર હુમલો અને દુર્વ્યવહાર કર્યો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:33:16

થોડા સમય પહેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા ચર્ચામાં આવ્યા હતા. ત્યારે ફરીથી મોટિવેશનલ સ્પીકર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોઈ બીજાએ પરંતુ તેમની પત્નીએ કર્યો છે. પત્ની સાથે મારપીટ  કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં વિવેક બિન્દ્રાનો અન્ય મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સાથે વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમના લગ્ન 6 ડિસેમ્બર 2023એ થયા હતા. 

સંદીપ માહેશ્વરી સાથે ચાલ્યો હતો વિવાદ 

સોશિયલ મીડિયા પર અનકે વખત જ્યારે તમે રિલ્સ જોતા હશો ત્યારે વિવેક બિન્દ્રાની મોટિવેશનલ સ્પીચ આવતી હશે. પરંતુ થોડા સમયથી વિવેક બિન્દ્રા સતત ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા સંદીપ માહેશ્વરી સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે વિવેદ બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. વિવેક બિન્દ્રાની પત્નીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખળ કરવામાં આવી છે. 


વિવેક બિન્દ્રાની પત્નીને પહોંચી ઈજા  

મીડિયા રિપોર્ટ અનુસાર વિવેક બિન્દ્રા વિરુદ્ધ 14 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, તેની બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બર, 2023ના રોજ વિવેક બિન્દ્રા સાથે થયા હતા. બીજા દિવસે 7મી ડિસેમ્બરે સવારે વિવેક બિન્દ્રા તેની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમની બહેને દરમિયાનગીરી કરી તો વિવેક બિન્દ્રાએ તેને માર માર્યો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી યાનિકાને ઘણી ઈજાઓ થઈ છે. તે પોતાના કાનથી સાંભળી નથી શકતી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.