Motivational Story : માતા પિતા નિરક્ષર હોવા છતાં બાળકોને ભણાવ્યા અને બનશે ડોક્ટર, જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-23 14:22:40

કહેવાય છે કે ગામડાના છોકરામાં કંઈ કરી બતાવવાનો જસ્બો હોય છે. તેમની અંદર પોતાને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેમનામાં કંઈક કરવાની, કંઈક બનવાની, ગરીબ માબાપના સંઘર્ષને વ્યર્થ ન જવા દેવા તે મહેનતના જોરે કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે. આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવનગરના તળાજાના મોટાધાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભંમરા પરિવારના છોકરાઓએ. એક જ પરિવારના 3 સગા ભાઈ બહેન MBBS કરીને ડોક્ટર બનશે. 


એક જ પરિવારના ત્રણ સંતાનો બનશે ડોક્ટર!

તમને લાગશે કે આ વાત તો ઘણી સામાન્ય છે. અનેક લોકો ડોક્ટર બનતા હોય છે. આમ વાત સામાન્ય છે પરંતુ તે પરિવાર તેમજ તે લોકો માટે નહીં જે સંઘર્ષ કરી પોતાના પગ પર ઉભા થતા હોય છે. સાવ સામાન્ય પરિવારના ભાઈ બહેન. બે બહેનો અને એક ભાઈ એમબીબીએસ બનવાના છે. છોકરાઓએ બારમા ધોરણ પછી નીટની પરીક્ષામાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈ બહેનોએ નીટમાં મેળવ્યા સારા માર્ક્સ

ત્રણેય ભાઈ બહેનોની વાત કરીએ તો ભંમર રાણીબેને નીટમાં 511 ગુણ પ્રાપ્ત કરી હિંમતનગરની મેડકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તેમના બીજા બહેન ભંમર દયાબેને 2022માં 516 માર્ક મેળવી મોરબીની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેમના નાના ભાઈ ભંમર દેવાણંદે નીટમાં 720માંથી 647 ગુણ મેળવી ભાવનગરના તળાજા તાલુકામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનોએ ગુજરાતમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે  કે જો લગની લાગી હોય તો કંઈ પણ કરી શકાય છે. 


પિતાના સંઘર્ષે તેમને આગળ વધવાની પ્રેરણા આપી!

આ છોકરાઓની વાત કરીએ તો તે સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. જ્યારે તે ભણતા  હતા ત્યારે સાથોસાથ ખેતરમાં કામ પણ કરતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં આગળ આવ્યા છે જ્યાં વાંચવા માટે વીજળીની પણ યોગ્ય સુવિધા નથી હોતી કારણ કે તેઓ વાડી વિસ્તારમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થીઓના પિતાની વાત કરીએ તો વાસુરભાઈ ભંમર સાવ અભણ છે છતાં મજૂરી કરી તેણે પોતાના બાળકોને સારું જીવન આપવા ભણાવ્યા અને મોટી વાત તો એ છે કે બાપની મહેનત સામે જોઈ છોકરાઓ ભણ્યા પણ.


સંઘર્ષની કહાણી સાંભળી બીજા લોકોને પ્રેરણા મળે!

લગભગ ગુજરાતમાં પહેલીવાર બનશે કે એક જ પરિવારના સગાભાઈ બહેન એમબીબીએસ કરી ડોક્ટર બનશે. આ સમાચાર આપના સુધી પહોંચાડવાનો માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે બને તેટલી સકારાત્મક ઊર્જાનો અમેં ગુજરાતમાં સંચાર કરીએ. શું ખબર તેમની સંઘર્ષની વાત સાંભળીને બીજા કોઈ પરિવારના દીકરા-દીકરીઓની પણ જીંદગી સુધરી જાય. પણ સાથો સાથ અમારે એ પણ કહેવું છે કે એવું જરૂરી નથી કે ડોક્ટર કે એન્જિનિયર બન્યે જ સફળતા મળી કહેવાય. તમે તમારા જીવનમાં ખુશ છો અને તમારું મનગમતું કામ કરતા હોવ તો તમે પણ સફળ જ છો



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.