Motivational Story : માતા પિતા નિરક્ષર હોવા છતાં બાળકોને ભણાવ્યા અને બનશે ડોક્ટર, જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-23 14:22:40

કહેવાય છે કે ગામડાના છોકરામાં કંઈ કરી બતાવવાનો જસ્બો હોય છે. તેમની અંદર પોતાને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેમનામાં કંઈક કરવાની, કંઈક બનવાની, ગરીબ માબાપના સંઘર્ષને વ્યર્થ ન જવા દેવા તે મહેનતના જોરે કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે. આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવનગરના તળાજાના મોટાધાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભંમરા પરિવારના છોકરાઓએ. એક જ પરિવારના 3 સગા ભાઈ બહેન MBBS કરીને ડોક્ટર બનશે. 


એક જ પરિવારના ત્રણ સંતાનો બનશે ડોક્ટર!

તમને લાગશે કે આ વાત તો ઘણી સામાન્ય છે. અનેક લોકો ડોક્ટર બનતા હોય છે. આમ વાત સામાન્ય છે પરંતુ તે પરિવાર તેમજ તે લોકો માટે નહીં જે સંઘર્ષ કરી પોતાના પગ પર ઉભા થતા હોય છે. સાવ સામાન્ય પરિવારના ભાઈ બહેન. બે બહેનો અને એક ભાઈ એમબીબીએસ બનવાના છે. છોકરાઓએ બારમા ધોરણ પછી નીટની પરીક્ષામાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈ બહેનોએ નીટમાં મેળવ્યા સારા માર્ક્સ

ત્રણેય ભાઈ બહેનોની વાત કરીએ તો ભંમર રાણીબેને નીટમાં 511 ગુણ પ્રાપ્ત કરી હિંમતનગરની મેડકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તેમના બીજા બહેન ભંમર દયાબેને 2022માં 516 માર્ક મેળવી મોરબીની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેમના નાના ભાઈ ભંમર દેવાણંદે નીટમાં 720માંથી 647 ગુણ મેળવી ભાવનગરના તળાજા તાલુકામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનોએ ગુજરાતમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે  કે જો લગની લાગી હોય તો કંઈ પણ કરી શકાય છે. 


પિતાના સંઘર્ષે તેમને આગળ વધવાની પ્રેરણા આપી!

આ છોકરાઓની વાત કરીએ તો તે સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. જ્યારે તે ભણતા  હતા ત્યારે સાથોસાથ ખેતરમાં કામ પણ કરતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં આગળ આવ્યા છે જ્યાં વાંચવા માટે વીજળીની પણ યોગ્ય સુવિધા નથી હોતી કારણ કે તેઓ વાડી વિસ્તારમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થીઓના પિતાની વાત કરીએ તો વાસુરભાઈ ભંમર સાવ અભણ છે છતાં મજૂરી કરી તેણે પોતાના બાળકોને સારું જીવન આપવા ભણાવ્યા અને મોટી વાત તો એ છે કે બાપની મહેનત સામે જોઈ છોકરાઓ ભણ્યા પણ.


સંઘર્ષની કહાણી સાંભળી બીજા લોકોને પ્રેરણા મળે!

લગભગ ગુજરાતમાં પહેલીવાર બનશે કે એક જ પરિવારના સગાભાઈ બહેન એમબીબીએસ કરી ડોક્ટર બનશે. આ સમાચાર આપના સુધી પહોંચાડવાનો માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે બને તેટલી સકારાત્મક ઊર્જાનો અમેં ગુજરાતમાં સંચાર કરીએ. શું ખબર તેમની સંઘર્ષની વાત સાંભળીને બીજા કોઈ પરિવારના દીકરા-દીકરીઓની પણ જીંદગી સુધરી જાય. પણ સાથો સાથ અમારે એ પણ કહેવું છે કે એવું જરૂરી નથી કે ડોક્ટર કે એન્જિનિયર બન્યે જ સફળતા મળી કહેવાય. તમે તમારા જીવનમાં ખુશ છો અને તમારું મનગમતું કામ કરતા હોવ તો તમે પણ સફળ જ છો



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.