Motivational Story : માતા પિતા નિરક્ષર હોવા છતાં બાળકોને ભણાવ્યા અને બનશે ડોક્ટર, જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-23 14:22:40

કહેવાય છે કે ગામડાના છોકરામાં કંઈ કરી બતાવવાનો જસ્બો હોય છે. તેમની અંદર પોતાને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેમનામાં કંઈક કરવાની, કંઈક બનવાની, ગરીબ માબાપના સંઘર્ષને વ્યર્થ ન જવા દેવા તે મહેનતના જોરે કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે. આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવનગરના તળાજાના મોટાધાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભંમરા પરિવારના છોકરાઓએ. એક જ પરિવારના 3 સગા ભાઈ બહેન MBBS કરીને ડોક્ટર બનશે. 


એક જ પરિવારના ત્રણ સંતાનો બનશે ડોક્ટર!

તમને લાગશે કે આ વાત તો ઘણી સામાન્ય છે. અનેક લોકો ડોક્ટર બનતા હોય છે. આમ વાત સામાન્ય છે પરંતુ તે પરિવાર તેમજ તે લોકો માટે નહીં જે સંઘર્ષ કરી પોતાના પગ પર ઉભા થતા હોય છે. સાવ સામાન્ય પરિવારના ભાઈ બહેન. બે બહેનો અને એક ભાઈ એમબીબીએસ બનવાના છે. છોકરાઓએ બારમા ધોરણ પછી નીટની પરીક્ષામાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈ બહેનોએ નીટમાં મેળવ્યા સારા માર્ક્સ

ત્રણેય ભાઈ બહેનોની વાત કરીએ તો ભંમર રાણીબેને નીટમાં 511 ગુણ પ્રાપ્ત કરી હિંમતનગરની મેડકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તેમના બીજા બહેન ભંમર દયાબેને 2022માં 516 માર્ક મેળવી મોરબીની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેમના નાના ભાઈ ભંમર દેવાણંદે નીટમાં 720માંથી 647 ગુણ મેળવી ભાવનગરના તળાજા તાલુકામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનોએ ગુજરાતમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે  કે જો લગની લાગી હોય તો કંઈ પણ કરી શકાય છે. 


પિતાના સંઘર્ષે તેમને આગળ વધવાની પ્રેરણા આપી!

આ છોકરાઓની વાત કરીએ તો તે સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. જ્યારે તે ભણતા  હતા ત્યારે સાથોસાથ ખેતરમાં કામ પણ કરતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં આગળ આવ્યા છે જ્યાં વાંચવા માટે વીજળીની પણ યોગ્ય સુવિધા નથી હોતી કારણ કે તેઓ વાડી વિસ્તારમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થીઓના પિતાની વાત કરીએ તો વાસુરભાઈ ભંમર સાવ અભણ છે છતાં મજૂરી કરી તેણે પોતાના બાળકોને સારું જીવન આપવા ભણાવ્યા અને મોટી વાત તો એ છે કે બાપની મહેનત સામે જોઈ છોકરાઓ ભણ્યા પણ.


સંઘર્ષની કહાણી સાંભળી બીજા લોકોને પ્રેરણા મળે!

લગભગ ગુજરાતમાં પહેલીવાર બનશે કે એક જ પરિવારના સગાભાઈ બહેન એમબીબીએસ કરી ડોક્ટર બનશે. આ સમાચાર આપના સુધી પહોંચાડવાનો માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે બને તેટલી સકારાત્મક ઊર્જાનો અમેં ગુજરાતમાં સંચાર કરીએ. શું ખબર તેમની સંઘર્ષની વાત સાંભળીને બીજા કોઈ પરિવારના દીકરા-દીકરીઓની પણ જીંદગી સુધરી જાય. પણ સાથો સાથ અમારે એ પણ કહેવું છે કે એવું જરૂરી નથી કે ડોક્ટર કે એન્જિનિયર બન્યે જ સફળતા મળી કહેવાય. તમે તમારા જીવનમાં ખુશ છો અને તમારું મનગમતું કામ કરતા હોવ તો તમે પણ સફળ જ છો



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.