Motivational Story : માતા પિતા નિરક્ષર હોવા છતાં બાળકોને ભણાવ્યા અને બનશે ડોક્ટર, જાણો ક્યાંની છે ઘટના


  • Published By :
  • Published Date : 2023-06-23 14:22:40

કહેવાય છે કે ગામડાના છોકરામાં કંઈ કરી બતાવવાનો જસ્બો હોય છે. તેમની અંદર પોતાને સાબિત કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. તેમનામાં કંઈક કરવાની, કંઈક બનવાની, ગરીબ માબાપના સંઘર્ષને વ્યર્થ ન જવા દેવા તે મહેનતના જોરે કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે. આવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાવનગરના તળાજાના મોટાધાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભંમરા પરિવારના છોકરાઓએ. એક જ પરિવારના 3 સગા ભાઈ બહેન MBBS કરીને ડોક્ટર બનશે. 


એક જ પરિવારના ત્રણ સંતાનો બનશે ડોક્ટર!

તમને લાગશે કે આ વાત તો ઘણી સામાન્ય છે. અનેક લોકો ડોક્ટર બનતા હોય છે. આમ વાત સામાન્ય છે પરંતુ તે પરિવાર તેમજ તે લોકો માટે નહીં જે સંઘર્ષ કરી પોતાના પગ પર ઉભા થતા હોય છે. સાવ સામાન્ય પરિવારના ભાઈ બહેન. બે બહેનો અને એક ભાઈ એમબીબીએસ બનવાના છે. છોકરાઓએ બારમા ધોરણ પછી નીટની પરીક્ષામાં ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે. 


ભાઈ બહેનોએ નીટમાં મેળવ્યા સારા માર્ક્સ

ત્રણેય ભાઈ બહેનોની વાત કરીએ તો ભંમર રાણીબેને નીટમાં 511 ગુણ પ્રાપ્ત કરી હિંમતનગરની મેડકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, તેમના બીજા બહેન ભંમર દયાબેને 2022માં 516 માર્ક મેળવી મોરબીની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને હવે તેમના નાના ભાઈ ભંમર દેવાણંદે નીટમાં 720માંથી 647 ગુણ મેળવી ભાવનગરના તળાજા તાલુકામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટૂંકમાં ત્રણેય ભાઈ બહેનોએ ગુજરાતમાં એક સકારાત્મક સંદેશ ફેલાવ્યો છે  કે જો લગની લાગી હોય તો કંઈ પણ કરી શકાય છે. 


પિતાના સંઘર્ષે તેમને આગળ વધવાની પ્રેરણા આપી!

આ છોકરાઓની વાત કરીએ તો તે સાવ ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે. જ્યારે તે ભણતા  હતા ત્યારે સાથોસાથ ખેતરમાં કામ પણ કરતા હતા. તેઓ એવી પરિસ્થિતિમાં આગળ આવ્યા છે જ્યાં વાંચવા માટે વીજળીની પણ યોગ્ય સુવિધા નથી હોતી કારણ કે તેઓ વાડી વિસ્તારમાં રહે છે. ત્રણેય વિદ્યાર્થીઓના પિતાની વાત કરીએ તો વાસુરભાઈ ભંમર સાવ અભણ છે છતાં મજૂરી કરી તેણે પોતાના બાળકોને સારું જીવન આપવા ભણાવ્યા અને મોટી વાત તો એ છે કે બાપની મહેનત સામે જોઈ છોકરાઓ ભણ્યા પણ.


સંઘર્ષની કહાણી સાંભળી બીજા લોકોને પ્રેરણા મળે!

લગભગ ગુજરાતમાં પહેલીવાર બનશે કે એક જ પરિવારના સગાભાઈ બહેન એમબીબીએસ કરી ડોક્ટર બનશે. આ સમાચાર આપના સુધી પહોંચાડવાનો માત્ર ઉદ્દેશ્ય એટલો જ છે કે બને તેટલી સકારાત્મક ઊર્જાનો અમેં ગુજરાતમાં સંચાર કરીએ. શું ખબર તેમની સંઘર્ષની વાત સાંભળીને બીજા કોઈ પરિવારના દીકરા-દીકરીઓની પણ જીંદગી સુધરી જાય. પણ સાથો સાથ અમારે એ પણ કહેવું છે કે એવું જરૂરી નથી કે ડોક્ટર કે એન્જિનિયર બન્યે જ સફળતા મળી કહેવાય. તમે તમારા જીવનમાં ખુશ છો અને તમારું મનગમતું કામ કરતા હોવ તો તમે પણ સફળ જ છો



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.