હાથી પર સવાર થઈ મા જગદંબા આવશે ધરતી લોક પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:39:15

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલુ છે.  વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે.  મહા મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જ્યારે આસો તેમજ ચૈત્ર નવરાત્રી પ્રચલિત નવરાત્રી છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. 26 સપ્ટેમ્બરથી આ વખતે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજી હાથી ઉપર સવાર થઈ ધરતી લોકમાં આવવાના છે. 

દિવસ પ્રમાણે બદલાય છે માતાજીની સવારી 

નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસ પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોકોમાં આવે છે. જો નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈ ભૂલોક પર આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને ધરતી લોક પર આવે છે. બુધવારના દિવસથી જો નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી હોળીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતા પૃથ્વી  લોક પર આવે છે.

Arrrival and departure of Goddess Durga – freeflowshardiya navratri 2020 this navratri durga maa-is-coming-on-horse-and go by  buffalo know-its-meaning-and-importance according to jyotish shastra -  Rojgar Samachar | Govt Jobs News, University Exam Results, Time Table,  Admit Card and Rojgar Results



નવ દુર્ગાની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરી સાધક સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી સંધિકાળમાં શરૂ થાય છે જ્યારે 2 નવરાત્રી સામાન્ય ઋતુમાં આવે છે. શારદીય નવરાત્રી વર્ષા ઋતુના અંત સમયે તેમજ શિયાળાના પ્રારંભના સમયે આવે છે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.