હાથી પર સવાર થઈ મા જગદંબા આવશે ધરતી લોક પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:39:15

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલુ છે.  વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે.  મહા મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જ્યારે આસો તેમજ ચૈત્ર નવરાત્રી પ્રચલિત નવરાત્રી છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. 26 સપ્ટેમ્બરથી આ વખતે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજી હાથી ઉપર સવાર થઈ ધરતી લોકમાં આવવાના છે. 

દિવસ પ્રમાણે બદલાય છે માતાજીની સવારી 

નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસ પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોકોમાં આવે છે. જો નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈ ભૂલોક પર આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને ધરતી લોક પર આવે છે. બુધવારના દિવસથી જો નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી હોળીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતા પૃથ્વી  લોક પર આવે છે.

Arrrival and departure of Goddess Durga – freeflowshardiya navratri 2020 this navratri durga maa-is-coming-on-horse-and go by  buffalo know-its-meaning-and-importance according to jyotish shastra -  Rojgar Samachar | Govt Jobs News, University Exam Results, Time Table,  Admit Card and Rojgar Results



નવ દુર્ગાની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરી સાધક સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી સંધિકાળમાં શરૂ થાય છે જ્યારે 2 નવરાત્રી સામાન્ય ઋતુમાં આવે છે. શારદીય નવરાત્રી વર્ષા ઋતુના અંત સમયે તેમજ શિયાળાના પ્રારંભના સમયે આવે છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.