હાથી પર સવાર થઈ મા જગદંબા આવશે ધરતી લોક પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 17:39:15

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલુ છે.  વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે.  મહા મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે જ્યારે આસો તેમજ ચૈત્ર નવરાત્રી પ્રચલિત નવરાત્રી છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. 26 સપ્ટેમ્બરથી આ વખતે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થતા માતાજી હાથી ઉપર સવાર થઈ ધરતી લોકમાં આવવાના છે. 

દિવસ પ્રમાણે બદલાય છે માતાજીની સવારી 

નવરાત્રી જે દિવસથી શરૂ થતી હોય તે દિવસ પ્રમાણે અલગ અલગ વાહનો પર બિરાજમાન થઈ માતાજી ધરતીલોકોમાં આવે છે. જો નવરાત્રી રવિવાર કે સોમવારથી શરૂ થતી હોય તો માતાજી હાથી પર સવાર થઈ ભૂલોક પર આવે છે. જો મંગળવાર કે શનિવારથી નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી ઘોડા પર સવાર થઈને ધરતી લોક પર આવે છે. બુધવારના દિવસથી જો નવરાત્રીનો પ્રારંભ થતો હોય તો માતાજી હોળીમાં સવાર થઈ ધરતી પર આવે છે. જો નવરાત્રીનો પ્રારંભ ગુરુવાર કે શુક્રવારથી થતો હોય તો ડોલીમાં બેસી માતા પૃથ્વી  લોક પર આવે છે.

Arrrival and departure of Goddess Durga – freeflowshardiya navratri 2020 this navratri durga maa-is-coming-on-horse-and go by  buffalo know-its-meaning-and-importance according to jyotish shastra -  Rojgar Samachar | Govt Jobs News, University Exam Results, Time Table,  Admit Card and Rojgar Results



નવ દુર્ગાની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની ઉપાસના કરી સાધક સિદ્ધી પ્રાપ્ત કરી શકે છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે 4 નવરાત્રી આવે છે જેમાંથી 2 નવરાત્રી સંધિકાળમાં શરૂ થાય છે જ્યારે 2 નવરાત્રી સામાન્ય ઋતુમાં આવે છે. શારદીય નવરાત્રી વર્ષા ઋતુના અંત સમયે તેમજ શિયાળાના પ્રારંભના સમયે આવે છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે