ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો પર સાંસદ દર્શના જરદોશે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:53:49

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે. નવી રણનીતિ સાથે આ વખતે ચૂંટણી લડાઈ રહી છે. નવી રણનીતિમાં મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલો જૂના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ વિવાદ છેડાયો છે. ઈટાલિયાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાનની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર અનેક પ્રતિક્રિયા મળી રહી છે. સ્મૃતિ ઈરાની બાદ સાંસદ દર્શના જરદોશે પ્રતિક્રિયા આપી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ તેમના સંસ્કાર અને માનસિકતા છે. 

સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે - દર્શના જરદોશ

થોડા દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે વડાપ્રધાન માટે અપશબ્દ વાપર્યા હતા. જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સાંસદ દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન મોદીની માતા પર જે ઉચ્ચારણો પાર્ટીના લોકો કરી રહ્યા છે તે તેમના સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે. 

Darshana Jardosh उम्र, Caste, पति, बच्चे, परिवार, Biography in Hindi -  बायोग्राफी

હીરાબા ઉપર કોઈ પણ આક્ષેપ ચલાવી નહીં લઈએ  

100 વર્ષની ઉમરે પહોંચેલી માં કે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે. જે સંઘર્ષ કર્યો છે. જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે વખતે મળે છે. જે વડાપ્રધાનના નિવાસ સ્થાને જઈને રહેતા નથી. તે માતાને ચૂંટણીના પ્રચારમાં ઢસડીને જે માનસિકતા સાથે આક્ષેપ કર્યા છે તેને ભાજપનો મહિલા મોરચો ખરાબ રીતે વખોડે છે અને કહ્યું કે અમારી માતા સમાન હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ કરશો તો અમે ચલાવી નહીં લઈ એ. લોકો જ જવાબ આપશે. સંસ્કાર માટે કાર્યવાહી નહીં હોય.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે