ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો પર સાંસદ દર્શના જરદોશે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:53:49

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે. નવી રણનીતિ સાથે આ વખતે ચૂંટણી લડાઈ રહી છે. નવી રણનીતિમાં મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલો જૂના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ વિવાદ છેડાયો છે. ઈટાલિયાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાનની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર અનેક પ્રતિક્રિયા મળી રહી છે. સ્મૃતિ ઈરાની બાદ સાંસદ દર્શના જરદોશે પ્રતિક્રિયા આપી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ તેમના સંસ્કાર અને માનસિકતા છે. 

સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે - દર્શના જરદોશ

થોડા દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે વડાપ્રધાન માટે અપશબ્દ વાપર્યા હતા. જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સાંસદ દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન મોદીની માતા પર જે ઉચ્ચારણો પાર્ટીના લોકો કરી રહ્યા છે તે તેમના સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે. 

Darshana Jardosh उम्र, Caste, पति, बच्चे, परिवार, Biography in Hindi -  बायोग्राफी

હીરાબા ઉપર કોઈ પણ આક્ષેપ ચલાવી નહીં લઈએ  

100 વર્ષની ઉમરે પહોંચેલી માં કે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે. જે સંઘર્ષ કર્યો છે. જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે વખતે મળે છે. જે વડાપ્રધાનના નિવાસ સ્થાને જઈને રહેતા નથી. તે માતાને ચૂંટણીના પ્રચારમાં ઢસડીને જે માનસિકતા સાથે આક્ષેપ કર્યા છે તેને ભાજપનો મહિલા મોરચો ખરાબ રીતે વખોડે છે અને કહ્યું કે અમારી માતા સમાન હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ કરશો તો અમે ચલાવી નહીં લઈ એ. લોકો જ જવાબ આપશે. સંસ્કાર માટે કાર્યવાહી નહીં હોય.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.