ગોપાલ ઈટાલિયાના વાયરલ વીડિયો પર સાંસદ દર્શના જરદોશે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:53:49

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે. નવી રણનીતિ સાથે આ વખતે ચૂંટણી લડાઈ રહી છે. નવી રણનીતિમાં મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલો જૂના વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ વિવાદ છેડાયો છે. ઈટાલિયાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાનની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર અનેક પ્રતિક્રિયા મળી રહી છે. સ્મૃતિ ઈરાની બાદ સાંસદ દર્શના જરદોશે પ્રતિક્રિયા આપી હતી. પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ તેમના સંસ્કાર અને માનસિકતા છે. 

સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે - દર્શના જરદોશ

થોડા દિવસ પહેલા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે વડાપ્રધાન માટે અપશબ્દ વાપર્યા હતા. જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે વડાપ્રધાન મોદીની માતા પર પ્રહાર કર્યા છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સાંસદ દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન મોદીની માતા પર જે ઉચ્ચારણો પાર્ટીના લોકો કરી રહ્યા છે તે તેમના સંસ્કાર અને હલકી માનસિકતા દર્શાવે છે. 

Darshana Jardosh उम्र, Caste, पति, बच्चे, परिवार, Biography in Hindi -  बायोग्राफी

હીરાબા ઉપર કોઈ પણ આક્ષેપ ચલાવી નહીં લઈએ  

100 વર્ષની ઉમરે પહોંચેલી માં કે જેમણે અથાગ પ્રયત્ન કર્યા છે. જે સંઘર્ષ કર્યો છે. જે માતા પોતાના દીકરાને વર્ષમાં એક કે બે વખતે મળે છે. જે વડાપ્રધાનના નિવાસ સ્થાને જઈને રહેતા નથી. તે માતાને ચૂંટણીના પ્રચારમાં ઢસડીને જે માનસિકતા સાથે આક્ષેપ કર્યા છે તેને ભાજપનો મહિલા મોરચો ખરાબ રીતે વખોડે છે અને કહ્યું કે અમારી માતા સમાન હીરાબા ઉપર કઈ પણ આક્ષેપ કરશો તો અમે ચલાવી નહીં લઈ એ. લોકો જ જવાબ આપશે. સંસ્કાર માટે કાર્યવાહી નહીં હોય.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.