સાંસદ ગીતાબેનએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખીને કહ્યું, "તમારી કચેરીમાં લાંચ વગર કામ જ નથી થતું"


  • Published By :
  • Published Date : 2023-07-03 21:18:24

છોટાઉદેપુરની કલેક્ટર ઓફિસથી ફરિયાદ આવી છે કે ત્યાં લાંચ લીધા વગર કામ જ નથી થતું. એક નિવૃત વન અધિકારીને ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો જોઈતો હતો. તેમણે છોટાઉદેપુર પ્રાંત કાર્યાલયનો સંપર્ક કર્યો, તેમને એમ કે સરકારી કામ છે, થઈ જશે. નિવૃત વન અધિકારીનું કારણ હતું કે તે પણ સરકારની સિસ્ટમનો જ એક સમયે ભાગ રહેલા હતા. પણ તેમને કડવો અનુભવ થયો. પ્રાંત કાર્યાલયના બે અધિકારી એટલે કે પ્રગ્નેશ પરમાર અને રાજેશ બારડે દાખલો કઢાવી આપવા તેમની પાસેથી અઢી લાખ રૂપિયાની માગણી કરી. નિવૃત વન અધિકારી પણ પૂરતી પહોંચવાળા નીકળ્યા. તેમણે છોટાઉદેપુરના સાંસદને ફરિયાદ કરી દીધી કે કલેક્ટરના કાર્યલયમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાંચ લીધા વગર કામ નથી થતાં. સાંસદ ગીતાબેન રાઠવાએ આ વાતને ગંભીરતાથી લીધી અને તેમણે છોટાઉદેપુરના કલેક્ટર સ્તૂતી ચરનને પત્ર લખ્યો અને ખેડૂતની વેદના જણાવી. 

સાસંદ ગીતાબેન રાઠવાએ લખ્યું કે છોટાઉદેપુરના મહેસૂલ ખાતામાં ગેરરીતીની ફરીયાદો વધી રહી છે, રૂપિયાની લેતીદેતીવગર કામ જ નથી થતું, આપ જિલ્લાના વડા છો લોકો તમારી પાસે નહીં આવે તો ક્યાં જશે? આવું કહીને તેમણે બંને ભ્રષ્ટાચારી અધિકારી વિશે જણાવ્યું કે તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત વન કર્મચારી પાસે પણ લાંચ માગવાનું બાકી ન રાખ્યું, જો પૂર્વ સરકારી અધિકારીઓના આ હાલ હશે તો બાકીના સામાન્ય લોકોની તો વાત જ ન કરવાની હોય. સાંસદ ગીતાબેન રાઠવાએ તો કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને કોઈ જવાબ નથી મળતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે કલેક્ટરનો વહીવટી તંત્ર સાથતે કોઈ તાલમેળ જ નથી લાગી રહ્યો. આવું કહીને સાંસદે કલેક્ટરને વિનંતી કરી છે કે પાંચ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરો.


"ભાજપ જ MP કહે છે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર"

જો કે આ સમાચાર મીડિયામાં આવતા લોકોના ધ્યાનમાં આવ્યા હતા કે છોટાઉદેપુરમાં આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આ બાબતે પોતાની વાત મૂકી હતી કે ભાજપના શાસનમાં ખુલેઆમ ભ્રષ્ટાચાર થતઈ રહ્યો છે, આ વાત કોંગ્રેસ નહીં પણ ભાજપના જ સાંસદ કહે છે.

સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ નથી ચાલતી? 

કલેક્ટર... આ શબ્દ એવો છે કે જે એક સમયે શહેરના યુવાનોના મનમાં ફૂટતો હતો કે મારે આ જગ્યા સુધી પહોંચવું છે. એ સમય પસાર થયો અને હવે સમય એવો આવ્યો છે કે ગામડાના છોકરાના માનસ સુધી આ શબ્દના સપનારૂપી બીજ રોપાઈ ગયા છે. તેમના કાર્યાલયમાં જો આવો સડો જીવંત હોય તો કલેક્ટરને સડો દૂર કરવા રાહ જોવી ન જોઈએ, બાકી મોડું થઈ જશે. આ દેશ એક સિસ્ટમથી ચાલે છે. ગામડામાં લોકોની સમસ્યા સાંભળવા માટે સરપંચ અને સભ્યો છે. જિલ્લાઓમાં નેતા છે જેને લોકો ચૂંટે છે અને ધારાસભ્ય બનાવે છે. આ જ ધારાસભ્યો સાંસદોને ચૂંટે છે જે કાયદા ઘડવામાં મદદ કરે છે. આવી રીતે દેશનું સંચાલન થાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ ચાલી નથી રહી કારણ કે ભ્રષ્ટાચાર રૂપી સડો લાગી ગયો છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.