સાંસદ ગીતાબેનએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખીને કહ્યું, "તમારી કચેરીમાં લાંચ વગર કામ જ નથી થતું"


  • Published By :
  • Published Date : 2023-07-03 21:18:24

છોટાઉદેપુરની કલેક્ટર ઓફિસથી ફરિયાદ આવી છે કે ત્યાં લાંચ લીધા વગર કામ જ નથી થતું. એક નિવૃત વન અધિકારીને ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો જોઈતો હતો. તેમણે છોટાઉદેપુર પ્રાંત કાર્યાલયનો સંપર્ક કર્યો, તેમને એમ કે સરકારી કામ છે, થઈ જશે. નિવૃત વન અધિકારીનું કારણ હતું કે તે પણ સરકારની સિસ્ટમનો જ એક સમયે ભાગ રહેલા હતા. પણ તેમને કડવો અનુભવ થયો. પ્રાંત કાર્યાલયના બે અધિકારી એટલે કે પ્રગ્નેશ પરમાર અને રાજેશ બારડે દાખલો કઢાવી આપવા તેમની પાસેથી અઢી લાખ રૂપિયાની માગણી કરી. નિવૃત વન અધિકારી પણ પૂરતી પહોંચવાળા નીકળ્યા. તેમણે છોટાઉદેપુરના સાંસદને ફરિયાદ કરી દીધી કે કલેક્ટરના કાર્યલયમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાંચ લીધા વગર કામ નથી થતાં. સાંસદ ગીતાબેન રાઠવાએ આ વાતને ગંભીરતાથી લીધી અને તેમણે છોટાઉદેપુરના કલેક્ટર સ્તૂતી ચરનને પત્ર લખ્યો અને ખેડૂતની વેદના જણાવી. 

સાસંદ ગીતાબેન રાઠવાએ લખ્યું કે છોટાઉદેપુરના મહેસૂલ ખાતામાં ગેરરીતીની ફરીયાદો વધી રહી છે, રૂપિયાની લેતીદેતીવગર કામ જ નથી થતું, આપ જિલ્લાના વડા છો લોકો તમારી પાસે નહીં આવે તો ક્યાં જશે? આવું કહીને તેમણે બંને ભ્રષ્ટાચારી અધિકારી વિશે જણાવ્યું કે તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત વન કર્મચારી પાસે પણ લાંચ માગવાનું બાકી ન રાખ્યું, જો પૂર્વ સરકારી અધિકારીઓના આ હાલ હશે તો બાકીના સામાન્ય લોકોની તો વાત જ ન કરવાની હોય. સાંસદ ગીતાબેન રાઠવાએ તો કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને કોઈ જવાબ નથી મળતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે કલેક્ટરનો વહીવટી તંત્ર સાથતે કોઈ તાલમેળ જ નથી લાગી રહ્યો. આવું કહીને સાંસદે કલેક્ટરને વિનંતી કરી છે કે પાંચ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરો.


"ભાજપ જ MP કહે છે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર"

જો કે આ સમાચાર મીડિયામાં આવતા લોકોના ધ્યાનમાં આવ્યા હતા કે છોટાઉદેપુરમાં આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આ બાબતે પોતાની વાત મૂકી હતી કે ભાજપના શાસનમાં ખુલેઆમ ભ્રષ્ટાચાર થતઈ રહ્યો છે, આ વાત કોંગ્રેસ નહીં પણ ભાજપના જ સાંસદ કહે છે.

સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ નથી ચાલતી? 

કલેક્ટર... આ શબ્દ એવો છે કે જે એક સમયે શહેરના યુવાનોના મનમાં ફૂટતો હતો કે મારે આ જગ્યા સુધી પહોંચવું છે. એ સમય પસાર થયો અને હવે સમય એવો આવ્યો છે કે ગામડાના છોકરાના માનસ સુધી આ શબ્દના સપનારૂપી બીજ રોપાઈ ગયા છે. તેમના કાર્યાલયમાં જો આવો સડો જીવંત હોય તો કલેક્ટરને સડો દૂર કરવા રાહ જોવી ન જોઈએ, બાકી મોડું થઈ જશે. આ દેશ એક સિસ્ટમથી ચાલે છે. ગામડામાં લોકોની સમસ્યા સાંભળવા માટે સરપંચ અને સભ્યો છે. જિલ્લાઓમાં નેતા છે જેને લોકો ચૂંટે છે અને ધારાસભ્ય બનાવે છે. આ જ ધારાસભ્યો સાંસદોને ચૂંટે છે જે કાયદા ઘડવામાં મદદ કરે છે. આવી રીતે દેશનું સંચાલન થાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ ચાલી નથી રહી કારણ કે ભ્રષ્ટાચાર રૂપી સડો લાગી ગયો છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.