સાંસદ ગીતાબેનએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખીને કહ્યું, "તમારી કચેરીમાં લાંચ વગર કામ જ નથી થતું"


  • Published By :
  • Published Date : 2023-07-03 21:18:24

છોટાઉદેપુરની કલેક્ટર ઓફિસથી ફરિયાદ આવી છે કે ત્યાં લાંચ લીધા વગર કામ જ નથી થતું. એક નિવૃત વન અધિકારીને ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો જોઈતો હતો. તેમણે છોટાઉદેપુર પ્રાંત કાર્યાલયનો સંપર્ક કર્યો, તેમને એમ કે સરકારી કામ છે, થઈ જશે. નિવૃત વન અધિકારીનું કારણ હતું કે તે પણ સરકારની સિસ્ટમનો જ એક સમયે ભાગ રહેલા હતા. પણ તેમને કડવો અનુભવ થયો. પ્રાંત કાર્યાલયના બે અધિકારી એટલે કે પ્રગ્નેશ પરમાર અને રાજેશ બારડે દાખલો કઢાવી આપવા તેમની પાસેથી અઢી લાખ રૂપિયાની માગણી કરી. નિવૃત વન અધિકારી પણ પૂરતી પહોંચવાળા નીકળ્યા. તેમણે છોટાઉદેપુરના સાંસદને ફરિયાદ કરી દીધી કે કલેક્ટરના કાર્યલયમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાંચ લીધા વગર કામ નથી થતાં. સાંસદ ગીતાબેન રાઠવાએ આ વાતને ગંભીરતાથી લીધી અને તેમણે છોટાઉદેપુરના કલેક્ટર સ્તૂતી ચરનને પત્ર લખ્યો અને ખેડૂતની વેદના જણાવી. 

સાસંદ ગીતાબેન રાઠવાએ લખ્યું કે છોટાઉદેપુરના મહેસૂલ ખાતામાં ગેરરીતીની ફરીયાદો વધી રહી છે, રૂપિયાની લેતીદેતીવગર કામ જ નથી થતું, આપ જિલ્લાના વડા છો લોકો તમારી પાસે નહીં આવે તો ક્યાં જશે? આવું કહીને તેમણે બંને ભ્રષ્ટાચારી અધિકારી વિશે જણાવ્યું કે તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત વન કર્મચારી પાસે પણ લાંચ માગવાનું બાકી ન રાખ્યું, જો પૂર્વ સરકારી અધિકારીઓના આ હાલ હશે તો બાકીના સામાન્ય લોકોની તો વાત જ ન કરવાની હોય. સાંસદ ગીતાબેન રાઠવાએ તો કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને કોઈ જવાબ નથી મળતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે કલેક્ટરનો વહીવટી તંત્ર સાથતે કોઈ તાલમેળ જ નથી લાગી રહ્યો. આવું કહીને સાંસદે કલેક્ટરને વિનંતી કરી છે કે પાંચ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરો.


"ભાજપ જ MP કહે છે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર"

જો કે આ સમાચાર મીડિયામાં આવતા લોકોના ધ્યાનમાં આવ્યા હતા કે છોટાઉદેપુરમાં આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આ બાબતે પોતાની વાત મૂકી હતી કે ભાજપના શાસનમાં ખુલેઆમ ભ્રષ્ટાચાર થતઈ રહ્યો છે, આ વાત કોંગ્રેસ નહીં પણ ભાજપના જ સાંસદ કહે છે.

સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ નથી ચાલતી? 

કલેક્ટર... આ શબ્દ એવો છે કે જે એક સમયે શહેરના યુવાનોના મનમાં ફૂટતો હતો કે મારે આ જગ્યા સુધી પહોંચવું છે. એ સમય પસાર થયો અને હવે સમય એવો આવ્યો છે કે ગામડાના છોકરાના માનસ સુધી આ શબ્દના સપનારૂપી બીજ રોપાઈ ગયા છે. તેમના કાર્યાલયમાં જો આવો સડો જીવંત હોય તો કલેક્ટરને સડો દૂર કરવા રાહ જોવી ન જોઈએ, બાકી મોડું થઈ જશે. આ દેશ એક સિસ્ટમથી ચાલે છે. ગામડામાં લોકોની સમસ્યા સાંભળવા માટે સરપંચ અને સભ્યો છે. જિલ્લાઓમાં નેતા છે જેને લોકો ચૂંટે છે અને ધારાસભ્ય બનાવે છે. આ જ ધારાસભ્યો સાંસદોને ચૂંટે છે જે કાયદા ઘડવામાં મદદ કરે છે. આવી રીતે દેશનું સંચાલન થાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ ચાલી નથી રહી કારણ કે ભ્રષ્ટાચાર રૂપી સડો લાગી ગયો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.