સાંસદ ગીતાબેનએ છોટાઉદેપુર કલેક્ટરને પત્ર લખીને કહ્યું, "તમારી કચેરીમાં લાંચ વગર કામ જ નથી થતું"


  • Published By :
  • Published Date : 2023-07-03 21:18:24

છોટાઉદેપુરની કલેક્ટર ઓફિસથી ફરિયાદ આવી છે કે ત્યાં લાંચ લીધા વગર કામ જ નથી થતું. એક નિવૃત વન અધિકારીને ખેડૂત ખાતેદાર ખરાઈનો દાખલો જોઈતો હતો. તેમણે છોટાઉદેપુર પ્રાંત કાર્યાલયનો સંપર્ક કર્યો, તેમને એમ કે સરકારી કામ છે, થઈ જશે. નિવૃત વન અધિકારીનું કારણ હતું કે તે પણ સરકારની સિસ્ટમનો જ એક સમયે ભાગ રહેલા હતા. પણ તેમને કડવો અનુભવ થયો. પ્રાંત કાર્યાલયના બે અધિકારી એટલે કે પ્રગ્નેશ પરમાર અને રાજેશ બારડે દાખલો કઢાવી આપવા તેમની પાસેથી અઢી લાખ રૂપિયાની માગણી કરી. નિવૃત વન અધિકારી પણ પૂરતી પહોંચવાળા નીકળ્યા. તેમણે છોટાઉદેપુરના સાંસદને ફરિયાદ કરી દીધી કે કલેક્ટરના કાર્યલયમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લાંચ લીધા વગર કામ નથી થતાં. સાંસદ ગીતાબેન રાઠવાએ આ વાતને ગંભીરતાથી લીધી અને તેમણે છોટાઉદેપુરના કલેક્ટર સ્તૂતી ચરનને પત્ર લખ્યો અને ખેડૂતની વેદના જણાવી. 

સાસંદ ગીતાબેન રાઠવાએ લખ્યું કે છોટાઉદેપુરના મહેસૂલ ખાતામાં ગેરરીતીની ફરીયાદો વધી રહી છે, રૂપિયાની લેતીદેતીવગર કામ જ નથી થતું, આપ જિલ્લાના વડા છો લોકો તમારી પાસે નહીં આવે તો ક્યાં જશે? આવું કહીને તેમણે બંને ભ્રષ્ટાચારી અધિકારી વિશે જણાવ્યું કે તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત વન કર્મચારી પાસે પણ લાંચ માગવાનું બાકી ન રાખ્યું, જો પૂર્વ સરકારી અધિકારીઓના આ હાલ હશે તો બાકીના સામાન્ય લોકોની તો વાત જ ન કરવાની હોય. સાંસદ ગીતાબેન રાઠવાએ તો કલેક્ટરને સ્પષ્ટ કહી દીધું કે ખેડૂતોને કોઈ જવાબ નથી મળતા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે કલેક્ટરનો વહીવટી તંત્ર સાથતે કોઈ તાલમેળ જ નથી લાગી રહ્યો. આવું કહીને સાંસદે કલેક્ટરને વિનંતી કરી છે કે પાંચ દિવસમાં આ ફરિયાદનો નિકાલ કરો.


"ભાજપ જ MP કહે છે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર"

જો કે આ સમાચાર મીડિયામાં આવતા લોકોના ધ્યાનમાં આવ્યા હતા કે છોટાઉદેપુરમાં આવું થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે આ બાબતે પોતાની વાત મૂકી હતી કે ભાજપના શાસનમાં ખુલેઆમ ભ્રષ્ટાચાર થતઈ રહ્યો છે, આ વાત કોંગ્રેસ નહીં પણ ભાજપના જ સાંસદ કહે છે.

સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ નથી ચાલતી? 

કલેક્ટર... આ શબ્દ એવો છે કે જે એક સમયે શહેરના યુવાનોના મનમાં ફૂટતો હતો કે મારે આ જગ્યા સુધી પહોંચવું છે. એ સમય પસાર થયો અને હવે સમય એવો આવ્યો છે કે ગામડાના છોકરાના માનસ સુધી આ શબ્દના સપનારૂપી બીજ રોપાઈ ગયા છે. તેમના કાર્યાલયમાં જો આવો સડો જીવંત હોય તો કલેક્ટરને સડો દૂર કરવા રાહ જોવી ન જોઈએ, બાકી મોડું થઈ જશે. આ દેશ એક સિસ્ટમથી ચાલે છે. ગામડામાં લોકોની સમસ્યા સાંભળવા માટે સરપંચ અને સભ્યો છે. જિલ્લાઓમાં નેતા છે જેને લોકો ચૂંટે છે અને ધારાસભ્ય બનાવે છે. આ જ ધારાસભ્યો સાંસદોને ચૂંટે છે જે કાયદા ઘડવામાં મદદ કરે છે. આવી રીતે દેશનું સંચાલન થાય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સાંસદોના બૂમ બરાડાથી પણ સિસ્ટમ ચાલી નથી રહી કારણ કે ભ્રષ્ટાચાર રૂપી સડો લાગી ગયો છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.