Viral Audio Clip મુદ્દે સાંસદ Mansukh Vasavaએ કરી સ્પષ્ટતા! સામાજિક આગેવાનને ગાળ આપવા પાછળનું જણાવ્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:27:22

મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે અધિકારીને ખખડાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વાયરલ ઓડિયો ક્લિપમાં મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ ઓડિયો ક્લીપને લઈ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે જેવા સાથે તેવા... જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 

થોડા સમય પહેલા મનસુખ વસાવાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ચૈતર વસાવને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે ગાળો આપતા સંભળાયા હતા.જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 



ઓડિયો ક્લીપને લઈ સાંસદે કરી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા આ અંગેની સ્પષ્ટતા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ખુલાસો આપતા તેમણે કહ્યું કે જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.