Viral Audio Clip મુદ્દે સાંસદ Mansukh Vasavaએ કરી સ્પષ્ટતા! સામાજિક આગેવાનને ગાળ આપવા પાછળનું જણાવ્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:27:22

મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે અધિકારીને ખખડાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વાયરલ ઓડિયો ક્લિપમાં મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ ઓડિયો ક્લીપને લઈ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે જેવા સાથે તેવા... જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 

થોડા સમય પહેલા મનસુખ વસાવાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ચૈતર વસાવને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે ગાળો આપતા સંભળાયા હતા.જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 



ઓડિયો ક્લીપને લઈ સાંસદે કરી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા આ અંગેની સ્પષ્ટતા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ખુલાસો આપતા તેમણે કહ્યું કે જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.