Viral Audio Clip મુદ્દે સાંસદ Mansukh Vasavaએ કરી સ્પષ્ટતા! સામાજિક આગેવાનને ગાળ આપવા પાછળનું જણાવ્યું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 14:27:22

મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે અધિકારીને ખખડાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વાયરલ ઓડિયો ક્લિપમાં મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ ઓડિયો ક્લીપને લઈ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે જેવા સાથે તેવા... જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 

થોડા સમય પહેલા મનસુખ વસાવાનો ઓડિયો ક્લીપ થયો વાયરલ

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ચૈતર વસાવને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલું નિવેદન અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે ગાળો આપતા સંભળાયા હતા.જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 



ઓડિયો ક્લીપને લઈ સાંસદે કરી સ્પષ્ટતા 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા આ અંગેની સ્પષ્ટતા મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. ખુલાસો આપતા તેમણે કહ્યું કે જેને જે ભાષા સમજાય એમાં જ જવાબ આપવા પડે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે