નેતાઓ બિલ્ડર લોબીની દલાલી બંધ કરી જનતાને સેવા કરો: મનસુખ વસાવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:42:46

ભાજપના નેતાઓ અને બિલ્ડર લોબી વચ્ચેની મિલીભગતને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા બરાબરના અકળાયા છે. રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ  ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા.  મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી ખખડાવતા રાજકારણ ગરમાયું છે. 


મનસુખ વસાવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો


મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો અને ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશે તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉં. નર્મદાના આખે આખા ગામ વેચાઈ જતા મેં રોક્યા છે. નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબીએ ખરીદી લીધા હોત. બિલ્ડરોએ અહીંયા જમીનો ખરીદવા દોટ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલા છે. સાંસદે નેતાઓને ચીમકી આપતા કહ્યું કે, ખેડૂત મટી જાય એવો ધંધો ન કરતા. નહી તો ખેર નથી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે છે".


સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરતા કહ્યું કે, હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણાં નેતા સાથગાંઠ કરી રહ્યા છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહી. આ નેતાઓ બિલ્ડર લોબીના કાંધીયાઓની જેમ વર્તન કરી રહ્યા છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .