નેતાઓ બિલ્ડર લોબીની દલાલી બંધ કરી જનતાને સેવા કરો: મનસુખ વસાવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:42:46

ભાજપના નેતાઓ અને બિલ્ડર લોબી વચ્ચેની મિલીભગતને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા બરાબરના અકળાયા છે. રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ  ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા.  મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી ખખડાવતા રાજકારણ ગરમાયું છે. 


મનસુખ વસાવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો


મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો અને ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશે તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉં. નર્મદાના આખે આખા ગામ વેચાઈ જતા મેં રોક્યા છે. નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબીએ ખરીદી લીધા હોત. બિલ્ડરોએ અહીંયા જમીનો ખરીદવા દોટ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલા છે. સાંસદે નેતાઓને ચીમકી આપતા કહ્યું કે, ખેડૂત મટી જાય એવો ધંધો ન કરતા. નહી તો ખેર નથી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે છે".


સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરતા કહ્યું કે, હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણાં નેતા સાથગાંઠ કરી રહ્યા છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહી. આ નેતાઓ બિલ્ડર લોબીના કાંધીયાઓની જેમ વર્તન કરી રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે