સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મૂકવા રાજી નથી'


  • Published By :
  • Published Date : 2023-09-05 19:01:44

ભાજપના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ નિવેદનો આપી વિવાદ સર્જતા રહે છે. આજે તેઓ અચાનક જ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને જાહેરમાં ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક રજુઆત બાદ પણઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકવા રાજી નથી તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત અન્ય બીમારીથી પીડિત ડેડીયાપાડાનો દર્દી સાજો થાય, તે પહેલા તેને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દેતા સમગ્ર મામલે મનસુખ વસાવા સુધી પહોંચ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


મનસુખ વસાવાએ શું કહ્યું?


મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ બીમારીઓ માટે નિષ્ણાંત તબીબોની આવશ્યક્તા છે. જો કે નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે સાજા થયા વિના જ અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ડેડીયાપાડાથી આવે છે. ડેડીયાપાડીની હોસ્પિટલ 6 મહિના કરતા વધારે સમયથી બનીને તૈયાર છે, પરંતુ ત્યાં એક જ તબીબ હોવાથી ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડી હોસ્પિટલ સંદર્ભે મેં વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જાણ કરી હતી. જો કે ઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા માટે રાજી નથી અને કોઈને કોઈ બહાના કાઢ્યા રાખે છે."


આદિવાસી વિસ્તાર માટે ઋષિકેશ પટેલનું ઓરમાયું વલણ


મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આજથી 20-25 વર્ષ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્વોલિફાઈ તબીબો હતા. જો કે હાલ કોઈના કોઈ કારણોસર સારા તબીબો અહીં આવતા જ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ક્વોલિફાઈડ તબીબોની જરૂર છે. આ ઉપરાંત જે સાધનો ખૂટી રહ્યાં છે, તે પણ આવવા જોઈએ. હું 6 મહિનાથી રજૂઆત કરું છું અને તેમણે પણ ઋષિકેશ પટેલનું પણ ધ્યાન દોર્યું છે. જો કે મને લાગે છે કે, આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ જાડી ચામડીના છે.



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .