સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મૂકવા રાજી નથી'


  • Published By :
  • Published Date : 2023-09-05 19:01:44

ભાજપના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ નિવેદનો આપી વિવાદ સર્જતા રહે છે. આજે તેઓ અચાનક જ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને જાહેરમાં ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક રજુઆત બાદ પણઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકવા રાજી નથી તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત અન્ય બીમારીથી પીડિત ડેડીયાપાડાનો દર્દી સાજો થાય, તે પહેલા તેને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દેતા સમગ્ર મામલે મનસુખ વસાવા સુધી પહોંચ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


મનસુખ વસાવાએ શું કહ્યું?


મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ બીમારીઓ માટે નિષ્ણાંત તબીબોની આવશ્યક્તા છે. જો કે નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે સાજા થયા વિના જ અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ડેડીયાપાડાથી આવે છે. ડેડીયાપાડીની હોસ્પિટલ 6 મહિના કરતા વધારે સમયથી બનીને તૈયાર છે, પરંતુ ત્યાં એક જ તબીબ હોવાથી ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડી હોસ્પિટલ સંદર્ભે મેં વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જાણ કરી હતી. જો કે ઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા માટે રાજી નથી અને કોઈને કોઈ બહાના કાઢ્યા રાખે છે."


આદિવાસી વિસ્તાર માટે ઋષિકેશ પટેલનું ઓરમાયું વલણ


મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આજથી 20-25 વર્ષ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્વોલિફાઈ તબીબો હતા. જો કે હાલ કોઈના કોઈ કારણોસર સારા તબીબો અહીં આવતા જ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ક્વોલિફાઈડ તબીબોની જરૂર છે. આ ઉપરાંત જે સાધનો ખૂટી રહ્યાં છે, તે પણ આવવા જોઈએ. હું 6 મહિનાથી રજૂઆત કરું છું અને તેમણે પણ ઋષિકેશ પટેલનું પણ ધ્યાન દોર્યું છે. જો કે મને લાગે છે કે, આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ જાડી ચામડીના છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.