રોજગાર મેળામાં સાંસદ રામ મોકરિયાએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું 'દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી'


  • Published By :
  • Published Date : 2023-05-16 17:03:18

એક તરફ જ્યારે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. અનેક લોકો બેરોજગાર બની નોકરીની તલાશમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેરોજગારીને લઈને જે નિવેદન આપ્યું છે તે ચર્ચામાં છે. રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી, હાલ તમામ જગ્યાઓએ રોજગાર ઉપલબ્ધ છે. તે સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી માટે કામ કરનારા મળતા નથી. તેમજ મોટા પ્રમાણમાં નોકરી છે પણ લોકો નથી મળતા. 



71 હજાર લોકોને આપવામાં આવી રોજગારી!   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વર્ચ્ચુયલી જોડાયા હતા અને આ કાર્યક્રમમાં 71000 જેટલા લોકોને નોકરી આપવામાં આવી હતી. યુવા પેઠીને અપોઈન્મેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને અપોઈન્મેન્ટ લેટર આપ્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 70 હજારથી વધારે યુવાનોને ભારત સરકારના અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. ઘણી મહેનત પછી તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. હું તમને અને તમારા પરિવારને શુભેચ્છા પાઠવું છું.  


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ!

દેશના અલગ અલગ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કંડોરિયા હાજર હતા તે સિવાય દર્શના જરદોશ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં રામ મોકરિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશો યુદ્વવિરામ જાહેર કરે છે અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પીએમ દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો સહિતના નિયમોનું પાલન  કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરે.


સરકારી ચોપડે બોલે છે આટલા બેરોજગાર!

પીએમના વખાણ કર્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાઓ રોજગાર ઉપલબ્ધ છે.  આ વાતને નકારી શકાય એમ પણ નથી પરંતુ શું ભણ્યા પછી પણ અનેક બેરોજગારો છે એનું શું?  ત્યારે સાહેબશ્રીને એટલું જ પૂછવાનું મન થાય કે સરકારી ચોપડે જે બેરોજગારો બોલે છે તે આંકડો ખોટો છે? સરકારી ચોપડે 2 લાખ 83 હજાર જેટલા બેરોજગારો નોંધાયા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. આ આંકડો વિધાનસભામાં સરકારે રજૂ કરેલો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.