રોજગાર મેળામાં સાંસદ રામ મોકરિયાએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું 'દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી'


  • Published By :
  • Published Date : 2023-05-16 17:03:18

એક તરફ જ્યારે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. અનેક લોકો બેરોજગાર બની નોકરીની તલાશમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેરોજગારીને લઈને જે નિવેદન આપ્યું છે તે ચર્ચામાં છે. રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી, હાલ તમામ જગ્યાઓએ રોજગાર ઉપલબ્ધ છે. તે સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી માટે કામ કરનારા મળતા નથી. તેમજ મોટા પ્રમાણમાં નોકરી છે પણ લોકો નથી મળતા. 



71 હજાર લોકોને આપવામાં આવી રોજગારી!   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વર્ચ્ચુયલી જોડાયા હતા અને આ કાર્યક્રમમાં 71000 જેટલા લોકોને નોકરી આપવામાં આવી હતી. યુવા પેઠીને અપોઈન્મેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને અપોઈન્મેન્ટ લેટર આપ્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 70 હજારથી વધારે યુવાનોને ભારત સરકારના અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. ઘણી મહેનત પછી તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. હું તમને અને તમારા પરિવારને શુભેચ્છા પાઠવું છું.  


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ!

દેશના અલગ અલગ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કંડોરિયા હાજર હતા તે સિવાય દર્શના જરદોશ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં રામ મોકરિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશો યુદ્વવિરામ જાહેર કરે છે અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પીએમ દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો સહિતના નિયમોનું પાલન  કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરે.


સરકારી ચોપડે બોલે છે આટલા બેરોજગાર!

પીએમના વખાણ કર્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાઓ રોજગાર ઉપલબ્ધ છે.  આ વાતને નકારી શકાય એમ પણ નથી પરંતુ શું ભણ્યા પછી પણ અનેક બેરોજગારો છે એનું શું?  ત્યારે સાહેબશ્રીને એટલું જ પૂછવાનું મન થાય કે સરકારી ચોપડે જે બેરોજગારો બોલે છે તે આંકડો ખોટો છે? સરકારી ચોપડે 2 લાખ 83 હજાર જેટલા બેરોજગારો નોંધાયા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. આ આંકડો વિધાનસભામાં સરકારે રજૂ કરેલો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે