રોજગાર મેળામાં સાંસદ રામ મોકરિયાએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું 'દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી'


  • Published By :
  • Published Date : 2023-05-16 17:03:18

એક તરફ જ્યારે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. અનેક લોકો બેરોજગાર બની નોકરીની તલાશમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેરોજગારીને લઈને જે નિવેદન આપ્યું છે તે ચર્ચામાં છે. રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી, હાલ તમામ જગ્યાઓએ રોજગાર ઉપલબ્ધ છે. તે સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી માટે કામ કરનારા મળતા નથી. તેમજ મોટા પ્રમાણમાં નોકરી છે પણ લોકો નથી મળતા. 



71 હજાર લોકોને આપવામાં આવી રોજગારી!   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વર્ચ્ચુયલી જોડાયા હતા અને આ કાર્યક્રમમાં 71000 જેટલા લોકોને નોકરી આપવામાં આવી હતી. યુવા પેઠીને અપોઈન્મેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને અપોઈન્મેન્ટ લેટર આપ્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 70 હજારથી વધારે યુવાનોને ભારત સરકારના અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. ઘણી મહેનત પછી તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. હું તમને અને તમારા પરિવારને શુભેચ્છા પાઠવું છું.  


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ!

દેશના અલગ અલગ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કંડોરિયા હાજર હતા તે સિવાય દર્શના જરદોશ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં રામ મોકરિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશો યુદ્વવિરામ જાહેર કરે છે અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પીએમ દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો સહિતના નિયમોનું પાલન  કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરે.


સરકારી ચોપડે બોલે છે આટલા બેરોજગાર!

પીએમના વખાણ કર્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાઓ રોજગાર ઉપલબ્ધ છે.  આ વાતને નકારી શકાય એમ પણ નથી પરંતુ શું ભણ્યા પછી પણ અનેક બેરોજગારો છે એનું શું?  ત્યારે સાહેબશ્રીને એટલું જ પૂછવાનું મન થાય કે સરકારી ચોપડે જે બેરોજગારો બોલે છે તે આંકડો ખોટો છે? સરકારી ચોપડે 2 લાખ 83 હજાર જેટલા બેરોજગારો નોંધાયા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. આ આંકડો વિધાનસભામાં સરકારે રજૂ કરેલો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.