ઘેડ પંથકમાં હવાઈ નિરીક્ષણ નહીં પરંતુ સાંસદે કર્યું ટ્રેક્ટર નિરીક્ષણ, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રમેશ ધડૂકે મેળવ્યો તાગ


  • Published By :
  • Published Date : 2023-07-03 13:10:57

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો એટલો વરસાદ ખાબક્યો છે કે ત્યાં ચાલતા પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેર બની ગઈ  છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ઘેડ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. લોકોને પડતી મુશ્કેલીને જાણવા જાણે નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદ જતા હોય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ધારાસભ્યોને લોકોએ ઘેરી લીધા હતા. 


અસરગ્રસ્ત વિસ્તારની રમેશ ધડૂકે લીધી મુલાકાત 

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો આવ્યા છે જેમાં અવર જવર માટે લોકો જેસીબીનો ઉપયોગ કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી એક તરફથી બીજી તરફ રસ્તો ક્રોસ કરતા હોય છે. ત્યારે જેસીબી પર બેસી રસ્તો પાર કરવાની વારી સાંસદની આવી. પોરબંદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરમાં પણ વરસાદ વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે અનેક જગ્યાઓ પર ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પોરબંદરની મુલાકાત લેવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર બેસી ઘેડ પંથકની તેમણે મુલાકાત લીધી હતી. ખેતરોમાં જઈ થયેલી નુકસાની અંગે તાગ મેળવ્યો હતો. મહત્વનું છે કે તેમની સાથે ખેડૂતો પણ હાજર હતા. ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે માંડ માંડ રમેશ ધડૂક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી શક્યા હતા.      


ઘેડ પંથકની સાંસદે લીધી મુલાકાત  

ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓથી ભારે નુકસાનાની તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે આવનજાવન માટે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. અને જ્યારે નેતાઓ ,ધારાસભ્યો, સાંસદો તેમના વિસ્તારની મુલાકાત લેવા જતા હોય છે ત્યારે તેમને લોકો ઘેરી લેતા હોય છે. ત્યારે ઘેડ પંથકમાં વરસાદે કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેનો તાગ મેળવવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરી કેટલું નુકસાન થયું છે તે જાણવાની કોશિસ કરી હતી. 

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

થોડા દિવસ પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર ગયા હતા ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાવવાને કારણે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યો હતા. તે ઉપરાંત રિવાબા જાડેજાને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે તંત્ર દ્વારા અનેક વખત દાવા કરવામાં આવતા હોય છે પરંતુ તે ખોટા પૂરવાર ઘણી વખત થતા હોય છે. તે પહેલા પણ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.