ઘેડ પંથકમાં હવાઈ નિરીક્ષણ નહીં પરંતુ સાંસદે કર્યું ટ્રેક્ટર નિરીક્ષણ, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રમેશ ધડૂકે મેળવ્યો તાગ


  • Published By :
  • Published Date : 2023-07-03 13:10:57

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો એટલો વરસાદ ખાબક્યો છે કે ત્યાં ચાલતા પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેર બની ગઈ  છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ઘેડ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. લોકોને પડતી મુશ્કેલીને જાણવા જાણે નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદ જતા હોય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ધારાસભ્યોને લોકોએ ઘેરી લીધા હતા. 


અસરગ્રસ્ત વિસ્તારની રમેશ ધડૂકે લીધી મુલાકાત 

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો આવ્યા છે જેમાં અવર જવર માટે લોકો જેસીબીનો ઉપયોગ કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી એક તરફથી બીજી તરફ રસ્તો ક્રોસ કરતા હોય છે. ત્યારે જેસીબી પર બેસી રસ્તો પાર કરવાની વારી સાંસદની આવી. પોરબંદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરમાં પણ વરસાદ વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે અનેક જગ્યાઓ પર ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પોરબંદરની મુલાકાત લેવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર બેસી ઘેડ પંથકની તેમણે મુલાકાત લીધી હતી. ખેતરોમાં જઈ થયેલી નુકસાની અંગે તાગ મેળવ્યો હતો. મહત્વનું છે કે તેમની સાથે ખેડૂતો પણ હાજર હતા. ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે માંડ માંડ રમેશ ધડૂક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી શક્યા હતા.      


ઘેડ પંથકની સાંસદે લીધી મુલાકાત  

ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓથી ભારે નુકસાનાની તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે આવનજાવન માટે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. અને જ્યારે નેતાઓ ,ધારાસભ્યો, સાંસદો તેમના વિસ્તારની મુલાકાત લેવા જતા હોય છે ત્યારે તેમને લોકો ઘેરી લેતા હોય છે. ત્યારે ઘેડ પંથકમાં વરસાદે કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેનો તાગ મેળવવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરી કેટલું નુકસાન થયું છે તે જાણવાની કોશિસ કરી હતી. 

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

થોડા દિવસ પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર ગયા હતા ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાવવાને કારણે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યો હતા. તે ઉપરાંત રિવાબા જાડેજાને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે તંત્ર દ્વારા અનેક વખત દાવા કરવામાં આવતા હોય છે પરંતુ તે ખોટા પૂરવાર ઘણી વખત થતા હોય છે. તે પહેલા પણ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.