ઘેડ પંથકમાં હવાઈ નિરીક્ષણ નહીં પરંતુ સાંસદે કર્યું ટ્રેક્ટર નિરીક્ષણ, અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રમેશ ધડૂકે મેળવ્યો તાગ


  • Published By :
  • Published Date : 2023-07-03 13:10:57

ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર તો એટલો વરસાદ ખાબક્યો છે કે ત્યાં ચાલતા પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નથી. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેર બની ગઈ  છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ત્યારે ઘેડ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. લોકોને પડતી મુશ્કેલીને જાણવા જાણે નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદ જતા હોય છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ધારાસભ્યોને લોકોએ ઘેરી લીધા હતા. 


અસરગ્રસ્ત વિસ્તારની રમેશ ધડૂકે લીધી મુલાકાત 

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો આવ્યા છે જેમાં અવર જવર માટે લોકો જેસીબીનો ઉપયોગ કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં નાખી એક તરફથી બીજી તરફ રસ્તો ક્રોસ કરતા હોય છે. ત્યારે જેસીબી પર બેસી રસ્તો પાર કરવાની વારી સાંસદની આવી. પોરબંદરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે પોરબંદરમાં પણ વરસાદ વિનાશકારી સાબિત થઈ રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે અનેક જગ્યાઓ પર ખેતરોનું ધોવાણ થયું છે. ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પોરબંદરની મુલાકાત લેવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. ટ્રેક્ટર પર બેસી ઘેડ પંથકની તેમણે મુલાકાત લીધી હતી. ખેતરોમાં જઈ થયેલી નુકસાની અંગે તાગ મેળવ્યો હતો. મહત્વનું છે કે તેમની સાથે ખેડૂતો પણ હાજર હતા. ત્યાંની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે માંડ માંડ રમેશ ધડૂક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી શક્યા હતા.      


ઘેડ પંથકની સાંસદે લીધી મુલાકાત  

ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓથી ભારે નુકસાનાની તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે આવનજાવન માટે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતો હોય છે. અને જ્યારે નેતાઓ ,ધારાસભ્યો, સાંસદો તેમના વિસ્તારની મુલાકાત લેવા જતા હોય છે ત્યારે તેમને લોકો ઘેરી લેતા હોય છે. ત્યારે ઘેડ પંથકમાં વરસાદે કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેનો તાગ મેળવવા સાંસદ રમેશ ધડૂક પહોંચ્યા હતા. સ્થળ નિરીક્ષણ કરી કેટલું નુકસાન થયું છે તે જાણવાની કોશિસ કરી હતી. 

અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

થોડા દિવસ પહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર ગયા હતા ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાવવાને કારણે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને સવાલો કર્યો હતા. તે ઉપરાંત રિવાબા જાડેજાને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે તંત્ર દ્વારા અનેક વખત દાવા કરવામાં આવતા હોય છે પરંતુ તે ખોટા પૂરવાર ઘણી વખત થતા હોય છે. તે પહેલા પણ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.