MP : વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરની Collectorએ ઓકાત પૂછી તો CMએ Collectorને તેમની ઓકાત યાદ કરાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-03 15:53:59

દેશભરમાં ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. નવા કાયદા હેઠળ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ અનેક લાખો રુપિયા દંડની જોગવાઈ છે. આ કાયદાનો વિરોધ અનેક રાજ્યોમાં ડ્રાઈવરોએ નોંધાવ્યો હતો. રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. હડતાળ સમેટવાની જાહેરાત તો થઈ ગઈ પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો જેમાં કલેક્ટર ટ્રક ડ્રાઈવરને કહી રહ્યા છે કે તારી શું ઓકાત છે? વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો. કલેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ અને કાર્યવાહીના રૂપમાં તેમની ટ્રાન્સફર કરી દેવાયામાં આવી છે. 

વિરોધ કરી રહેલા ડ્રાઈવરો ગયા હતા રજૂઆત કરવા 

આપણે જ્યારે મોટા- ઉંચા પદ ઉપર હોઈએ ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. આપણી વાણી- આપણા વર્તનથી કોઈની લાગણી ન દુભાય તેની જવાબદારી રહેતી હોય અને જો તમે બંધારણીય પદ ઉપર હોવ ત્યારે તો આ જવાબદારી એકદમ વધી જતી હોય છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મધ્યપ્રદેશના એક કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ટ્રક ડ્રાઈવરને તેની ઓકાત દેખાડી રહ્યા હતા. વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરો જ્યારે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા તે સમયનો આ વીડિયો છે.     


ડ્રાઈવર સાથે કલેક્ટરે કર્યું અશોભનિય વર્તન  

મધ્યપ્રદેશના શાજાપુરનો આ વીડિયો છે જ્યાં એક તરફ ડ્રાઈવરો છે અને બીજી તરફ જે ગુસ્સે થઈ રહ્યા છે એ છે જિલ્લા કલેક્ટર કિશોર કુમાર કનૈયાલ. ગઈકાલે એમપીમાં ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા હતા ત્યારે એ લોકો કલેકટરને પોતાનો મુદ્દો રજૂ કરવા ગયા. ત્યાં કલેકટર અને ડ્રાઈવરો વચ્ચે વાતો પણ થઈ અને અચાનક ડીએમ કિશોર કુમાર ભડકી ઉઠયા અને ડ્રાઈવરને કહી દીધું કે તારી ઔકાત શું છે? શું કોઈ પણ કલેકટરને આ ભાષા કે વર્તન શોભે છે? 

Madhya Pradesh, Mohan Yadav, Collector Kishor Kanyal

24 કલાકની અંદર કલેક્ટરની કરાઈ ટ્રાન્સફર 

આ તોછળાઈ ભર્યા વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કડક અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 24 કલાકમાં જ આ સાહેબને એમની ઓકાદ યાદ આવી ગઈ. કલેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ ત્યારે એ ન ભુલવું જોઈએ કે સમય બધાનો આવે છે અને સમય હંમેશા એક સરખો નથી રહેતો. પદના ગુમાનમાં આપણે માનવીય મુલ્યોને ન ભૂલવા જોઈએ. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.