MP : વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરની Collectorએ ઓકાત પૂછી તો CMએ Collectorને તેમની ઓકાત યાદ કરાવી દીધી! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-03 15:53:59

દેશભરમાં ટ્રક ડ્રાઈવરો રસ્તા પર ઉતરી હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. નવા કાયદા હેઠળ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ અનેક લાખો રુપિયા દંડની જોગવાઈ છે. આ કાયદાનો વિરોધ અનેક રાજ્યોમાં ડ્રાઈવરોએ નોંધાવ્યો હતો. રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. હડતાળ સમેટવાની જાહેરાત તો થઈ ગઈ પરંતુ આ બધા વચ્ચે મધ્ય પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો જેમાં કલેક્ટર ટ્રક ડ્રાઈવરને કહી રહ્યા છે કે તારી શું ઓકાત છે? વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો. કલેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી પણ કરાઈ અને કાર્યવાહીના રૂપમાં તેમની ટ્રાન્સફર કરી દેવાયામાં આવી છે. 

વિરોધ કરી રહેલા ડ્રાઈવરો ગયા હતા રજૂઆત કરવા 

આપણે જ્યારે મોટા- ઉંચા પદ ઉપર હોઈએ ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. આપણી વાણી- આપણા વર્તનથી કોઈની લાગણી ન દુભાય તેની જવાબદારી રહેતી હોય અને જો તમે બંધારણીય પદ ઉપર હોવ ત્યારે તો આ જવાબદારી એકદમ વધી જતી હોય છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મધ્યપ્રદેશના એક કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ટ્રક ડ્રાઈવરને તેની ઓકાત દેખાડી રહ્યા હતા. વિરોધ કરી રહેલા ટ્રક ડ્રાઈવરો જ્યારે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા તે સમયનો આ વીડિયો છે.     


ડ્રાઈવર સાથે કલેક્ટરે કર્યું અશોભનિય વર્તન  

મધ્યપ્રદેશના શાજાપુરનો આ વીડિયો છે જ્યાં એક તરફ ડ્રાઈવરો છે અને બીજી તરફ જે ગુસ્સે થઈ રહ્યા છે એ છે જિલ્લા કલેક્ટર કિશોર કુમાર કનૈયાલ. ગઈકાલે એમપીમાં ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા હતા ત્યારે એ લોકો કલેકટરને પોતાનો મુદ્દો રજૂ કરવા ગયા. ત્યાં કલેકટર અને ડ્રાઈવરો વચ્ચે વાતો પણ થઈ અને અચાનક ડીએમ કિશોર કુમાર ભડકી ઉઠયા અને ડ્રાઈવરને કહી દીધું કે તારી ઔકાત શું છે? શું કોઈ પણ કલેકટરને આ ભાષા કે વર્તન શોભે છે? 

Madhya Pradesh, Mohan Yadav, Collector Kishor Kanyal

24 કલાકની અંદર કલેક્ટરની કરાઈ ટ્રાન્સફર 

આ તોછળાઈ ભર્યા વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના સામે આવતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કડક અને ત્વરીત કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 24 કલાકમાં જ આ સાહેબને એમની ઓકાદ યાદ આવી ગઈ. કલેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે આપણે કોઈનું અપમાન કરીએ ત્યારે એ ન ભુલવું જોઈએ કે સમય બધાનો આવે છે અને સમય હંમેશા એક સરખો નથી રહેતો. પદના ગુમાનમાં આપણે માનવીય મુલ્યોને ન ભૂલવા જોઈએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.