Vadodara: એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થતા હોબાળો, હિંદુ સંગઠનોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:58:38

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ અદા કરી રહ્યા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


કડક કાર્યવાહીની માગ


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ અન્ય સમુદાયની પ્રવૃત્તિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ અદા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી હતી. જોકે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


હાઇપાવર કમિટી કરશે નિર્ણય


વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે.આ મામલે MS યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે.


અગાઉ પણ  નમાઝ મુદ્દે  થયો હતો વિવાદ


એમ એસ યુનિવર્સિટી અગાઉ પણ નમાઝ અદા કરવા બાબતે વિવાદમાં આવી હતી. વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી વિવાદોના વાદળોમાં આવા મામલામાં અવારનવાર આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી