Vadodara: એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થતા હોબાળો, હિંદુ સંગઠનોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:58:38

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ અદા કરી રહ્યા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


કડક કાર્યવાહીની માગ


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ અન્ય સમુદાયની પ્રવૃત્તિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ અદા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી હતી. જોકે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


હાઇપાવર કમિટી કરશે નિર્ણય


વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે.આ મામલે MS યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે.


અગાઉ પણ  નમાઝ મુદ્દે  થયો હતો વિવાદ


એમ એસ યુનિવર્સિટી અગાઉ પણ નમાઝ અદા કરવા બાબતે વિવાદમાં આવી હતી. વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી વિવાદોના વાદળોમાં આવા મામલામાં અવારનવાર આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.