Vadodara: એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થતા હોબાળો, હિંદુ સંગઠનોમાં ભારે રોષ


  • Published By :
  • Published Date : 2023-09-26 22:58:38

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં કેટલાક લોકો કોમર્સ ફેકલ્ટી નજીક આવેલા શિવ મંદિર પાસે જાહેરમાં નમાઝ અદા કરી રહ્યા હોવાનો વીડિયો જોવા મળ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા યુનિવર્સિટી સત્તાધીશોએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


કડક કાર્યવાહીની માગ


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની રોકટોક વગર કેટલાક લોકો પોતાની ધાર્મિક પ્રવૃતિ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં જ હિંદુ સંગઠનો રોષે ભરાયા હતાં અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. તો શિવસેના નેતાએ અન્ય સમુદાયની પ્રવૃત્તિઓને ષડયંત્ર સાથે સરખાવી અને નમાજ અદા કરતા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની માગ કરી હતી. જોકે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.


હાઇપાવર કમિટી કરશે નિર્ણય


વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મહાદેવ મંદિર પાસે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પઢતા હોવાનો વીડિયો બહાર આવતાં હોબાળો મચી ગયો છે હતો. આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું. એફવાયબીકોમમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યોરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્ન ઊભા થયા હતા. વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યોરિટી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે.આ મામલે MS યુનિવર્સિટીના પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીની હાઇપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે.


અગાઉ પણ  નમાઝ મુદ્દે  થયો હતો વિવાદ


એમ એસ યુનિવર્સિટી અગાઉ પણ નમાઝ અદા કરવા બાબતે વિવાદમાં આવી હતી. વડોદરાની પ્રખ્યાત એમ એસ યુનિવર્સિટી વિવાદોના વાદળોમાં આવા મામલામાં અવારનવાર આવી રહી છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ પરિપત્ર જાહેર કરીને નમાઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે પરિપત્રનો અમલ ક્યારે થશે તે અંગે સવાલ ઊભા થઇ રહ્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.