વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની નમાઝ પઢતી હોવાનો વીડિયો વાયરલ થતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-16 13:06:38

રાજ્યની એક સમયની સૌથી પ્રતિષ્ઠિત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સતત વિવાદોમાં ભોગ બની રહી છે. હવે આ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી એકવાર એક વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની હોવાનું અને સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું સામે આવ્યું છે. જોકે, આ વીડિયોની જમાવટ પુષ્ટિ કરતું નથી


કોણ છે આ વિદ્યાર્થીની?


યુનિવર્સિટીના સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શુક્રવારના એટલે કે ઉત્તરાયણના તહેવારના એક દિવસ પૂર્વે   યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં એક બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થીનીએ નમાઝ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. જો કે આ વિદ્યાર્થિની કોણ છે તે અંગે માહિતી મળી શકી નથી. 


વીડિયો વાઇરલ થતા વિવાદ


યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થીની લોબીમાં નમાઝ પઢી રહી હતી તેનો વીડિયો કોઈએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે. આ પૂર્વે યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો હતો. જો કે આવા મામલે એમ.એસ.યુનિવર્સિટીનું તંત્ર આ મામલે લાચાર સાબિત થતું જણાઈ રહ્યું છે.



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.