વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી દારૂ પાર્ટી, દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-08-15 17:22:24

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિવિધ નકારાત્મક કારણોથી સતત વિવાદોમાં રહેતી હોય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. એમ.એસ.યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા 


આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પહેલા જ બે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણકારી યુનિવર્સિટી વિજિલન્સ ટીમને મળતા તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમના સભ્યોએ હોસ્ટેલની 34  નંબરની રૂમમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને શંકા જતા તેઓ તરત જ ભાગી ગયા હતા. ટીમને 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. રાજ્યના શિક્ષણધામમાં આવી પ્રવૃતિઓ વધી રહી છે તે ચિંતાનો વિષય છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે