વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી દારૂ પાર્ટી, દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-08-15 17:22:24

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિવિધ નકારાત્મક કારણોથી સતત વિવાદોમાં રહેતી હોય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. એમ.એસ.યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા 


આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પહેલા જ બે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણકારી યુનિવર્સિટી વિજિલન્સ ટીમને મળતા તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમના સભ્યોએ હોસ્ટેલની 34  નંબરની રૂમમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને શંકા જતા તેઓ તરત જ ભાગી ગયા હતા. ટીમને 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. રાજ્યના શિક્ષણધામમાં આવી પ્રવૃતિઓ વધી રહી છે તે ચિંતાનો વિષય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.