વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી દારૂ પાર્ટી, દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ જપ્ત


  • Published By :
  • Published Date : 2023-08-15 17:22:24

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી વિવિધ નકારાત્મક કારણોથી સતત વિવાદોમાં રહેતી હોય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. એમ.એસ.યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતાં યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. યુનિવર્સિટીના હોસ્ટેલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.


યુનિવર્સિટી વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા 


આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે દિવસ પહેલા જ બે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ તેમના રૂમમાં દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની જાણકારી યુનિવર્સિટી વિજિલન્સ ટીમને મળતા તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજિલન્સ ટીમના સભ્યોએ હોસ્ટેલની 34  નંબરની રૂમમાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થીઓને શંકા જતા તેઓ તરત જ ભાગી ગયા હતા. ટીમને 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. તે ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. જો કે, આવી પ્રવૃત્તિને લઈ હોસ્ટેલની સિક્યોરિટી પર સૌથી મોટા સવાલ ઉભા થયો છે. રાજ્યના શિક્ષણધામમાં આવી પ્રવૃતિઓ વધી રહી છે તે ચિંતાનો વિષય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.