મુકુલ રોહતગી બનશે દેશના નવા એટર્ની જનરલ, વેણુગોપાલનું સ્થાન લેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 11:04:34


મુકુલ રોહતગી દેશના આગામી એટર્ની જનરલ બનશે. તે 1 ઓક્ટેબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે, આ પહેલા મુકુલ રોહતગીએ 2014થી 2017 સુધી કેન્દ્રની મોદી સરકારના પહેલા 3 વર્ષ દરમિયાન એટર્ની જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જો કે જૂન 2017માં તેમણે વ્યક્તિગત કારણોથી એટર્ની જનરલના પદેથી રાજીનામું આપી દીધું હતું.  તે કેકે વેણુગોપાલનું સ્થાન લેશે. વેણુગોપાલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. રોહતગી દેશના 14માં એટર્ની જનરલ બનશે.


90 વર્ષીય વેણુગોપાલ થશે નિવૃત


વેણુગોપાલે હાલમાં જ સુપ્રીમ કોર્ટને સંકેત આપ્યો હતો કે તેઓ 30 સપ્ટેમ્બર પછી પદ સંભાળશે નહીં. આ વર્ષના જૂનના અંતમાં, વેણુગોપાલનો કાર્યકાળ ત્રણ મહિના અથવા “આગળના આદેશો સુધી” લંબાવવામાં આવ્યો હતો. આ એક્સટેન્શન 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાનું છે. 90 વર્ષીય વેણુગોપાલ વધતી ઉંમર અને સ્વાસ્થ્ય કારણોથી સરકારના વધુ એક્સટેન્સનનો ઈન્કાર કર્યો હતો. વેણુગોપાલને 1 જુલાઈ, 2017 ના રોજ ત્રણ વર્ષની મુદત માટે એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે પાછળથી બે વાર એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.