મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધનઃ મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 10:20:34

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે 22 ઓગસ્ટથી મેદાન્તામાં દાખલ હતો. તે જ સમયે, 2 ઓક્ટોબરથી, તેઓ સતત લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર હતા.


અખિલેશ યાદવે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.


પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.  

મુલાયમ સિંહ યાદવ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા

મેદાન્તામાં દાખલ મુલાયમ સિંહ યાદવ 2 ઓક્ટોબરથી લાઈફ સપોર્ટ સિસ્ટમ હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની હાલત નાજુક હતી.


યુપીના સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

મળતી માહિતી મુજબ મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશના સૈફઈમાં કરવામાં આવશે. તેના મૃતદેહને આગામી કેટલાક કલાકો બાદ સૈફઈ ખાતે લઈ જવામાં આવશે.


ઓક્સિજન સ્તરમાં વધારો

9 ઓક્ટોબર, રવિવારે મુલાયમ સિંહની તબિયત બગડ્યા બાદ ઓક્સિજનનું લેબલ વધારી દેવામાં આવ્યું હતું. લગભગ ત્રણ કલાક બાદ તેમની હાલત પહેલા જેવી થઈ ગઈ હતી. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તેમની હાલત સતત બગડતી રહી હતી. આ કારણે તેમને 2 ઓક્ટોબરથી સતત વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.મુલાયમ સિંહ યાદવનું 7મું હેલ્થ બુલેટિન રવિવારે બપોરે તેમના સ્વાસ્થ્યને લઈને જારી કરવામાં આવ્યું હતું. જેમાં મુલાયમ સિંહ યાદવની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેઓ ICUમાં વેન્ટિલેટર પર હતા. રવિવારે રામદાસ આઠવલે અને યુપી બીજેપી સંગઠન મંત્રી ધરમપાલ સિંહ તેમની હાલત જાણવા મેદાંતા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અખિલેશ યાદવને મળ્યા હતા અને તેમને સપાના સંરક્ષકની તબિયત વિશે જાણવા મળ્યું હતું.


ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.