મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે ઝઘડો થતાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ:સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:58:44

  • મહિલા કોન્સ્ટેબલ પણ લપેટામાં આવી ગઈ
  • બે મહિલા વચ્ચે સીટ પર બેસવા બાબતે શરુ થયો હતો ઝઘડો
  • નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર શરુ થઈ હતી બબાલ


  • થાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં બે મહિલા વચ્ચે શરુ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ, 27 વર્ષની એક યુવતી તેમજ અન્ય એક મહિલા સામે વાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી. કોન્સ્ટેબલ પણ ઝઘડામાં ઈજાગ્રસ્ત.

  • મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં આ બબાલ થઈ હતી, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલીક મહિલા ઘવાઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ લોકલ ટ્રેનની હોવાનું સામે આવ્યું છે.

  • પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં જાણે અફરાતફરી સર્જાઈ હતી. મહિલા કોન્સ્ટેબલને તો આ ઘટનામાં માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

  • પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ટ્રેનમાં થાણે સ્ટેશનથી પોતાની પૌત્રી સાથે ચઢી હતી, જ્યારે અન્ય એક મહિલા કોપારખૈરાને સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. બંને મહિલા એક સીટ નજીક ઉભી હતી અને તેના ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર આ સીટ ખાલી થતાં પૌત્રી સાથે મુસાફરી કરી રહેલી મહિલાએ છોકરીને તેના પર બેસાડી દીધી હતી. જોકે, તે જ સમયે બીજી મહિલા પણ સીટ પર બેસવા ગઈ હતી. જેના પર તેમની વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ ઝઘડામાં બીજી મહિલા પેસેન્જર પણ સામેલ થઈ ગઈ હતી, અને જોતજોતામાં આખા ડબ્બામાં જાણે મારામારી ચાલુ થઈ ગઈ હતી.

  • આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. તેમના પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.