મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે ઝઘડો થતાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ:સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:58:44

  • મહિલા કોન્સ્ટેબલ પણ લપેટામાં આવી ગઈ
  • બે મહિલા વચ્ચે સીટ પર બેસવા બાબતે શરુ થયો હતો ઝઘડો
  • નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર શરુ થઈ હતી બબાલ


  • થાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં બે મહિલા વચ્ચે શરુ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ, 27 વર્ષની એક યુવતી તેમજ અન્ય એક મહિલા સામે વાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી. કોન્સ્ટેબલ પણ ઝઘડામાં ઈજાગ્રસ્ત.

  • મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં આ બબાલ થઈ હતી, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલીક મહિલા ઘવાઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ લોકલ ટ્રેનની હોવાનું સામે આવ્યું છે.

  • પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં જાણે અફરાતફરી સર્જાઈ હતી. મહિલા કોન્સ્ટેબલને તો આ ઘટનામાં માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

  • પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ટ્રેનમાં થાણે સ્ટેશનથી પોતાની પૌત્રી સાથે ચઢી હતી, જ્યારે અન્ય એક મહિલા કોપારખૈરાને સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. બંને મહિલા એક સીટ નજીક ઉભી હતી અને તેના ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર આ સીટ ખાલી થતાં પૌત્રી સાથે મુસાફરી કરી રહેલી મહિલાએ છોકરીને તેના પર બેસાડી દીધી હતી. જોકે, તે જ સમયે બીજી મહિલા પણ સીટ પર બેસવા ગઈ હતી. જેના પર તેમની વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ ઝઘડામાં બીજી મહિલા પેસેન્જર પણ સામેલ થઈ ગઈ હતી, અને જોતજોતામાં આખા ડબ્બામાં જાણે મારામારી ચાલુ થઈ ગઈ હતી.

  • આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. તેમના પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.