મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે ઝઘડો થતાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ:સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:58:44

  • મહિલા કોન્સ્ટેબલ પણ લપેટામાં આવી ગઈ
  • બે મહિલા વચ્ચે સીટ પર બેસવા બાબતે શરુ થયો હતો ઝઘડો
  • નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર શરુ થઈ હતી બબાલ


  • થાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં બે મહિલા વચ્ચે શરુ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ, 27 વર્ષની એક યુવતી તેમજ અન્ય એક મહિલા સામે વાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી. કોન્સ્ટેબલ પણ ઝઘડામાં ઈજાગ્રસ્ત.

  • મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં આ બબાલ થઈ હતી, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલીક મહિલા ઘવાઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ લોકલ ટ્રેનની હોવાનું સામે આવ્યું છે.

  • પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં જાણે અફરાતફરી સર્જાઈ હતી. મહિલા કોન્સ્ટેબલને તો આ ઘટનામાં માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

  • પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ટ્રેનમાં થાણે સ્ટેશનથી પોતાની પૌત્રી સાથે ચઢી હતી, જ્યારે અન્ય એક મહિલા કોપારખૈરાને સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. બંને મહિલા એક સીટ નજીક ઉભી હતી અને તેના ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર આ સીટ ખાલી થતાં પૌત્રી સાથે મુસાફરી કરી રહેલી મહિલાએ છોકરીને તેના પર બેસાડી દીધી હતી. જોકે, તે જ સમયે બીજી મહિલા પણ સીટ પર બેસવા ગઈ હતી. જેના પર તેમની વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ ઝઘડામાં બીજી મહિલા પેસેન્જર પણ સામેલ થઈ ગઈ હતી, અને જોતજોતામાં આખા ડબ્બામાં જાણે મારામારી ચાલુ થઈ ગઈ હતી.

  • આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. તેમના પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.