મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે ઝઘડો થતાં મહિલાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ:સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 14:58:44

  • મહિલા કોન્સ્ટેબલ પણ લપેટામાં આવી ગઈ
  • બે મહિલા વચ્ચે સીટ પર બેસવા બાબતે શરુ થયો હતો ઝઘડો
  • નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર શરુ થઈ હતી બબાલ


  • થાણેથી પનવેલ જઈ રહેલી લોકલ ટ્રેનમાં બે મહિલા વચ્ચે શરુ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, ચોંકાવનારી ઘટનાનો વિડીયો પણ થયો વાયરલ, 27 વર્ષની એક યુવતી તેમજ અન્ય એક મહિલા સામે વાસી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી. કોન્સ્ટેબલ પણ ઝઘડામાં ઈજાગ્રસ્ત.

  • મુંબઈ: લોકલ ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલાઓ માટે આરક્ષિત ડબ્બામાં આ બબાલ થઈ હતી, જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલીક મહિલા ઘવાઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ લોકલ ટ્રેનની હોવાનું સામે આવ્યું છે.

  • પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈના તુર્ભે રેલવે સ્ટેશન પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ રૌદ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં જાણે અફરાતફરી સર્જાઈ હતી. મહિલા કોન્સ્ટેબલને તો આ ઘટનામાં માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું.

  • પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ટ્રેનમાં થાણે સ્ટેશનથી પોતાની પૌત્રી સાથે ચઢી હતી, જ્યારે અન્ય એક મહિલા કોપારખૈરાને સ્ટેશનથી ટ્રેનમાં બેઠી હતી. બંને મહિલા એક સીટ નજીક ઉભી હતી અને તેના ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર આ સીટ ખાલી થતાં પૌત્રી સાથે મુસાફરી કરી રહેલી મહિલાએ છોકરીને તેના પર બેસાડી દીધી હતી. જોકે, તે જ સમયે બીજી મહિલા પણ સીટ પર બેસવા ગઈ હતી. જેના પર તેમની વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આ ઝઘડામાં બીજી મહિલા પેસેન્જર પણ સામેલ થઈ ગઈ હતી, અને જોતજોતામાં આખા ડબ્બામાં જાણે મારામારી ચાલુ થઈ ગઈ હતી.

  • આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. તેમના પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .