ઈન્ડિગો ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ મેલ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 14:10:39

મુંબઈ એરપોર્ટને શનિવાર રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈ મેલમાં ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોંબ રાખવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. ઈ મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જો કે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો આવું કાંઈ પણ મળ્યું નહોતું. આ સ્થિતીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોંબ હોવાનો  દાવો માત્ર અફવા જ હતી.


સુરક્ષા એજન્સીઓએ ઈમેલ કરનારની તપાસ શરૂ કરી


આ ફ્લાઈટ રાત્રીના સમયે મુંબઈથી અમદાવાદ જવાની હતી. જો કે બોંબની અફવાના કારણે ફ્લાઈટની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ મોડી રાત્રે ઉડાનભરી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.