ઈન્ડિગો ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ મેલ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 14:10:39

મુંબઈ એરપોર્ટને શનિવાર રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈ મેલમાં ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોંબ રાખવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. ઈ મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જો કે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો આવું કાંઈ પણ મળ્યું નહોતું. આ સ્થિતીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોંબ હોવાનો  દાવો માત્ર અફવા જ હતી.


સુરક્ષા એજન્સીઓએ ઈમેલ કરનારની તપાસ શરૂ કરી


આ ફ્લાઈટ રાત્રીના સમયે મુંબઈથી અમદાવાદ જવાની હતી. જો કે બોંબની અફવાના કારણે ફ્લાઈટની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ મોડી રાત્રે ઉડાનભરી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.