ઈન્ડિગો ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ મેલ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 14:10:39

મુંબઈ એરપોર્ટને શનિવાર રાત્રે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈ મેલમાં ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6045માં બોંબ રાખવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી. ઈ મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જો કે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો આવું કાંઈ પણ મળ્યું નહોતું. આ સ્થિતીમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોંબ હોવાનો  દાવો માત્ર અફવા જ હતી.


સુરક્ષા એજન્સીઓએ ઈમેલ કરનારની તપાસ શરૂ કરી


આ ફ્લાઈટ રાત્રીના સમયે મુંબઈથી અમદાવાદ જવાની હતી. જો કે બોંબની અફવાના કારણે ફ્લાઈટની તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ મોડી રાત્રે ઉડાનભરી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કોણે કર્યો અને કેમ કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી રહી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .