પોલીસ પ્રજાનો મિત્ર:મુંબઈ પોલીસે 24 કલાકમાં અઢી મહિનાની છોકરીને શોધી કાઢી


  • Published By :
  • Published Date : 2022-10-29 10:01:28

મુંબઈ શહેરના એક ફૂટપાથ પર દંપતી પોતાના બાળકો સાથે ઊંઘી રહ્યુ હતું. દંપતીની આંખ ખુલી ત્યારે અઢી મહિનાની બાળકી ત્યાં હાજર નહોતી. પોલીસ ફરિયાદ કરવામાં આવી તો પોલીસે પોતાની આઠ ટીમો કામ પર લગાવી અને ખબરીઓની પણ મદદ લીધી. આખરે 24 કલાકની અંદર પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી હતી.

Image

મુંબઈ- ફૂટપાથ પરથી કિડનેપ કરવામાં આવેલી 71 દિવસની બાળકીને શોધવા માટે મુંબઈ પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું અને 24 કલાકની અંદર તેને શોધીને માતા-પિતાને સોંપી. આટલુ જ નહીં, અપહરણ કરનાર કપલની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. તેના માતા-પિતા તે સમયે ઊંઘી રહ્યા હતા. પોલીસને શંકા છે કે દંપતીએ બાળકીને વેચવાના ઈરાદા સાથે કિડનેપ કરી હશે.

Image

મુંબઈ શહેરના પોલીસ કમિશનર જણાવે છે કે, અમે આઠ પોલીસ ટીમ તૈયાર કરી અને આરોપીને ફરિયાદ દાખલ થઈ તેના 12 કલાકમાં જ પકડી લીધો હતો. બાળકીનું નામ અલિશા છે અને તેના 35 વર્ષીય પિતા છાકરામ શેખર છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકીને જોયા પછી તે કમિશનરના પગે પડી ગયો હતો અને અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. માતા મનિષા શેખરની ખુશીનું પણ કોઈ ઠેકાણુ નહોતું.


ત્રણ ભાઈ-બહેનોમાં અલિશા સૌથી નાની છે. જ્યારે અડધી રાતે તેના માતા-પિતાની આંખ ખુલી તો તેમણે જોયું કે દીકરી ગાયબ છે. તેમણે આસપાસ દીકરીને શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી તેઓ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતે વધારે જાણકારી આપતા જણાવ્યું કે, આઝાદ મેદાન, એલટી માર્ગ, જેજે માર્ગ તેમજ ડોંગરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ટીમ તૈયાર કરવામાં આવી હતી. અમને લાગ્યું કે આરોપી એકલો નહીં હોય, તે આખી ગેંગ હોઈ શકે છે અને તે દિશામાં અમારી તપાસ ચાલુ છે.


સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શબાના શેખની આગેવાનીમાં ડોંગરી પોલીસ સ્ટેશનની ટીમે બિહારી નાકા પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. વડાલામાં શાંતિ નગર ખાતે રહેતા 46 વર્ષીય હનીફ મેમણ અને તેની પત્ની 39 વર્ષીય આફરીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દંપતીની એક 13 વર્ષીય દીકરી છે અને નવ વર્ષનો દીકરો છે. એક અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ જોઈને અમને જાણ થઈ કે હનીફ મેમણે બાળકીને કિડનેપ કરી છે અને તે CSMT રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે. તે ટ્રેનમાં બેઠો હતો અને વડાલા ઉતરી ગયો હતો. અહીંથી તેણે ટેક્સી લીધી હતી, પરંતુ ટેક્નીનો ચોક્કસ રુટ અમે પકડી નહોતા શક્યા. અમે અમારા તમામ ખબરીઓને સક્રિય કર્યા અને 100થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા. અપહરણ કરતી વખતે આરોપી આફરીન પતિ સાથે હાજર નહોતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેની સંડોવણી પણ સામે આવી અને પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી.


એક ખબરીએ બુધવારની સાંજે પોલીસને માહિતી આપી કે હનીફ મેમણ પત્ની, દીકરા અને એક નાની બાળકી સાથે ભરણી નાકા નજીક જઈ રહ્યો છે. વડાલા વિસ્તારમાં સ્થિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. પોલીસે સૌથી પહેલા તો બાળકીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી અને ત્યારપછી પતિ-પત્નીની અટકાયત કરી. 3 નવેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હનીફ દક્ષિણ મુંબઈમાં જંતુનાશક દવાઓ વેચવાનું કામ કરતો હતો. બાળકીનું અપહરણ કરતા પહેલા તેણે તે વિસ્તારની રેકી પણ કરી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.