પોલીસ પ્રજાનો મિત્ર:મુંબઈ પોલીસે 24 કલાકમાં અઢી મહિનાની છોકરીને શોધી કાઢી


  • Published By :
  • Published Date : 2022-10-29 10:01:28

મુંબઈ શહેરના એક ફૂટપાથ પર દંપતી પોતાના બાળકો સાથે ઊંઘી રહ્યુ હતું. દંપતીની આંખ ખુલી ત્યારે અઢી મહિનાની બાળકી ત્યાં હાજર નહોતી. પોલીસ ફરિયાદ કરવામાં આવી તો પોલીસે પોતાની આઠ ટીમો કામ પર લગાવી અને ખબરીઓની પણ મદદ લીધી. આખરે 24 કલાકની અંદર પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી હતી.

Image

મુંબઈ- ફૂટપાથ પરથી કિડનેપ કરવામાં આવેલી 71 દિવસની બાળકીને શોધવા માટે મુંબઈ પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું અને 24 કલાકની અંદર તેને શોધીને માતા-પિતાને સોંપી. આટલુ જ નહીં, અપહરણ કરનાર કપલની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. તેના માતા-પિતા તે સમયે ઊંઘી રહ્યા હતા. પોલીસને શંકા છે કે દંપતીએ બાળકીને વેચવાના ઈરાદા સાથે કિડનેપ કરી હશે.

Image

મુંબઈ શહેરના પોલીસ કમિશનર જણાવે છે કે, અમે આઠ પોલીસ ટીમ તૈયાર કરી અને આરોપીને ફરિયાદ દાખલ થઈ તેના 12 કલાકમાં જ પકડી લીધો હતો. બાળકીનું નામ અલિશા છે અને તેના 35 વર્ષીય પિતા છાકરામ શેખર છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકીને જોયા પછી તે કમિશનરના પગે પડી ગયો હતો અને અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. માતા મનિષા શેખરની ખુશીનું પણ કોઈ ઠેકાણુ નહોતું.


ત્રણ ભાઈ-બહેનોમાં અલિશા સૌથી નાની છે. જ્યારે અડધી રાતે તેના માતા-પિતાની આંખ ખુલી તો તેમણે જોયું કે દીકરી ગાયબ છે. તેમણે આસપાસ દીકરીને શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી તેઓ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતે વધારે જાણકારી આપતા જણાવ્યું કે, આઝાદ મેદાન, એલટી માર્ગ, જેજે માર્ગ તેમજ ડોંગરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ટીમ તૈયાર કરવામાં આવી હતી. અમને લાગ્યું કે આરોપી એકલો નહીં હોય, તે આખી ગેંગ હોઈ શકે છે અને તે દિશામાં અમારી તપાસ ચાલુ છે.


સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શબાના શેખની આગેવાનીમાં ડોંગરી પોલીસ સ્ટેશનની ટીમે બિહારી નાકા પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. વડાલામાં શાંતિ નગર ખાતે રહેતા 46 વર્ષીય હનીફ મેમણ અને તેની પત્ની 39 વર્ષીય આફરીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દંપતીની એક 13 વર્ષીય દીકરી છે અને નવ વર્ષનો દીકરો છે. એક અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ જોઈને અમને જાણ થઈ કે હનીફ મેમણે બાળકીને કિડનેપ કરી છે અને તે CSMT રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે. તે ટ્રેનમાં બેઠો હતો અને વડાલા ઉતરી ગયો હતો. અહીંથી તેણે ટેક્સી લીધી હતી, પરંતુ ટેક્નીનો ચોક્કસ રુટ અમે પકડી નહોતા શક્યા. અમે અમારા તમામ ખબરીઓને સક્રિય કર્યા અને 100થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા. અપહરણ કરતી વખતે આરોપી આફરીન પતિ સાથે હાજર નહોતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેની સંડોવણી પણ સામે આવી અને પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી.


એક ખબરીએ બુધવારની સાંજે પોલીસને માહિતી આપી કે હનીફ મેમણ પત્ની, દીકરા અને એક નાની બાળકી સાથે ભરણી નાકા નજીક જઈ રહ્યો છે. વડાલા વિસ્તારમાં સ્થિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. પોલીસે સૌથી પહેલા તો બાળકીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી અને ત્યારપછી પતિ-પત્નીની અટકાયત કરી. 3 નવેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હનીફ દક્ષિણ મુંબઈમાં જંતુનાશક દવાઓ વેચવાનું કામ કરતો હતો. બાળકીનું અપહરણ કરતા પહેલા તેણે તે વિસ્તારની રેકી પણ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.