પોલીસ પ્રજાનો મિત્ર:મુંબઈ પોલીસે 24 કલાકમાં અઢી મહિનાની છોકરીને શોધી કાઢી


  • Published By :
  • Published Date : 2022-10-29 10:01:28

મુંબઈ શહેરના એક ફૂટપાથ પર દંપતી પોતાના બાળકો સાથે ઊંઘી રહ્યુ હતું. દંપતીની આંખ ખુલી ત્યારે અઢી મહિનાની બાળકી ત્યાં હાજર નહોતી. પોલીસ ફરિયાદ કરવામાં આવી તો પોલીસે પોતાની આઠ ટીમો કામ પર લગાવી અને ખબરીઓની પણ મદદ લીધી. આખરે 24 કલાકની અંદર પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી હતી.

Image

મુંબઈ- ફૂટપાથ પરથી કિડનેપ કરવામાં આવેલી 71 દિવસની બાળકીને શોધવા માટે મુંબઈ પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું અને 24 કલાકની અંદર તેને શોધીને માતા-પિતાને સોંપી. આટલુ જ નહીં, અપહરણ કરનાર કપલની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ પાસેના ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. તેના માતા-પિતા તે સમયે ઊંઘી રહ્યા હતા. પોલીસને શંકા છે કે દંપતીએ બાળકીને વેચવાના ઈરાદા સાથે કિડનેપ કરી હશે.

Image

મુંબઈ શહેરના પોલીસ કમિશનર જણાવે છે કે, અમે આઠ પોલીસ ટીમ તૈયાર કરી અને આરોપીને ફરિયાદ દાખલ થઈ તેના 12 કલાકમાં જ પકડી લીધો હતો. બાળકીનું નામ અલિશા છે અને તેના 35 વર્ષીય પિતા છાકરામ શેખર છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકીને જોયા પછી તે કમિશનરના પગે પડી ગયો હતો અને અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો. માતા મનિષા શેખરની ખુશીનું પણ કોઈ ઠેકાણુ નહોતું.


ત્રણ ભાઈ-બહેનોમાં અલિશા સૌથી નાની છે. જ્યારે અડધી રાતે તેના માતા-પિતાની આંખ ખુલી તો તેમણે જોયું કે દીકરી ગાયબ છે. તેમણે આસપાસ દીકરીને શોધવાનો પ્રયત્ન કર્યો. ત્યારપછી તેઓ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસ કમિશનરે આ બાબતે વધારે જાણકારી આપતા જણાવ્યું કે, આઝાદ મેદાન, એલટી માર્ગ, જેજે માર્ગ તેમજ ડોંગરી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ટીમ તૈયાર કરવામાં આવી હતી. અમને લાગ્યું કે આરોપી એકલો નહીં હોય, તે આખી ગેંગ હોઈ શકે છે અને તે દિશામાં અમારી તપાસ ચાલુ છે.


સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શબાના શેખની આગેવાનીમાં ડોંગરી પોલીસ સ્ટેશનની ટીમે બિહારી નાકા પાસેથી આરોપીને પકડી પાડ્યો હતો. વડાલામાં શાંતિ નગર ખાતે રહેતા 46 વર્ષીય હનીફ મેમણ અને તેની પત્ની 39 વર્ષીય આફરીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દંપતીની એક 13 વર્ષીય દીકરી છે અને નવ વર્ષનો દીકરો છે. એક અધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજ જોઈને અમને જાણ થઈ કે હનીફ મેમણે બાળકીને કિડનેપ કરી છે અને તે CSMT રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે. તે ટ્રેનમાં બેઠો હતો અને વડાલા ઉતરી ગયો હતો. અહીંથી તેણે ટેક્સી લીધી હતી, પરંતુ ટેક્નીનો ચોક્કસ રુટ અમે પકડી નહોતા શક્યા. અમે અમારા તમામ ખબરીઓને સક્રિય કર્યા અને 100થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા. અપહરણ કરતી વખતે આરોપી આફરીન પતિ સાથે હાજર નહોતી, પરંતુ પૂછપરછ દરમિયાન તેની સંડોવણી પણ સામે આવી અને પછીથી તેની ધરપકડ કરવામાં આવી હતી.


એક ખબરીએ બુધવારની સાંજે પોલીસને માહિતી આપી કે હનીફ મેમણ પત્ની, દીકરા અને એક નાની બાળકી સાથે ભરણી નાકા નજીક જઈ રહ્યો છે. વડાલા વિસ્તારમાં સ્થિત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. પોલીસે સૌથી પહેલા તો બાળકીને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લીધી અને ત્યારપછી પતિ-પત્નીની અટકાયત કરી. 3 નવેમ્બર સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હનીફ દક્ષિણ મુંબઈમાં જંતુનાશક દવાઓ વેચવાનું કામ કરતો હતો. બાળકીનું અપહરણ કરતા પહેલા તેણે તે વિસ્તારની રેકી પણ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.