Mumbai : વરસાદ અને તોફાને મચાવી તબાહી! ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું અને સર્જાઈ મોટી દુર્ઘટના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 12:01:24

રાજ્યના તેમજ દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે... ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક થઈ પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ.. આંધી તૂફાન સાથે આવેલા વરસાદને કારણે જાનહાની પણ થઈ છે.. મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપ ઉપર આવેલું એક મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...

 

હોર્ડિંગ પડી જવાને કારણે થયા અનેક લોકોના મોત 

મુંબઈમાં વાવાઝોડાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.... આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, તેજ હવા વહેવા લાગી, વરસાદ આવ્યો... આ ઘટનામાં એક દુર્ઘટના સર્જાઈ... ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર લાગેલું મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને અનેક લોકોના મોતનું કારણ બન્યું. ત્યાં હાજર લોકો પર હોર્ડિંગ પડી ગયું, ગાડીઓ પણ દટાઈ ગઈ.. 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે  અનેક લોકોની સારવાર ચાલી રહી છે તેવી માહિતી સામે આ વી છે... ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટોને પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.. મુંબઈથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયંકર હતા. જે હોર્ડિંગ પડ્યું તે ગેરકાયદેસર હતું તેવું નિવેદન બીએમસી દ્વારા આપવામાં આવ્યું છે.. 

ગુજરાતમાં પણ થયા ત્રણ જેટલા લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ.. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ તેમજ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત ગુજરાતમાં થયા છે તેવી માહિતી સામે આવી છે.. અનેક પશુઓના પણ મોત થઈ ગયા છે... આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે....    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.