Mumbai : વરસાદ અને તોફાને મચાવી તબાહી! ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું અને સર્જાઈ મોટી દુર્ઘટના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 12:01:24

રાજ્યના તેમજ દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે... ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક થઈ પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ.. આંધી તૂફાન સાથે આવેલા વરસાદને કારણે જાનહાની પણ થઈ છે.. મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપ ઉપર આવેલું એક મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...

 

હોર્ડિંગ પડી જવાને કારણે થયા અનેક લોકોના મોત 

મુંબઈમાં વાવાઝોડાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.... આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, તેજ હવા વહેવા લાગી, વરસાદ આવ્યો... આ ઘટનામાં એક દુર્ઘટના સર્જાઈ... ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર લાગેલું મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને અનેક લોકોના મોતનું કારણ બન્યું. ત્યાં હાજર લોકો પર હોર્ડિંગ પડી ગયું, ગાડીઓ પણ દટાઈ ગઈ.. 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે  અનેક લોકોની સારવાર ચાલી રહી છે તેવી માહિતી સામે આ વી છે... ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટોને પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.. મુંબઈથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયંકર હતા. જે હોર્ડિંગ પડ્યું તે ગેરકાયદેસર હતું તેવું નિવેદન બીએમસી દ્વારા આપવામાં આવ્યું છે.. 

ગુજરાતમાં પણ થયા ત્રણ જેટલા લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ.. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ તેમજ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત ગુજરાતમાં થયા છે તેવી માહિતી સામે આવી છે.. અનેક પશુઓના પણ મોત થઈ ગયા છે... આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે....    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .