Mumbai : વરસાદ અને તોફાને મચાવી તબાહી! ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું અને સર્જાઈ મોટી દુર્ઘટના! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 12:01:24

રાજ્યના તેમજ દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે... ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક થઈ પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ.. આંધી તૂફાન સાથે આવેલા વરસાદને કારણે જાનહાની પણ થઈ છે.. મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપ ઉપર આવેલું એક મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...

 

હોર્ડિંગ પડી જવાને કારણે થયા અનેક લોકોના મોત 

મુંબઈમાં વાવાઝોડાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.... આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, તેજ હવા વહેવા લાગી, વરસાદ આવ્યો... આ ઘટનામાં એક દુર્ઘટના સર્જાઈ... ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર લાગેલું મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને અનેક લોકોના મોતનું કારણ બન્યું. ત્યાં હાજર લોકો પર હોર્ડિંગ પડી ગયું, ગાડીઓ પણ દટાઈ ગઈ.. 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે  અનેક લોકોની સારવાર ચાલી રહી છે તેવી માહિતી સામે આ વી છે... ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટોને પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.. મુંબઈથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયંકર હતા. જે હોર્ડિંગ પડ્યું તે ગેરકાયદેસર હતું તેવું નિવેદન બીએમસી દ્વારા આપવામાં આવ્યું છે.. 

ગુજરાતમાં પણ થયા ત્રણ જેટલા લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ.. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ તેમજ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત ગુજરાતમાં થયા છે તેવી માહિતી સામે આવી છે.. અનેક પશુઓના પણ મોત થઈ ગયા છે... આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે....    



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.