Bharuch બેઠક પર Mumtaz Patelને ઝટકો।AAP લડશે ચૂંટણી, Chaitar Vasava જ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 11:58:35

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું છે. ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે સીટો ફાળવવામાં આવી છે તે છે ભાવનગર લોકસભા સીટ તેમજ ભરૂચ લોકસભા સીટ. આ બંને બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી ગઠબંધન પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલા આ બંને આપના ઉમેદવાર હતા પરંતુ હવે તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. 


મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હતા ગઠબંધનથી નારાજ!

ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની વાત કરવામાં આવતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી સામે આવી હતી. ગઠબંધનને લઈ ભાઈ બહેને પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસની લાગણીઓ આ સીટ સાથે જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો નાતો આ સીટ સાથે હતો. ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરે તેવું નિવેદન મૂમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફૈઝલ પટેલ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાઈકમાન્ડનો ઓર્ડર છે માનવો પડશે. 


ચૈતર વસાવાના નામ પર લાગી મહોર!

મહત્વનું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધનને લઈ ગુજરાતમાં ચર્ચા પણ ન હોતી કરવામાં આવી. ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ તેમના સમર્થકો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. લોકો સાથે જોડાવાનો પ્રયત્ન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ મુમતાઝ પટેલને ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે.  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા બન્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.