Bharuch બેઠક પર Mumtaz Patelને ઝટકો।AAP લડશે ચૂંટણી, Chaitar Vasava જ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 11:58:35

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું છે. ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે સીટો ફાળવવામાં આવી છે તે છે ભાવનગર લોકસભા સીટ તેમજ ભરૂચ લોકસભા સીટ. આ બંને બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી ગઠબંધન પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલા આ બંને આપના ઉમેદવાર હતા પરંતુ હવે તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. 


મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હતા ગઠબંધનથી નારાજ!

ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની વાત કરવામાં આવતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી સામે આવી હતી. ગઠબંધનને લઈ ભાઈ બહેને પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસની લાગણીઓ આ સીટ સાથે જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો નાતો આ સીટ સાથે હતો. ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરે તેવું નિવેદન મૂમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફૈઝલ પટેલ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાઈકમાન્ડનો ઓર્ડર છે માનવો પડશે. 


ચૈતર વસાવાના નામ પર લાગી મહોર!

મહત્વનું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધનને લઈ ગુજરાતમાં ચર્ચા પણ ન હોતી કરવામાં આવી. ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ તેમના સમર્થકો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. લોકો સાથે જોડાવાનો પ્રયત્ન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ મુમતાઝ પટેલને ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે.  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા બન્યા છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.