Bharuch બેઠક પર Mumtaz Patelને ઝટકો।AAP લડશે ચૂંટણી, Chaitar Vasava જ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 11:58:35

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન જાહેર થઈ ગયું છે. ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે સીટો ફાળવવામાં આવી છે તે છે ભાવનગર લોકસભા સીટ તેમજ ભરૂચ લોકસભા સીટ. આ બંને બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી ગઠબંધન પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી ચૂકી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલા આ બંને આપના ઉમેદવાર હતા પરંતુ હવે તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. 


મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ હતા ગઠબંધનથી નારાજ!

ભરૂચ લોકસભા બેઠક પર ગઠબંધનની વાત કરવામાં આવતા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની નારાજગી સામે આવી હતી. ગઠબંધનને લઈ ભાઈ બહેને પ્રતિક્રિયા આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસની લાગણીઓ આ સીટ સાથે જોડાયેલી છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલનો નાતો આ સીટ સાથે હતો. ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરે તેવું નિવેદન મૂમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફૈઝલ પટેલ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ફૈઝલ પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાઈકમાન્ડનો ઓર્ડર છે માનવો પડશે. 


ચૈતર વસાવાના નામ પર લાગી મહોર!

મહત્વનું છે કે ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધનને લઈ ગુજરાતમાં ચર્ચા પણ ન હોતી કરવામાં આવી. ચૈતર વસાવાના નામની જાહેરાત બાદ તેમના સમર્થકો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવી ગયો છે. લોકો સાથે જોડાવાનો પ્રયત્ન ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ મુમતાઝ પટેલને ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે.  ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા બન્યા છે. 




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે